વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરને લઈ સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, હવે પહેલા આ જગ્યાઓ પર લગાવાશે સ્માર્ટ મીટર..


  • Published By :
  • Published Date : 2024-05-22 16:02:43

સ્માર્ટ મીટરનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે.. સ્માર્ટ મીટરને લઈ હોબાળો પણ થઈ રહ્યો છે, અનેક વીડિયો આપણી સામે છે.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને સ્માર્ટ મીટરનું ચેકિંગ કરવામાં આવશે..   



સ્માર્ટ મીટર અંગે થયેલી ગેરસમજને દૂર કરવા સરકારના પ્રયત્નો

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ લોકો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.. સ્માર્ટ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે.. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે.. સ્માર્ટ મીટર પણ જેમ મોબાઈલ કામ કરે છે તેમ કામ કરે છે.. પહેલા રિચાર્જ કરવાનું અને પછી વાપરવાનું... કયા કલાકમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થઈ તે અંગેની માહિતી મળી શકે છે.. સ્માર્ટ મીટર માટે થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  


સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર 

ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે જૂનું મીટર પણ સ્માર્ટ મીટરની સાથે રાખવામાં આવશે જેને લઈ લોકોમાં વિશ્વાસ બેસે અને આજે એવી માહિતી સામે આવી છે કે સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લાગશે... તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.. ઓફિસોમાં મીટર લગાવીને ટેસ્ટ કરવામાં આવશે...જો આ પ્રયોગ સફળ થશે તો ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે... ઉર્જા વિભાગના એમડી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં.. કોઈને સ્માર્ટ મીટર મામલે જબરદસ્તી કરવામાં આવશે નહીં..  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.