વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરને લઈ સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, હવે પહેલા આ જગ્યાઓ પર લગાવાશે સ્માર્ટ મીટર..


  • Published By :
  • Published Date : 2024-05-22 16:02:43

સ્માર્ટ મીટરનો વિરોધ અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવે છે.. સ્માર્ટ મીટરને લઈ હોબાળો પણ થઈ રહ્યો છે, અનેક વીડિયો આપણી સામે છે.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને સ્માર્ટ મીટરનું ચેકિંગ કરવામાં આવશે..   



સ્માર્ટ મીટર અંગે થયેલી ગેરસમજને દૂર કરવા સરકારના પ્રયત્નો

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ લોકો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.. સ્માર્ટ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે.. લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. વિરોધના અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે.. સ્માર્ટ મીટર પણ જેમ મોબાઈલ કામ કરે છે તેમ કામ કરે છે.. પહેલા રિચાર્જ કરવાનું અને પછી વાપરવાનું... કયા કલાકમાં કેટલા યુનિટ કન્ઝ્યુમ થઈ તે અંગેની માહિતી મળી શકે છે.. સ્માર્ટ મીટર માટે થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  


સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર 

ગઈકાલે એવી માહિતી સામે આવી હતી કે જૂનું મીટર પણ સ્માર્ટ મીટરની સાથે રાખવામાં આવશે જેને લઈ લોકોમાં વિશ્વાસ બેસે અને આજે એવી માહિતી સામે આવી છે કે સરકારી કચેરીઓમાં હવે સ્માર્ટ મીટર લાગશે... તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.. ઓફિસોમાં મીટર લગાવીને ટેસ્ટ કરવામાં આવશે...જો આ પ્રયોગ સફળ થશે તો ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે... ઉર્જા વિભાગના એમડી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે કોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં.. કોઈને સ્માર્ટ મીટર મામલે જબરદસ્તી કરવામાં આવશે નહીં..  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે