ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-06-19 17:15:18

બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતમાંથી પસાર થઈ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. રાજસ્થાનમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.     


વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ હજી વાર છે. કેરળ સુધી ચોમસું પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું હતું. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રીય ન હોવાથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે. ભેજ વાળું વાતાવરણ રહેશે જેને કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત!

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ડાંગ, સુરત તેમજ વડોદરા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પવન ફૂંકાવવાને કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.  તેમના અનુમાન અનુસાર 26 તેમજ 27જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  



બિપોરજોયને કારણે નદીઓમાં થઈ પાણીની આવક!

મહત્વનું છે કે બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા અમુક કલાકોમાં વરસેલા વરસાદની વાત કરીએ તો દાંતામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પાણી આવતા ખેડૂતોમાં શ્વાસ આવ્યો છે.     


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.