સરકારે રાજ્યભરમાં પુલોની સ્થિતિ માટે જાહેર કરી નવી નીતિ, તમામ બ્રિજોનું મે અને ઓક્ટોબરમાં કરાશે નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:15:53

ગયા વર્ષે દિવાળી સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્રિજોની સલામતીને લઈ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. બ્રિજોની મજબૂતાઈને લઈ તપાસ કરવા કહેવાયું હતું. ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દર વર્ષે 2 વખત બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. 


બ્રિજના નિર્માણમાં વપરાય છે ઓછી ગુણવત્તાવાળો માલસામાન!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આવેલા બ્રિજો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની ચર્ચા થઈ જ રહી હતી તે દરમિયાન રાજૂલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં આવેલા એક બ્રિજમાં તિરાડ દેખાઈ હતી. આ બધા કિસ્સાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

 

વર્ષમાં બે વખત બ્રિજોનું કરાશે નિરીક્ષણ 

તે બધા વચ્ચે બ્રિજની સ્થિતિ વર્ષમાં બે વખત ચકાસવામાં આવશે. હવે ગુજરાતમાં બ્રિજનું ઈન્સપેક્શન વર્ષમાં બે વખત કરવામાં આવશે. મે અને ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં આવેલા બ્રિજોનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવશે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યુટિવ ઈજનેરની રહેશે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.