સરકારે રાજ્યભરમાં પુલોની સ્થિતિ માટે જાહેર કરી નવી નીતિ, તમામ બ્રિજોનું મે અને ઓક્ટોબરમાં કરાશે નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:15:53

ગયા વર્ષે દિવાળી સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્રિજોની સલામતીને લઈ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. બ્રિજોની મજબૂતાઈને લઈ તપાસ કરવા કહેવાયું હતું. ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દર વર્ષે 2 વખત બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. 


બ્રિજના નિર્માણમાં વપરાય છે ઓછી ગુણવત્તાવાળો માલસામાન!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આવેલા બ્રિજો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની ચર્ચા થઈ જ રહી હતી તે દરમિયાન રાજૂલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં આવેલા એક બ્રિજમાં તિરાડ દેખાઈ હતી. આ બધા કિસ્સાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

 

વર્ષમાં બે વખત બ્રિજોનું કરાશે નિરીક્ષણ 

તે બધા વચ્ચે બ્રિજની સ્થિતિ વર્ષમાં બે વખત ચકાસવામાં આવશે. હવે ગુજરાતમાં બ્રિજનું ઈન્સપેક્શન વર્ષમાં બે વખત કરવામાં આવશે. મે અને ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં આવેલા બ્રિજોનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવશે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યુટિવ ઈજનેરની રહેશે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.