ગરમી પ્રાણઘાતક સાબિત થઈ! હીટસ્ટ્રોકને કારણે લોકો ગુમાવી રહ્યા છે જીવ! જાણો શું છે લૂ લાગવાના લક્ષણ અને બચવા શું કરવો જોઈએ ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-25 15:29:16

કાળઝાળ ગરમીની મૌસમ ચાલી રહી છે.. ગુજરાત જાણે અગનગોળામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાજ્યમાં એટલી બધી ગરમી વધી ગઈ છે કે ઘરની બહાર નિકળીએ તો ચામડી દાઝી જાય તેવી પરિસ્થિતિ છે.. ગરમીને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે તેમ ડિહાઈડ્રેશનનો પણ લોકો શિકાર બની રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે એક જ દિવસમાં ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે... તે સિવાય અનેક કેસ નોંધાયા છે જેને કારણે ચિંતાનો વિષય હીટ સ્ટ્રોક બન્યો છે.  


અસહ્ય ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

ગુજરાત સહિત દેશભરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. કાળઝાળ ગરમીનો મારો આપણે સહન કરવો પડી રહ્યો છે.. રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન છેલ્લા થોડા સમયથી વધારે નોંધાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું તે ઉપરાંત અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અસહ્ય વધતી જતી ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે અને અનેક લોકોના મોત નિપજી ચૂક્યા છે... ગરમીમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય ઉલ્ટી તેમજ ચક્કર ખાઈ પડી જવાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.... 


એક દિવસમાં થયા આટલા લોકોના મોત 

મળતી માહિતી અનુસાર માત્ર ગઈકાલે એટલે કે શુક્રવારે કાળઝાળ ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં સુરતથી 6 જેટલા કેસ સામે આવ્યા છે તો વડોદરાથી 9 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ 2 જેટલા લોકોના મોત થઈ ગયા તેવી માહિતી સામે આવી છે.. આ તો માત્ર એક જ દિવસની વાત થઈ અનેક લોકોના મોત અતિશય ગરમીને કારણે થઈ રહ્યા છે.. મહત્વનું છે કે ગરમીને લઈ વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે...



વધતી ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને ગરમી ના લાગે તેનું ધ્યાન રાખે. ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -


1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..


2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..


3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..


4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..


5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..


6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  


7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે






આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..



1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..


2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..


3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..




લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..


2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.


3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.




લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.