વરસાદને લઈ કરવામાં આવી આગાહી! જાણો કઈ જગ્યાઓ પર આજે વરસી શકે છે વરસાદ, ચક્રવાતને લઈ આવી અપડેટ!


  • Published By :
  • Published Date : 2023-06-05 10:30:02

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ બે ઈંચ જેટલો વરસાદ થયો તો કોઈ જગ્યાએ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. બે કલાક પડેલા વરસાદે અનેક જગ્યાઓ પર તારાજી સર્જી છે. નુકસાનના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે પવન તેમજ ગાજવીજ સાથે આજે પણ વરસાદ બેટિંગ કરી શકે છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ આવવાની સંભાવના છે.


લક્ષદ્વીપ પાસે હળવું દબાણ સર્જાતા આવશે ચક્રવાત!

ઉનાળાના સમય દરમિયાન રાજ્યમાં અનેક વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાઓ પર આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે નિષ્ણાંતોના મતે લક્ષદ્રીપ પાસે હળવું દબાણ 7 જૂનની આસપાસ સર્જાશે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું 13 જૂને ટકરાઈ શકે છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ વરસી શકે છે. 12,13 અને 14 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ઉપરાંત 50થી 60 કિમીની ઝડપ વાળો પવન પણ ફૂંકાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે.         

 

ગઈકાલે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

મહત્વનું છે કે ઘણા સમયથી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઈકાલે પણ વરસાદે રાજ્યના 131 તાલુકામાં ધોધમાર બેટિંગ કરી હતી. રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.