હકુભા જાડેજા સામે જૂના કેસમાં હાઈકોર્ટ કાર્યવાહી કરશે


  • Published By :
  • Published Date : 2022-11-09 20:26:28

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી છે તેવું અત્યાર સુધી લાગી નહોતું રહ્યું પણ ભાજપની યાદી જાહેર થવાના સમાચાર સાથે જ બે દિવસથી સતત રાજકીય સમાચારોના બોમ્બ ફૂટી રહ્યા છે. એક બાદ એક સમાચારો વચ્ચે જામનગર ઉત્તર માટે હકુભા જાડેજાનું પત્તુ કપાઈ શકે છે કારણ કે વર્ષ 2007ની જૂની મારામારીના કેસમાં તેમની સામે હાઈકોર્ટમાં પ્રોસિક્યૂશનનો કેસ ચાલશે. 


હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ

ગુજરાત હાઈકોર્ટે 2007ના ફોજદારી કેસમાં કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે ઈન્કાર કર્યો છે. વર્ષ 2007માં હકુભા જાડેજાએ ખાનગી કંપનીના અધિકારી સાથે સશસ્ત્ર ઝપાઝપીમાં અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશના કારણે હવે હકુભા જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવશે. 


થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જામનગર મતવિસ્તાર માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ ઉમેદવારને ટિકિટ નકારવાની ટ્વિટ પણ કરી હતી. જો કે હવે જામનગર ઉત્તરમાં હકુભાનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.