ગરમી પ્રાણઘાતક સાબિત થઈ! હીટસ્ટ્રોકને કારણે લોકો ગુમાવી રહ્યા છે જીવ! જાણો શું છે લૂ લાગવાના લક્ષણ અને બચવા શું કરવો જોઈએ ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-25 15:29:16

કાળઝાળ ગરમીની મૌસમ ચાલી રહી છે.. ગુજરાત જાણે અગનગોળામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. રાજ્યમાં એટલી બધી ગરમી વધી ગઈ છે કે ઘરની બહાર નિકળીએ તો ચામડી દાઝી જાય તેવી પરિસ્થિતિ છે.. ગરમીને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે તેમ ડિહાઈડ્રેશનનો પણ લોકો શિકાર બની રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે એક જ દિવસમાં ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે... તે સિવાય અનેક કેસ નોંધાયા છે જેને કારણે ચિંતાનો વિષય હીટ સ્ટ્રોક બન્યો છે.  


અસહ્ય ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

ગુજરાત સહિત દેશભરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. કાળઝાળ ગરમીનો મારો આપણે સહન કરવો પડી રહ્યો છે.. રાજ્યના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન છેલ્લા થોડા સમયથી વધારે નોંધાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા તાપમાન 47 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું તે ઉપરાંત અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અસહ્ય વધતી જતી ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે અને અનેક લોકોના મોત નિપજી ચૂક્યા છે... ગરમીમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય ઉલ્ટી તેમજ ચક્કર ખાઈ પડી જવાના કિસ્સાઓમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.... 


એક દિવસમાં થયા આટલા લોકોના મોત 

મળતી માહિતી અનુસાર માત્ર ગઈકાલે એટલે કે શુક્રવારે કાળઝાળ ગરમીને કારણે 17 જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં સુરતથી 6 જેટલા કેસ સામે આવ્યા છે તો વડોદરાથી 9 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં પણ 2 જેટલા લોકોના મોત થઈ ગયા તેવી માહિતી સામે આવી છે.. આ તો માત્ર એક જ દિવસની વાત થઈ અનેક લોકોના મોત અતિશય ગરમીને કારણે થઈ રહ્યા છે.. મહત્વનું છે કે ગરમીને લઈ વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી માહિતી સામે આવી છે...



વધતી ગરમીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને ગરમી ના લાગે તેનું ધ્યાન રાખે. ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -


1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..


2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..


3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..


4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..


5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..


6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  


7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે






આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..



1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..


2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..


3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..




લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..


2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.


3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.




લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે