હકુભા જાડેજા સામે જૂના કેસમાં હાઈકોર્ટ કાર્યવાહી કરશે


  • Published By :
  • Published Date : 2022-11-09 20:26:28

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવું અત્યાર સુધી લાગી નહોતું રહ્યું પણ ભાજપની યાદી જાહેર થવાના સમાચાર સાથે જ બે દિવસથી સતત રાજકીય સમાચારોના બોમ્બ ફૂટી રહ્યા છે. એક બાદ એક સમાચારો વચ્ચે જામનગર ઉત્તર માટે હકુભા જાડેજાનું પત્તુ કપાઈ શકે છે કારણ કે વર્ષ 2007ની જૂની મારામારીના કેસમાં તેમની સામે હાઈકોર્ટમાં પ્રોસિક્યૂશનનો કેસ ચાલશે. 


હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ

ગુજરાત હાઈકોર્ટે 2007ના ફોજદારી કેસમાં કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે ઈન્કાર કર્યો છે. વર્ષ 2007માં હકુભા જાડેજાએ ખાનગી કંપનીના અધિકારી સાથે સશસ્ત્ર ઝપાઝપીમાં અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશના કારણે હવે હકુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવશે. 


થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જામનગર મતવિસ્તાર માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ ઉમેદવારને ટિકિટ નકારવાની ટ્વિટ પણ કરી હતી. જો કે હવે જામનગર ઉત્તરમાં હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"