હકુભા જાડેજા સામે જૂના કેસમાં હાઈકોર્ટ કાર્યવાહી કરશે


  • Published By :
  • Published Date : 2022-11-09 20:26:28

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવું અત્યાર સુધી લાગી નહોતું રહ્યું પણ ભાજપની યાદી જાહેર થવાના સમાચાર સાથે જ બે દિવસથી સતત રાજકીય સમાચારોના બોમ્બ ફૂટી રહ્યા છે. એક બાદ એક સમાચારો વચ્ચે જામનગર ઉત્તર માટે હકુભા જાડેજાનું પત્તુ કપાઈ શકે છે કારણ કે વર્ષ 2007ની જૂની મારામારીના કેસમાં તેમની સામે હાઈકોર્ટમાં પ્રોસિક્યૂશનનો કેસ ચાલશે. 


હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ

ગુજરાત હાઈકોર્ટે 2007ના ફોજદારી કેસમાં કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે ઈન્કાર કર્યો છે. વર્ષ 2007માં હકુભા જાડેજાએ ખાનગી કંપનીના અધિકારી સાથે સશસ્ત્ર ઝપાઝપીમાં અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશના કારણે હવે હકુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવશે. 


થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જામનગર મતવિસ્તાર માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ ઉમેદવારને ટિકિટ નકારવાની ટ્વિટ પણ કરી હતી. જો કે હવે જામનગર ઉત્તરમાં હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.