મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજને લઈ આપ્યું વિવાદીત નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-20 11:40:27

શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને વંદનીય અને પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજ અંગે ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા.

  

શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા - રાજ્યપાલ કોશ્યારી

પોતાના નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા તે સમયે જો કોઈ  અમારા આદર્શ વિશે પૂછતા તો અમે જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ. અથવા તો મહાત્મા ગાંધીને પસંદ કરતા અને તેમના નામ જણાવતા. પરંતુ આજકાલની જનરેશનને દુર જવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાંથી જ અનેક પસંદગીગા નેતાઓ મળી રહેશે. શિવાજી જૂના જમાનાના આદર્શ હતા નવા યુગમાં ડો.આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી રહેશે.

 

આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી 

ઔરંગાબાદના બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટિમાં આયોજીત પદવીદાન સમારોહમાં રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને શરદ પવારને માનદ ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.