Gujarat Loksabha Electionને લઈ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મતદાનના દિવસે રહેશે જાહેર રજા, બહાર પડાયો પરિપત્ર


  • Published By :
  • Published Date : 2024-04-08 18:04:50

ચૂંટણીને આપણે લોકશાહીનો પર્વ માનીએ છીએ. દર પાંચ વર્ષે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાતા મતદાન કરવાના છે. મતદાન કરવું આપણો હક છે અને આપણી જવાબદારી છે. સારા પ્રમાણમાં વોટિંગ થાય તે માટે અનેક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવતી હોય છે. મતદાતાઓને જાગૃત કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં 7 મેના રોજ એટલે કે જે દિવસે મતદાન થવાનું છે તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Article Content Image

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે થશે મતદાન  

લોકસભા ચૂંટણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. ચૂંટણીની તારીખોને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ હતો. ત્યારે થોડા સમય પહેલા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જે મુજબ અનેક તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સારા પ્રમાણે મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, મતદાતાને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થવાની છે પેટા ચૂંટણી     

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ વિધાનસભા બેઠકો જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, અને પોરબંદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ  પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી નથી થવાની. ત્યારે 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આ દિવસે ચૂંટણીને લઈ રજા આપવામાં આવી છે તો આપણે આ દિવસે સારા પ્રમાણમાં મતદાન કરી પોતાની જવાબદારી નિભાવીએ તેવી આશા....  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે