Gujarat Loksabha Electionને લઈ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મતદાનના દિવસે રહેશે જાહેર રજા, બહાર પડાયો પરિપત્ર


  • Published By :
  • Published Date : 2024-04-08 18:04:50

ચૂંટણીને આપણે લોકશાહીનો પર્વ માનીએ છીએ. દર પાંચ વર્ષે આ તહેરવારની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાતા મતદાન કરવાના છે. મતદાન કરવું આપણો હક છે અને આપણી જવાબદારી છે. સારા પ્રમાણમાં વોટિંગ થાય તે માટે અનેક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવતી હોય છે. મતદાતાઓને જાગૃત કરવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં 7 મેના રોજ એટલે કે જે દિવસે મતદાન થવાનું છે તે દિવસે જાહેર રજા રાખવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Article Content Image

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે થશે મતદાન  

લોકસભા ચૂંટણી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા. ચૂંટણીની તારીખોને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ હતો. ત્યારે થોડા સમય પહેલા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જે મુજબ અનેક તબક્કામાં ચૂંટણીનું આયોજન થવાનું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરી છે. સારા પ્રમાણે મતદાન થાય તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, મતદાતાને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે થવાની છે પેટા ચૂંટણી     

મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ વિધાનસભા બેઠકો જ્યાં પેટા ચૂંટણી થવાની છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, અને પોરબંદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. પદ  પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની હતી પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી નથી થવાની. ત્યારે 7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે જ્યારે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આ દિવસે ચૂંટણીને લઈ રજા આપવામાં આવી છે તો આપણે આ દિવસે સારા પ્રમાણમાં મતદાન કરી પોતાની જવાબદારી નિભાવીએ તેવી આશા....  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.