વરસાદને લઈ કરવામાં આવી આગાહી! જાણો કઈ જગ્યાઓ પર આજે વરસી શકે છે વરસાદ, ચક્રવાતને લઈ આવી અપડેટ!


  • Published By :
  • Published Date : 2023-06-05 10:30:02

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ થયો તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાક પડેલા વરસાદે અનેક જગ્યાઓ પર તારાજી સર્જી છે. નુકસાનના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે આજે પણ વરસાદ બેટિંગ કરી શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે.


લક્ષદ્વીપ પાસે હળવું દબાણ સર્જાતા આવશે ચક્રવાત!

ઉનાળાના સમય દરમિયાન રાજ્યમાં અનેક વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાઓ પર આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતોના મતે લક્ષદ્રીપ પાસે હળવું દબાણ 7 જૂનની આસપાસ સર્જાશે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું 13 જૂને ટકરાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ વરસી શકે છે. 12,13 અને 14 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત 50થી 60 કિમીની ઝડપ વાળો પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.         

 

ગઈકાલે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

મહત્વનું છે કે ઘણા સમયથી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે પણ વરસાદે રાજ્યના 131 તાલુકામાં ધોધમાર બેટિંગ કરી હતી. રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે