ગરમી પ્રાણઘાતક સાબિત થઈ! હીટસ્ટ્રોકને કારણે લોકો ગુમાવી રહ્યા છે જીવ! જાણો શું છે લૂ લાગવાના લક્ષણ અને બચવા શું કરવો જોઈએ ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-25 15:29:16

કાળઝાળ ગરમીની મૌસમ ચાલી રહી છે.. ગુજરાત જાણે અગનગોળામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાજ્યમાં એટલી બધી ગરમી વધી ગઈ છે કે ઘરની બહાર નિકળીએ તો ચામડી દાઝી જાય તેવી પરિસ્થિતિ છે.. ગરમીને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે તેમ ડિહાઈડ્રેશનનો પણ લોકો શિકાર બની રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે એક જ દિવસમાં ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે... તે સિવાય અનેક કેસ નોંધાયા છે જેને કારણે ચિંતાનો વિષય હીટ સ્ટ્રોક બન્યો છે.  


અસહ્ય ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

ગુજરાત સહિત દેશભરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. કાળઝાળ ગરમીનો મારો આપણે સહન કરવો પડી રહ્યો છે.. રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન છેલ્લા થોડા સમયથી વધારે નોંધાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું તે ઉપરાંત અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અસહ્ય વધતી જતી ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે અને અનેક લોકોના મોત નિપજી ચૂક્યા છે... ગરમીમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય ઉલ્ટી તેમજ ચક્કર ખાઈ પડી જવાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.... 


એક દિવસમાં થયા આટલા લોકોના મોત 

મળતી માહિતી અનુસાર માત્ર ગઈકાલે એટલે કે શુક્રવારે કાળઝાળ ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં સુરતથી 6 જેટલા કેસ સામે આવ્યા છે તો વડોદરાથી 9 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ 2 જેટલા લોકોના મોત થઈ ગયા તેવી માહિતી સામે આવી છે.. આ તો માત્ર એક જ દિવસની વાત થઈ અનેક લોકોના મોત અતિશય ગરમીને કારણે થઈ રહ્યા છે.. મહત્વનું છે કે ગરમીને લઈ વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે...



વધતી ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને ગરમી ના લાગે તેનું ધ્યાન રાખે. ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -


1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..


2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..


3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..


4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..


5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..


6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  


7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે






આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..



1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..


2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..


3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..




લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..


2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.


3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.




લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે