વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરને લઈ સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, હવે પહેલા આ જગ્યાઓ પર લગાવાશે સ્માર્ટ મીટર..


  • Published By :
  • Published Date : 2024-05-22 16:02:43

સ્માર્ટ મીટરનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે.. સ્માર્ટ મીટરને લઈ હોબાળો પણ થઈ રહ્યો છે, અનેક વીડિયો આપણી સામે છે.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને સ્માર્ટ મીટરનું ચેકિંગ કરવામાં આવશે..   



સ્માર્ટ મીટર અંગે થયેલી ગેરસમજને દૂર કરવા સરકારના પ્રયત્નો

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ લોકો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.. સ્માર્ટ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે.. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે.. સ્માર્ટ મીટર પણ જેમ મોબાઈલ કામ કરે છે તેમ કામ કરે છે.. પહેલા રિચાર્જ કરવાનું અને પછી વાપરવાનું... કયા કલાકમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થઈ તે અંગેની માહિતી મળી શકે છે.. સ્માર્ટ મીટર માટે થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  


સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર 

ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે જૂનું મીટર પણ સ્માર્ટ મીટરની સાથે રાખવામાં આવશે જેને લઈ લોકોમાં વિશ્વાસ બેસે અને આજે એવી માહિતી સામે આવી છે કે સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લાગશે... તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.. ઓફિસોમાં મીટર લગાવીને ટેસ્ટ કરવામાં આવશે...જો આ પ્રયોગ સફળ થશે તો ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે... ઉર્જા વિભાગના એમડી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં.. કોઈને સ્માર્ટ મીટર મામલે જબરદસ્તી કરવામાં આવશે નહીં..  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.