ભક્તો માટે ખુલ્યા દ્વારકાધીશ મંદિરના દ્વાર, ભગવાનના દર્શન થતાં ભક્તોમાં છવાઈ આનંદની લાગણી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 12:21:49

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક પ્રસિદ્ધ યાત્રાધામોને દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં જગતમંદિર દ્વારકા, સોમનાથ, સાળંગપુર, ચોટીલા સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની સ્થિતિને ઘ્યાનમાં રાખી 15 જૂનના રોજ દ્વારકા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભગવાનના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ભગવાનના દર્શન માટે સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે તેમજ ભક્તોમાં અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે.

   


ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખુલ્યા! 

ગુજરાત પરથી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતથી પસાર થઈ ચક્રવાત આગળ વધી ગયું છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. અનેક મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વાવાઝોડાનો ખતરો ટળતા, મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. જગતમંદિર દ્વારકા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી ઉઠી છે. મંદિર બહાર લોકો ઝૂમી રહ્યા છે. 


અનેક દિવસો સુધી ધજાની કરાઈ પૂજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે અનેક દિવસો સુધી મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી ન હતી. જે મંદિરમાં દિવસની પાંચ ધજાઓ ચઢતી હતી ત્યાં અનેક દિવસો સુધી ધજા ચઢાવાઈ ન હતી. માત્ર ધજાની પૂજા કરવામાં આવતી હતી. થોડા દિવસો માટે બે ધજાઓ ફરકી હતી પરંતુ ભારે પવનને કારણે એક ધજા ખંડિત થઈ ગઈ હતી. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતાં ભગવાન દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે.           



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.