આવી ગઈ ગરમીની મૌસમ! Gujaratના અનેક શહેરોમાં વધ્યો તાપમાનનો પારો, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-10-03 11:09:58

આપણે હમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ કે ભાદરવો ભરપૂર.. એટલે કે ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસ્તો હોય છે. પરંતુ હવે ભાદરવા મહિનામાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે.  હમણાં ભલે ચોમાસાની સિઝન ચાલી રહી હોય પરંતુ અહેસાસ ઉનાળાનો થઈ રહ્યો છે. રાજ્યમાં ભલે સરેરાશ 100 ટકાથી વધુનો વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ ઠંડક નથી થઈ. થોડા દિવસો બાદ વરસાદ વિદાય લઈ લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું છે. 

Will It Rain In Ahmedabad Due To The Impact Of The Storm? Know The Weather  Forecast | Cyclone Biparjoy: વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો  હવામાન વિભાગની આગાહી

થોડા દિવસ આવું વાતાવરણ રહેશે યથાવત!

આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં છેલ્લા અનેક દિવસોથી બપોરે ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે. ગરમી વધવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું : દાયકામાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી | Ahmedabad  scorched at 44 degrees: Aprils hottest in a decade

અનેક શહેરોમાં વધ્યો ગરમીનો પારો  

ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ ગરમીએ માઝા મૂકી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય દિવસો કરતા પણ હાલ ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સોમવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. 

Gujarat Weather Update : ગુજરાતમાં ગરમી વધી, ભુજમાં 40 ડિગ્રી સાથે 71  વર્ષનો રેકોર્ડ તૂટ્યો,  gujarat-weather-update-bhuj-recorded-highest-temperature-after-71-years-with-40-degrees-weather-change-in  ...

ગરમી વધતા લોકો થયા પરેશાન 

અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક ભાગોમાં તાપમાન ડ્રાય રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તાપમાન ડ્રાય રહેશે. 

વધતી જતી ગરમી વચ્ચે રાજકોટમાં રોગચાળો બેકાબુ ! - રાજકોટ મિરર

અમદાવાદમાં વધ્યું રોગચાળાનું પ્રમાણ

અમદાવાદમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ સાંજે વાતાવરણ ગુલાબી હોય છે પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અમદાવાદમાં બે ઋતુનો અનુભવ એક સાથે થતાં રોગચાળાનો ખતરો પણ વધ્યો છે. રોગચાળો વકરી રહ્યો છે. 


અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી 

ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે. તેમની આગાહી અનુસાર પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ વિધ્ન પાડી શકે છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની મોસમ જામશે. નવરાત્રીમાં વરસાદની આગાહી થતા ખેલૈયાઓ નિરાશ થયા છે તે ઉપરાંત મેચ રસિકો પણ નિરાશ થયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.