હવામાન વિભાગની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા, આ તારીખો સુધી વરસાદની સંભાવના નહીંવત! જુઓ Jamawatનું Weather Analysis


  • Published By :
  • Published Date : 2023-09-01 16:42:41

દિવસ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવે છે. આજે વરસાદની જે પરિસ્થિતિ છે તે આવતી કાલે ન પણ હોય. જે જગ્યા માટે વરસાદની આગાહી કરવામાં આવી હોય ત્યાં જો આવતી કાલે માટે જોવામાં આવે તો પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. ચોમાસાની શરૂઆત થઈ તે દરમિયાન એટલે કે શરૂઆતી મહિનાઓમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનો તો કોરો કટ સાબિત થયો હતો. સારા વરસાદની આશા સાથે ખેડૂતોએ વાવણી કરી હતી. પાક સારો થશે તો સારી કમાણી થશે તેવી આશાઓ ખેડૂતોએ રાખી હતી. પરંતુ વરસાદે જાણે ખેડૂતોને દગો દીધો હોય તેવું લાગી રહ્યું છે. 

બિપોરજોયની અસર પડી વરસાદની સિસ્ટમ પર 

ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ તી. મહિનાઓની અંદર વરસાદે રેકોર્ડ તોડી દીધા હતા. અનેક ટકા વરસાદ વરસી ગયો હતો પરંતુ ઓગસ્ટની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનો વિતી ગયો પરંતુ વરસાદના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે પરંતુ 7 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ પર ઘણી અસર પડી છે. 



સપ્ટેમ્બર મહિનામાં પણ જોવી પડશે વરસાદની રાહ 

એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે પરંતુ વરસાદને ગુજરાતથી દૂર લઈ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોએ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. સપ્ટેમ્બર મહિનામાં તો ચોમાસાના અંતનો પ્રારંભ હોય છે પરંતુ આ વખતે તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદના બીજા રાઉન્ડની પ્રતિક્ષા ખેડૂતો કરી રહ્યા છે. જો વરસાદ નહીં પડે તો તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે.        

7 તારીખ બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે મેઘરાજાની પધરામણી 

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેવી આગાહી કરવામાં આવતી હોય છે. આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ થશે, કેવો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર બીજી તારીખે નવસારી, દમણ તાપી,વલસાડ, ડાંગ,દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સરખી પરિસ્થિતિ 3,4 અને 5 તારીખ માટે પણ દર્શાવવામાં આવી છે. 



અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે આ આગાહી 

6 અને 7 સપ્ટેમ્બર પછી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. પરંતુ ત્યાં સુધી તો વરસાદને લઈ ખેડૂતોએ અને આપણે બધાએ રાહ જોવી પડશે. 7 તારીખે દક્ષિણ ગુજરાત, દાહોદ, સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર જોવા મળવાની છે. ત્યારે જોવું રહ્યું કે વરસાદ ક્યારે વરસશે?



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.