તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આ કારણોસર ટળી સુનાવણી, હવે આ તારીખે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-08-04 16:13:25

થોડા દિવસો સુધી જે કેસની ચર્ચા થઈ તે કેસ છે તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માત વિશે. એ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ પોતાના જીવને ગુમાવ્યા હતા. તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. તથ્યકાંડમાં એક નવી અપડેટ આવી છે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે આજે જામીન મામલે સુનાવણી થવાની હતી. પરંતુ તપાસ અધિકારી, સરકારી બંદોબસ્તના કામમાં હોવાથી સુનાવણી થઈ ટળી ગઈ છે. હવે પ્રજ્ઞેશને વધુ ત્રણ દિવસ જેલમાં જ રહેવું પડશે. આગામી સુનાવણી કોર્ટ 6 ઓગસ્ટે હાથ ધરશે.


અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો ઓડિયો ક્લીપ થયો હતો વાયરલ 

અમે અનેક વખત કહેતા હોઈએ છીએ કે તથ્ય કરતા પણ વધારે જવાબદાર આ કેસમાં કોઈ હોય તો તે છે તથ્યના પિતા. અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કહેતા સંભળાય છે કે નાના બાળકોથી તો આવું થાય. તથ્ય પટેલના ગુન્હામાં પ્રજ્ઞેશ પટેલ પણ ગુન્હામાં અર્ધો ભાગીદાર છે. હાલ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી અમદાવાદ પોલીસ દ્વારા અવાજને કન્ફર્મ કરવા માટે પ્રજ્ઞેશનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


પ્રજ્ઞેશ પટેલ હાલ છે જ્યુડિશિયલ કસ્ટડીમાં! 

પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પણ જો તથ્યના પિતાએ તે સમયે પોતાના લાડલાને રોકી લીધો હોત તો અનેક માંઓએ પોતાના દીકરા ગુમાવવા ન પડ્યા હોય. તમારા બાળકોને ખોટું પ્રોત્સાહન આપવાનું બંધ કરો કારણ કે એમની એક નાની ભૂલ ઘણા બધા પરિવારને બર્બાદ કરી દેતા હોય છે. માં બાપની સૌથી મોટી ભૂલ છે કે એ પોતાના નબીરા પર લગામ કસવાનું ભૂલી ગયા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.