સાચી પડી હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં શીતલહેરનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-01-14 10:05:22

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં અનેક દિવસના વિરામ બાદ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. પવનને કારણે પતંગરસિયાઓને મોજ પડવાની છે.


પવનનો સાથ મળતા પતંગ રસિયાઓને પડશે મોજ 

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા પહોંચી ગયા છે. રાજ્યમાં થોડા દિવસોથી ઓછી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. પતંગ ઉડાવતી વખતે પવનનો સાથ હોવો જરૂરી છે. જો પવન ન હોય તો લોકોને પતંગ ચગાવવાની મજા આવતી નથી. ત્યારે આ ઉત્તરાયણમાં પવનનો સારો સાથ મળશે. 


આવનાર દિવસોમાં ઠંડીનું વધશે પ્રમાણ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. તાપમાનનો પારો હજી પણ ગગડી શકે છે. અનેક શહેરોમાં ઠંડો પવન વહી રહ્યો છે. પવન સારો હોવાને કારણે પતંગ ચગાવવાની મજા આવશે. આગાહી પ્રમાણે આજે આખો દિવસ સારો પવન રહેશે. પવનની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ કરી છે આગાહી 

આવનાર સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. નલિયામાં તાપમનાનનો પારો ઘટી ગયો જેને કારણે ત્યાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ આગાહી કરી હતી. જે મુજબ હાડકા થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યના તમામ શહેરોના તાપમાનની વાત કરીએ તો પારો 10 ડિગ્રીની આસપાસ રહેશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.