વરસાદને લઈ કરવામાં આવી આગાહી! જાણો કઈ જગ્યાઓ પર આજે વરસી શકે છે વરસાદ, ચક્રવાતને લઈ આવી અપડેટ!


  • Published By :
  • Published Date : 2023-06-05 10:30:02

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ થયો તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાક પડેલા વરસાદે અનેક જગ્યાઓ પર તારાજી સર્જી છે. નુકસાનના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે આજે પણ વરસાદ બેટિંગ કરી શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે.


લક્ષદ્વીપ પાસે હળવું દબાણ સર્જાતા આવશે ચક્રવાત!

ઉનાળાના સમય દરમિયાન રાજ્યમાં અનેક વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાઓ પર આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતોના મતે લક્ષદ્રીપ પાસે હળવું દબાણ 7 જૂનની આસપાસ સર્જાશે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું 13 જૂને ટકરાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ વરસી શકે છે. 12,13 અને 14 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત 50થી 60 કિમીની ઝડપ વાળો પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.         

 

ગઈકાલે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

મહત્વનું છે કે ઘણા સમયથી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે પણ વરસાદે રાજ્યના 131 તાલુકામાં ધોધમાર બેટિંગ કરી હતી. રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.