વિરોધ વધતા TRB જવાનોની હકાલપટ્ટીના નિર્ણયને સરકારે મોકૂફ રાખ્યો! Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:04:37

ગુજરાતમાં એક તરફ અનેક લોકો નોકરીની શોધમાં છે તો બીજી તરફ ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સાથે જ ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળ્યો હતો. આંદોલન કરી પોતાનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પણ જાણે તેમના આંદોલન સામે ઝૂકી. આંદોલન વધારે વધે તે પહેલા જ સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.  આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.  

રાજ્ય સરકારના નિર્ણયને યુવરાજસિંહે આવકાર્યો 

TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગઈકાલે ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જ્યારે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા ત્યારે યુવરાજસિંહ ત્યાં તેમના સમર્થનમાં પહોંચ્યા હતા. ટીઆરબીના જવાનોના સમર્થનમાં આવી તેમણે નિવેદન આપ્યું હતું. ટીઆરબી જવાનોના હિતમાં સરકારે નિર્ણય લીધો તે બાદ યુવરાજસિંહે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકારને અનેક રજૂઆતો પણ કરી.  


સરકારે ટીઆરબી જવાનો મુદ્દે માર્યો યુ-ટર્ન 

મહત્વનું છે કે સરકારે છુટ્ટા કરવાનો નિર્ણય તો હાલ માટે મોકૂફ રાખ્યો છે પરંતુ અનેક શરતો પણ રાખી છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય. મહત્વનું છે કે રાજ્યમાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠતા સરકારે યુ-ટર્ન લીધો છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.