મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજને લઈ આપ્યું વિવાદીત નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-20 11:40:27

શનિવારે એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને વંદનીય અને પૂજનીય માનવામાં આવે છે. ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજ અંગે ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા.

  

શિવાજી મહારાજ જૂના યુગના આદર્શ હતા - રાજ્યપાલ કોશ્યારી

પોતાના નિવેદનમાં રાજ્યપાલે કહ્યું કે જ્યારે તેઓ સ્કુલમાં ભણતા હતા તે સમયે જો કોઈ  અમારા આદર્શ વિશે પૂછતા તો અમે જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ. અથવા તો મહાત્મા ગાંધીને પસંદ કરતા અને તેમના નામ જણાવતા. પરંતુ આજકાલની જનરેશનને દુર જવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાંથી જ અનેક પસંદગીગા નેતાઓ મળી રહેશે. શિવાજી જૂના જમાનાના આદર્શ હતા નવા યુગમાં ડો.આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી રહેશે.

 

આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી 

ઔરંગાબાદના બાબા સાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટિમાં આયોજીત પદવીદાન સમારોહમાં રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને શરદ પવારને માનદ ઉપાધીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ રાજ્યપાલના રાજીનામાની માગ કરી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.