સરકારે રાજ્યભરમાં પુલોની સ્થિતિ માટે જાહેર કરી નવી નીતિ, તમામ બ્રિજોનું મે અને ઓક્ટોબરમાં કરાશે નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:15:53

ગયા વર્ષે દિવાળી સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્રિજોની સલામતીને લઈ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. બ્રિજોની મજબૂતાઈને લઈ તપાસ કરવા કહેવાયું હતું. ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દર વર્ષે 2 વખત બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. 


બ્રિજના નિર્માણમાં વપરાય છે ઓછી ગુણવત્તાવાળો માલસામાન!

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આવેલા બ્રિજો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની ચર્ચા થઈ જ રહી હતી તે દરમિયાન રાજૂલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં આવેલા એક બ્રિજમાં તિરાડ દેખાઈ હતી. આ બધા કિસ્સાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

 

વર્ષમાં બે વખત બ્રિજોનું કરાશે નિરીક્ષણ 

તે બધા વચ્ચે બ્રિજની સ્થિતિ વર્ષમાં બે વખત ચકાસવામાં આવશે. હવે ગુજરાતમાં બ્રિજનું ઈન્સપેક્શન વર્ષમાં બે વખત કરવામાં આવશે. મે અને ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં આવેલા બ્રિજોનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવશે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યુટિવ ઈજનેરની રહેશે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.