Gujarat Loksabha Electionને લઈ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મતદાનના દિવસે રહેશે જાહેર રજા, બહાર પડાયો પરિપત્ર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 18:04:50

ચૂંટણીને આપણે લોકશાહીનો પર્વ માનીએ છીએ. દર પાંચ વર્ષે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાતા મતદાન કરવાના છે. મતદાન કરવું આપણો હક છે અને આપણી જવાબદારી છે. સારા પ્રમાણમાં વોટિંગ થાય તે માટે અનેક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવતી હોય છે. મતદાતાઓને જાગૃત કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં 7 મેના રોજ એટલે કે જે દિવસે મતદાન થવાનું છે તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Article Content Image

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે થશે મતદાન  

લોકસભા ચૂંટણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. ચૂંટણીની તારીખોને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ હતો. ત્યારે થોડા સમય પહેલા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જે મુજબ અનેક તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સારા પ્રમાણે મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, મતદાતાને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થવાની છે પેટા ચૂંટણી     

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ વિધાનસભા બેઠકો જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, અને પોરબંદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ  પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી નથી થવાની. ત્યારે 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આ દિવસે ચૂંટણીને લઈ રજા આપવામાં આવી છે તો આપણે આ દિવસે સારા પ્રમાણમાં મતદાન કરી પોતાની જવાબદારી નિભાવીએ તેવી આશા....  




રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.

લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..