ભક્તો માટે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર, ભગવાનના દર્શન થતાં ભક્તોમાં છવાઈ આનંદની લાગણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 12:21:49

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં જગતમંદિર દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ચોટીલા સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની સ્થિતિને ઘ્યાનમાં રાખી 15 જૂનના રોજ દ્વારકા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભગવાનના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન માટે સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે તેમજ ભક્તોમાં અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

   


ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્યા! 

ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતથી પસાર થઈ ચક્રવાત આગળ વધી ગયું છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા, મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી ઉઠી છે. મંદિર બહાર લોકો ઝૂમી રહ્યા છે. 


અનેક દિવસો સુધી ધજાની કરાઈ પૂજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે અનેક દિવસો સુધી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી ન હતી. જે મંદિરમાં દિવસની પાંચ ધજાઓ ચઢતી હતી ત્યાં અનેક દિવસો સુધી ધજા ચઢાવાઈ ન હતી. માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. થોડા દિવસો માટે બે ધજાઓ ફરકી હતી પરંતુ ભારે પવનને કારણે એક ધજા ખંડિત થઈ ગઈ હતી. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતાં ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.           



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?