હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, આ તારીખો સુધી વરસાદની સંભાવના નહીંવત! જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-01 16:42:41

દિવસ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવે છે. આજે વરસાદની જે પરિસ્થિતિ છે તે આવતી કાલે ન પણ હોય. જે જગ્યા માટે વરસાદની આગાહી કરવામાં આવી હોય ત્યાં જો આવતી કાલે માટે જોવામાં આવે તો પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. ચોમાસાની શરૂઆત થઈ તે દરમિયાન એટલે કે શરૂઆતી મહિનાઓમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનો તો કોરો કટ સાબિત થયો હતો. સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી હતી. પાક સારો થશે તો સારી કમાણી થશે તેવી આશાઓ ખેડૂતોએ રાખી હતી. પરંતુ વરસાદે જાણે ખેડૂતોને દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. 

બિપોરજોયની અસર પડી વરસાદની સિસ્ટમ પર 

ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ તી. મહિનાઓની અંદર વરસાદે રેકોર્ડ તોડી દીધા હતા. અનેક ટકા વરસાદ વરસી ગયો હતો પરંતુ ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો વિતી ગયો પરંતુ વરસાદના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે પરંતુ 7 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ પર ઘણી અસર પડી છે. 



સપ્ટેમ્બર મહિનામાં પણ જોવી પડશે વરસાદની રાહ 

એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે પરંતુ વરસાદને ગુજરાતથી દૂર લઈ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોએ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં તો ચોમાસાના અંતનો પ્રારંભ હોય છે પરંતુ આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બીજા રાઉન્ડની પ્રતિક્ષા ખેડૂતો કરી રહ્યા છે. જો વરસાદ નહીં પડે તો તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે.        

7 તારીખ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે મેઘરાજાની પધરામણી 

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેવી આગાહી કરવામાં આવતી હોય છે. આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ થશે, કેવો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર બીજી તારીખે નવસારી, દમણ તાપી,વલસાડ, ડાંગ,દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સરખી પરિસ્થિતિ 3,4 અને 5 તારીખ માટે પણ દર્શાવવામાં આવી છે. 



અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આ આગાહી 

6 અને 7 સપ્ટેમ્બર પછી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. પરંતુ ત્યાં સુધી તો વરસાદને લઈ ખેડૂતોએ અને આપણે બધાએ રાહ જોવી પડશે. 7 તારીખે દક્ષિણ ગુજરાત, દાહોદ, સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર જોવા મળવાની છે. ત્યારે જોવું રહ્યું કે વરસાદ ક્યારે વરસશે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી