બારડોલી કન્યા શાળામાં જોવા મળી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! વિદ્યાર્થીની બીમાર પડતા બોલાવાયા તાંત્રિક બાબાને!


  • Published By :
  • Published Date : 2023-03-03 15:14:45

એક તરફ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તો બીજી તરફ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સુરત જિલ્લાના બોરડોલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાની બદલીમાં ભૂવાને બોલાવામાં આવે છે. બારડોલીમાં આવેલી કન્યા છાત્રાલયમાં આ ઘટના બની છે જેમાં વિદ્યાર્થીનીની રાત્રે તબિયત બગડતા આચાર્યે ડોક્ટરને બોલાવવાની જગ્યાએ તાંત્રિક બાબાને બોલાવ્યો હતો. વિદ્યાર્થીનીના હાથમાં દોરો બાંધવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગૃહમાતાએ તમામ વિદ્યાર્થીનીઓના હાથમાં પણ દોરો બંધાવી દીધો હતો.  


બીમાર પડતા ડોક્ટરની જગ્યાએ બોલાવાયા તાંત્રિક બાબાને      

અંધશ્રદ્ધાનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ત્યારે બારડોલીથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની બીમાર પડી તો તેને ડોક્ટરની પાસે લઈ જવાની બદલીમાં તાંત્રિક બાબા પાસે લઈ જવામાં આવી. બારડોલીના મઢી ગામમાં આવેલી એક આશ્રમશાળામાં વિદ્યાર્થીનીની અચાનક રાત્રે તબિયત બગડી હતી. સારવાર કરાવાને બદલે ગૃહમાતાએ તાંત્રિક બાબાને બોલાવ્યા અને પીંછી નંખાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે ન માત્ર બીમાર પડેલી વિદ્યાર્થીનીને દોરો બંધાવ્યો પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થીની બીમાર ન પડે તે માટે તેમને પણ દોરો પહેરાવી દેવામાં આવ્યો. આ આશ્રમશાળામાં 140 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.          


ભૂતનો પડછાયો છે તેમ કહી ભૂવાએ કરી વિધિ  

આશ્રમશાળામાં આવેલા બાબાએ કહ્યું કે આ વિદ્યાર્થીની પર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછીં નાંખીને વિધિ કરવી પડશે. જે બાદ વિદ્યાર્થીની પર વિધિ કરવામાં આવી હતી. સાથે જ આશ્રમ શાળામાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ પર પણ પીંછી નાંખવામાં  આવી ઉપરાંત દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્નએ થાય કે ક્યાં સુધી અંધશ્રદ્ધાને નામે આવી વિધિઓ થતી રહેશે. ક્યાં સુધી ડોક્ટરોને કન્સલ્ટ કરવાની જગ્યાએ બાબા પાસે જવામાં આવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.