ભક્તો માટે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર, ભગવાનના દર્શન થતાં ભક્તોમાં છવાઈ આનંદની લાગણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 12:21:49

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં જગતમંદિર દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ચોટીલા સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની સ્થિતિને ઘ્યાનમાં રાખી 15 જૂનના રોજ દ્વારકા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભગવાનના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન માટે સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે તેમજ ભક્તોમાં અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

   


ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્યા! 

ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતથી પસાર થઈ ચક્રવાત આગળ વધી ગયું છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા, મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી ઉઠી છે. મંદિર બહાર લોકો ઝૂમી રહ્યા છે. 


અનેક દિવસો સુધી ધજાની કરાઈ પૂજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે અનેક દિવસો સુધી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી ન હતી. જે મંદિરમાં દિવસની પાંચ ધજાઓ ચઢતી હતી ત્યાં અનેક દિવસો સુધી ધજા ચઢાવાઈ ન હતી. માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. થોડા દિવસો માટે બે ધજાઓ ફરકી હતી પરંતુ ભારે પવનને કારણે એક ધજા ખંડિત થઈ ગઈ હતી. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતાં ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.