વિરોધ વધતા TRB જવાનોની હકાલપટ્ટીના નિર્ણયને સરકારે મોકૂફ રાખ્યો! Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:04:37

ગુજરાતમાં એક તરફ અનેક લોકો નોકરીની શોધમાં છે તો બીજી તરફ ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સાથે જ ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળ્યો હતો. આંદોલન કરી પોતાનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પણ જાણે તેમના આંદોલન સામે ઝૂકી. આંદોલન વધારે વધે તે પહેલા જ સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.  આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.  

રાજ્ય સરકારના નિર્ણયને યુવરાજસિંહે આવકાર્યો 

TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગઈકાલે ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જ્યારે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા ત્યારે યુવરાજસિંહ ત્યાં તેમના સમર્થનમાં પહોંચ્યા હતા. ટીઆરબીના જવાનોના સમર્થનમાં આવી તેમણે નિવેદન આપ્યું હતું. ટીઆરબી જવાનોના હિતમાં સરકારે નિર્ણય લીધો તે બાદ યુવરાજસિંહે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકારને અનેક રજૂઆતો પણ કરી.  


સરકારે ટીઆરબી જવાનો મુદ્દે માર્યો યુ-ટર્ન 

મહત્વનું છે કે સરકારે છુટ્ટા કરવાનો નિર્ણય તો હાલ માટે મોકૂફ રાખ્યો છે પરંતુ અનેક શરતો પણ રાખી છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય. મહત્વનું છે કે રાજ્યમાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠતા સરકારે યુ-ટર્ન લીધો છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી