હજારો ભક્તોની હાજરીમાં ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર! મંદિરના કપાટ ખોલાયા ત્યારે કેવો હતો માહોલ? બમ બમ ભોલેના નાદથી ગુંજી હતી ધરા!


  • Published By :
  • Published Date : 2023-04-25 09:34:52

ઉત્તરાખંડના ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજના દિવસથી થઈ ગઈ હતી. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 22 એપ્રિલના રોજ ખુલી ગયા હતા ત્યારે આજે ભગવાન કેદારનાથના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. સવારે 6.20 વાગ્યે મંત્રોચ્ચાર અને ધૂન સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાથી મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ધાર્મિક પરંપરાઓ સાથે રાવલ નિવાસથી બાબા કેદારની પંચમુખી ભોગ મૂર્તિ ડોલી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. આજે સવારે હર હર મહાદેવના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરને 20 ક્વિંટલ ફૂલોથી સજાવામાં આવ્યું છે.

    

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ!

દર્શનાથીઓ માટે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડની ચારધામો યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. 22 એપ્રિલે યમનોત્રી તેમજ ગંગોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે ભક્તોની હાજરીમાં કેદારનાથ મંદિરના દ્વાર વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બદ્રીનાથ મંદિરના દ્વાર 27 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. મળતી માહિતી અનુસાર 8 હજાર જેટલા લોકોએ ભોલે બાબાના દર્શનનો લાભ લઈ લીધો છે.

 


ખરાબ વાતાવરણ બની શકે છે ચારધામ યાત્રામાં વિધ્ન! 

ચારધામ યાત્રા દરમિયાન સારું વાતાવરણ રહે તે જરૂરી હોય છે. બરફવર્ષા થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચારધામ યાત્રાએ આવતા દર્શનાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત કરાવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણ અને ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.