વિરોધ વધતા TRB જવાનોની હકાલપટ્ટીના નિર્ણયને સરકારે મોકૂફ રાખ્યો! Yuvrajsinhએ આપી પ્રતિક્રિયા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:04:37

ગુજરાતમાં એક તરફ અનેક લોકો નોકરીની શોધમાં છે તો બીજી તરફ ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની સાથે જ ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળ્યો હતો. આંદોલન કરી પોતાનો વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પણ જાણે તેમના આંદોલન સામે ઝૂકી. આંદોલન વધારે વધે તે પહેલા જ સરકારે ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો.  આ મામલે યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.  

રાજ્ય સરકારના નિર્ણયને યુવરાજસિંહે આવકાર્યો 

TRB જવાનો મુદ્દે  ગાંધીનગરમાં ગઈકાલે ગૃહવિભાગની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં જ્યારે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા ત્યારે યુવરાજસિંહ ત્યાં તેમના સમર્થનમાં પહોંચ્યા હતા. ટીઆરબીના જવાનોના સમર્થનમાં આવી તેમણે નિવેદન આપ્યું હતું. ટીઆરબી જવાનોના હિતમાં સરકારે નિર્ણય લીધો તે બાદ યુવરાજસિંહે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકારને અનેક રજૂઆતો પણ કરી.  


સરકારે ટીઆરબી જવાનો મુદ્દે માર્યો યુ-ટર્ન 

મહત્વનું છે કે સરકારે છુટ્ટા કરવાનો નિર્ણય તો હાલ માટે મોકૂફ રાખ્યો છે પરંતુ અનેક શરતો પણ રાખી છે તેવું લાગી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે નિયમ ભંગ કરનાર જવાનોને પરત નહી લેવાય તથા શિસ્ત ભંગના કેસોમાં પણ જવાનોને પરત નહી લેવાય. મહત્વનું છે કે રાજ્યમાં ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠતા સરકારે યુ-ટર્ન લીધો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.