બારડોલી કન્યા શાળામાં જોવા મળી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! વિદ્યાર્થીની બીમાર પડતા બોલાવાયા તાંત્રિક બાબાને!


  • Published By :
  • Published Date : 2023-03-03 15:14:45

એક તરફ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તો બીજી તરફ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સુરત જિલ્લાના બોરડોલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાની બદલીમાં ભૂવાને બોલાવામાં આવે છે. બારડોલીમાં આવેલી કન્યા છાત્રાલયમાં આ ઘટના બની છે જેમાં વિદ્યાર્થીનીની રાત્રે તબિયત બગડતા આચાર્યે ડોક્ટરને બોલાવવાની જગ્યાએ તાંત્રિક બાબાને બોલાવ્યો હતો. વિદ્યાર્થીનીના હાથમાં દોરો બાંધવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગૃહમાતાએ તમામ વિદ્યાર્થીનીઓના હાથમાં પણ દોરો બંધાવી દીધો હતો.  


બીમાર પડતા ડોક્ટરની જગ્યાએ બોલાવાયા તાંત્રિક બાબાને      

અંધશ્રદ્ધાનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ત્યારે બારડોલીથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની બીમાર પડી તો તેને ડોક્ટરની પાસે લઈ જવાની બદલીમાં તાંત્રિક બાબા પાસે લઈ જવામાં આવી. બારડોલીના મઢી ગામમાં આવેલી એક આશ્રમશાળામાં વિદ્યાર્થીનીની અચાનક રાત્રે તબિયત બગડી હતી. સારવાર કરાવાને બદલે ગૃહમાતાએ તાંત્રિક બાબાને બોલાવ્યા અને પીંછી નંખાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે ન માત્ર બીમાર પડેલી વિદ્યાર્થીનીને દોરો બંધાવ્યો પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થીની બીમાર ન પડે તે માટે તેમને પણ દોરો પહેરાવી દેવામાં આવ્યો. આ આશ્રમશાળામાં 140 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.          


ભૂતનો પડછાયો છે તેમ કહી ભૂવાએ કરી વિધિ  

આશ્રમશાળામાં આવેલા બાબાએ કહ્યું કે આ વિદ્યાર્થીની પર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછીં નાંખીને વિધિ કરવી પડશે. જે બાદ વિદ્યાર્થીની પર વિધિ કરવામાં આવી હતી. સાથે જ આશ્રમ શાળામાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ પર પણ પીંછી નાંખવામાં  આવી ઉપરાંત દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્નએ થાય કે ક્યાં સુધી અંધશ્રદ્ધાને નામે આવી વિધિઓ થતી રહેશે. ક્યાં સુધી ડોક્ટરોને કન્સલ્ટ કરવાની જગ્યાએ બાબા પાસે જવામાં આવશે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.