વરસાદને લઈ કરવામાં આવી આગાહી! જાણો કઈ જગ્યાઓ પર આજે વરસી શકે છે વરસાદ, ચક્રવાતને લઈ આવી અપડેટ!


  • Published By :
  • Published Date : 2023-06-05 10:30:02

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ થયો તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાક પડેલા વરસાદે અનેક જગ્યાઓ પર તારાજી સર્જી છે. નુકસાનના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે આજે પણ વરસાદ બેટિંગ કરી શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે.


લક્ષદ્વીપ પાસે હળવું દબાણ સર્જાતા આવશે ચક્રવાત!

ઉનાળાના સમય દરમિયાન રાજ્યમાં અનેક વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાઓ પર આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતોના મતે લક્ષદ્રીપ પાસે હળવું દબાણ 7 જૂનની આસપાસ સર્જાશે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું 13 જૂને ટકરાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ વરસી શકે છે. 12,13 અને 14 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત 50થી 60 કિમીની ઝડપ વાળો પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.         

 

ગઈકાલે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

મહત્વનું છે કે ઘણા સમયથી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે પણ વરસાદે રાજ્યના 131 તાલુકામાં ધોધમાર બેટિંગ કરી હતી. રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.