હકુભા જાડેજા સામે જૂના કેસમાં હાઈકોર્ટ કાર્યવાહી કરશે


  • Published By :
  • Published Date : 2022-11-09 20:26:28

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવું અત્યાર સુધી લાગી નહોતું રહ્યું પણ ભાજપની યાદી જાહેર થવાના સમાચાર સાથે જ બે દિવસથી સતત રાજકીય સમાચારોના બોમ્બ ફૂટી રહ્યા છે. એક બાદ એક સમાચારો વચ્ચે જામનગર ઉત્તર માટે હકુભા જાડેજાનું પત્તુ કપાઈ શકે છે કારણ કે વર્ષ 2007ની જૂની મારામારીના કેસમાં તેમની સામે હાઈકોર્ટમાં પ્રોસિક્યૂશનનો કેસ ચાલશે. 


હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ

ગુજરાત હાઈકોર્ટે 2007ના ફોજદારી કેસમાં કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે ઈન્કાર કર્યો છે. વર્ષ 2007માં હકુભા જાડેજાએ ખાનગી કંપનીના અધિકારી સાથે સશસ્ત્ર ઝપાઝપીમાં અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશના કારણે હવે હકુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવશે. 


થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જામનગર મતવિસ્તાર માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ ઉમેદવારને ટિકિટ નકારવાની ટ્વિટ પણ કરી હતી. જો કે હવે જામનગર ઉત્તરમાં હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.