Gujarat Loksabha Electionને લઈ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મતદાનના દિવસે રહેશે જાહેર રજા, બહાર પડાયો પરિપત્ર


  • Published By :
  • Published Date : 2024-04-08 18:04:50

ચૂંટણીને આપણે લોકશાહીનો પર્વ માનીએ છીએ. દર પાંચ વર્ષે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાતા મતદાન કરવાના છે. મતદાન કરવું આપણો હક છે અને આપણી જવાબદારી છે. સારા પ્રમાણમાં વોટિંગ થાય તે માટે અનેક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવતી હોય છે. મતદાતાઓને જાગૃત કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં 7 મેના રોજ એટલે કે જે દિવસે મતદાન થવાનું છે તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Article Content Image

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે થશે મતદાન  

લોકસભા ચૂંટણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. ચૂંટણીની તારીખોને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ હતો. ત્યારે થોડા સમય પહેલા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જે મુજબ અનેક તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સારા પ્રમાણે મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, મતદાતાને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થવાની છે પેટા ચૂંટણી     

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ વિધાનસભા બેઠકો જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, અને પોરબંદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ  પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી નથી થવાની. ત્યારે 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આ દિવસે ચૂંટણીને લઈ રજા આપવામાં આવી છે તો આપણે આ દિવસે સારા પ્રમાણમાં મતદાન કરી પોતાની જવાબદારી નિભાવીએ તેવી આશા....  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.