સાચી પડી હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં શીતલહેરનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-01-14 10:05:22

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં અનેક દિવસના વિરામ બાદ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. પવનને કારણે પતંગરસિયાઓને મોજ પડવાની છે.


પવનનો સાથ મળતા પતંગ રસિયાઓને પડશે મોજ 

સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. લોકો વહેલી સવારથી પતંગ ચગાવવા પહોંચી ગયા છે. રાજ્યમાં થોડા દિવસોથી ઓછી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. પતંગ ઉડાવતી વખતે પવનનો સાથ હોવો જરૂરી છે. જો પવન ન હોય તો લોકોને પતંગ ચગાવવાની મજા આવતી નથી. ત્યારે આ ઉત્તરાયણમાં પવનનો સારો સાથ મળશે. 


આવનાર દિવસોમાં ઠંડીનું વધશે પ્રમાણ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. તાપમાનનો પારો હજી પણ ગગડી શકે છે. અનેક શહેરોમાં ઠંડો પવન વહી રહ્યો છે. પવન સારો હોવાને કારણે પતંગ ચગાવવાની મજા આવશે. આગાહી પ્રમાણે આજે આખો દિવસ સારો પવન રહેશે. પવનની સાથે સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ કરી છે આગાહી 

આવનાર સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. નલિયામાં તાપમનાનનો પારો ઘટી ગયો જેને કારણે ત્યાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈ આગાહી કરી હતી. જે મુજબ હાડકા થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યના તમામ શહેરોના તાપમાનની વાત કરીએ તો પારો 10 ડિગ્રીની આસપાસ રહેશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.