તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આ કારણોસર ટળી સુનાવણી, હવે આ તારીખે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-08-04 16:13:25

થોડા દિવસો સુધી જે કેસની ચર્ચા થઈ તે કેસ છે તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત વિશે. એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ પોતાના જીવને ગુમાવ્યા હતા. તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તથ્યકાંડમાં એક નવી અપડેટ આવી છે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે આજે જામીન મામલે સુનાવણી થવાની હતી. પરંતુ તપાસ અધિકારી, સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી થઈ ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશને વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. આગામી સુનાવણી કોર્ટ 6 ઓગસ્ટે હાથ ધરશે.


અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો હતો વાયરલ 

અમે અનેક વખત કહેતા હોઈએ છીએ કે તથ્ય કરતા પણ વધારે જવાબદાર આ કેસમાં કોઈ હોય તો તે છે તથ્યના પિતા. અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કહેતા સંભળાય છે કે નાના બાળકોથી તો આવું થાય. તથ્ય પટેલના ગુન્હામાં પ્રજ્ઞેશ પટેલ પણ ગુન્હામાં અર્ધો ભાગીદાર છે. હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અમદાવાદ પોલીસ દ્વારા અવાજને કન્ફર્મ કરવા માટે પ્રજ્ઞેશનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


પ્રજ્ઞેશ પટેલ હાલ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં! 

પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પણ જો તથ્યના પિતાએ તે સમયે પોતાના લાડલાને રોકી લીધો હોત તો અનેક માંઓએ પોતાના દીકરા ગુમાવવા ન પડ્યા હોય. તમારા બાળકોને ખોટું પ્રોત્સાહન આપવાનું બંધ કરો કારણ કે એમની એક નાની ભૂલ ઘણા બધા પરિવારને બર્બાદ કરી દેતા હોય છે. માં બાપની સૌથી મોટી ભૂલ છે કે એ પોતાના નબીરા પર લગામ કસવાનું ભૂલી ગયા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી