તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આ કારણોસર ટળી સુનાવણી, હવે આ તારીખે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-08-04 16:13:25

થોડા દિવસો સુધી જે કેસની ચર્ચા થઈ તે કેસ છે તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત વિશે. એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ પોતાના જીવને ગુમાવ્યા હતા. તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તથ્યકાંડમાં એક નવી અપડેટ આવી છે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે આજે જામીન મામલે સુનાવણી થવાની હતી. પરંતુ તપાસ અધિકારી, સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી થઈ ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશને વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. આગામી સુનાવણી કોર્ટ 6 ઓગસ્ટે હાથ ધરશે.


અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો હતો વાયરલ 

અમે અનેક વખત કહેતા હોઈએ છીએ કે તથ્ય કરતા પણ વધારે જવાબદાર આ કેસમાં કોઈ હોય તો તે છે તથ્યના પિતા. અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કહેતા સંભળાય છે કે નાના બાળકોથી તો આવું થાય. તથ્ય પટેલના ગુન્હામાં પ્રજ્ઞેશ પટેલ પણ ગુન્હામાં અર્ધો ભાગીદાર છે. હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અમદાવાદ પોલીસ દ્વારા અવાજને કન્ફર્મ કરવા માટે પ્રજ્ઞેશનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


પ્રજ્ઞેશ પટેલ હાલ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં! 

પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પણ જો તથ્યના પિતાએ તે સમયે પોતાના લાડલાને રોકી લીધો હોત તો અનેક માંઓએ પોતાના દીકરા ગુમાવવા ન પડ્યા હોય. તમારા બાળકોને ખોટું પ્રોત્સાહન આપવાનું બંધ કરો કારણ કે એમની એક નાની ભૂલ ઘણા બધા પરિવારને બર્બાદ કરી દેતા હોય છે. માં બાપની સૌથી મોટી ભૂલ છે કે એ પોતાના નબીરા પર લગામ કસવાનું ભૂલી ગયા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.