સાચી પડી હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં શીતલહેરનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-01-14 10:05:22

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં અનેક દિવસના વિરામ બાદ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. પવનને કારણે પતંગરસિયાઓને મોજ પડવાની છે.


પવનનો સાથ મળતા પતંગ રસિયાઓને પડશે મોજ 

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા પહોંચી ગયા છે. રાજ્યમાં થોડા દિવસોથી ઓછી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. પતંગ ઉડાવતી વખતે પવનનો સાથ હોવો જરૂરી છે. જો પવન ન હોય તો લોકોને પતંગ ચગાવવાની મજા આવતી નથી. ત્યારે આ ઉત્તરાયણમાં પવનનો સારો સાથ મળશે. 


આવનાર દિવસોમાં ઠંડીનું વધશે પ્રમાણ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. તાપમાનનો પારો હજી પણ ગગડી શકે છે. અનેક શહેરોમાં ઠંડો પવન વહી રહ્યો છે. પવન સારો હોવાને કારણે પતંગ ચગાવવાની મજા આવશે. આગાહી પ્રમાણે આજે આખો દિવસ સારો પવન રહેશે. પવનની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ કરી છે આગાહી 

આવનાર સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. નલિયામાં તાપમનાનનો પારો ઘટી ગયો જેને કારણે ત્યાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ આગાહી કરી હતી. જે મુજબ હાડકા થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યના તમામ શહેરોના તાપમાનની વાત કરીએ તો પારો 10 ડિગ્રીની આસપાસ રહેશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.