હજારો ભક્તોની હાજરીમાં ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર! મંદિરના કપાટ ખોલાયા ત્યારે કેવો હતો માહોલ? બમ બમ ભોલેના નાદથી ગુંજી હતી ધરા!


  • Published By :
  • Published Date : 2023-04-25 09:34:52

ઉત્તરાખંડના ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજના દિવસથી થઈ ગઈ હતી. ગંગોત્રી અને યમનોત્રીના કપાટ 22 એપ્રિલના રોજ ખુલી ગયા હતા ત્યારે આજે ભગવાન કેદારનાથના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે. સવારે 6.20 વાગ્યે મંત્રોચ્ચાર અને ધૂન સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાથી મંદિરના કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ધાર્મિક પરંપરાઓ સાથે રાવલ નિવાસથી બાબા કેદારની પંચમુખી ભોગ મૂર્તિ ડોલી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. આજે સવારે હર હર મહાદેવના નાદ વચ્ચે કેદારનાથ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરને 20 ક્વિંટલ ફૂલોથી સજાવામાં આવ્યું છે.

    

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ ધામ!

દર્શનાથીઓ માટે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડની ચારધામો યાત્રાનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થઈ ગયો હતો. 22 એપ્રિલે યમનોત્રી તેમજ ગંગોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે એટલે કે ભક્તોની હાજરીમાં કેદારનાથ મંદિરના દ્વાર વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે બદ્રીનાથ મંદિરના દ્વાર 27 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. મળતી માહિતી અનુસાર 8 હજાર જેટલા લોકોએ ભોલે બાબાના દર્શનનો લાભ લઈ લીધો છે.

 


ખરાબ વાતાવરણ બની શકે છે ચારધામ યાત્રામાં વિધ્ન! 

ચારધામ યાત્રા દરમિયાન સારું વાતાવરણ રહે તે જરૂરી હોય છે. બરફવર્ષા થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચારધામ યાત્રાએ આવતા દર્શનાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત કરાવામાં આવ્યું છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ખરાબ વાતાવરણ અને ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.