મોદી અટક બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટ આજે સંભળાવશે પોતાનો નિર્ણય, રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો આજે થશે ફેસલો!


  • Published By :
  • Published Date : 2023-07-07 11:06:07

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હતા. સુરત કોર્ટ દ્વારા આપેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. જેનો ચૂકાદો આજે સંભળાવવામાં આવશે.  ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલ બે વર્ષની સજાના કારણે રાહુલ ગાંધીએ સંસદ સભ્ય પદ ગુમાવ્યું હતું. મહત્વનું છે કે હાઈકોર્ટમાં ચાલતા ઉનાળા વેકેશનને કારણે આ ચૂકાદો મોડો સંભળાવવામાં આવી રહ્યો છે. 


અભિષેક મનુ સિંઘવીએ કરી હતી દલીલ

રાહુલ ગાંધી વતી હાઈકોર્ટમાં હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે દલીલ કરતા કહ્યું હતું કે વડાપ્રધાનની અટક 'મોદી' છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે, પણ એ આ ફરિયાદનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈનું મન દુભાયું નહિ, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુઃખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકસાશન થઈ રહ્યું છે. સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.


શું હતો સમગ્ર મામલો?

જો મોદી સરનેમ કેસની વાત કરીએ તો કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો અને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. એની સામે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સ્ટે માગતી રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાંકરવામાં આવી હતી. આ મામલે સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો.  મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય રહેલું છે! 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.