વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરને લઈ સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, હવે પહેલા આ જગ્યાઓ પર લગાવાશે સ્માર્ટ મીટર..


  • Published By :
  • Published Date : 2024-05-22 16:02:43

સ્માર્ટ મીટરનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે.. સ્માર્ટ મીટરને લઈ હોબાળો પણ થઈ રહ્યો છે, અનેક વીડિયો આપણી સામે છે.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને સ્માર્ટ મીટરનું ચેકિંગ કરવામાં આવશે..   



સ્માર્ટ મીટર અંગે થયેલી ગેરસમજને દૂર કરવા સરકારના પ્રયત્નો

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ લોકો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.. સ્માર્ટ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે.. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે.. સ્માર્ટ મીટર પણ જેમ મોબાઈલ કામ કરે છે તેમ કામ કરે છે.. પહેલા રિચાર્જ કરવાનું અને પછી વાપરવાનું... કયા કલાકમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થઈ તે અંગેની માહિતી મળી શકે છે.. સ્માર્ટ મીટર માટે થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  


સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર 

ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે જૂનું મીટર પણ સ્માર્ટ મીટરની સાથે રાખવામાં આવશે જેને લઈ લોકોમાં વિશ્વાસ બેસે અને આજે એવી માહિતી સામે આવી છે કે સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લાગશે... તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.. ઓફિસોમાં મીટર લગાવીને ટેસ્ટ કરવામાં આવશે...જો આ પ્રયોગ સફળ થશે તો ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે... ઉર્જા વિભાગના એમડી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં.. કોઈને સ્માર્ટ મીટર મામલે જબરદસ્તી કરવામાં આવશે નહીં..  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.