આવી ગઈ ગરમીની મૌસમ! Gujaratના અનેક શહેરોમાં વધ્યો તાપમાનનો પારો, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-10-03 11:09:58

આપણે હમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ કે ભાદરવો ભરપૂર.. એટલે કે ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસ્તો હોય છે. પરંતુ હવે ભાદરવા મહિનામાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે.  હમણાં ભલે ચોમાસાની સિઝન ચાલી રહી હોય પરંતુ અહેસાસ ઉનાળાનો થઈ રહ્યો છે. રાજ્યમાં ભલે સરેરાશ 100 ટકાથી વધુનો વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ ઠંડક નથી થઈ. થોડા દિવસો બાદ વરસાદ વિદાય લઈ લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું છે. 

Will It Rain In Ahmedabad Due To The Impact Of The Storm? Know The Weather  Forecast | Cyclone Biparjoy: વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો  હવામાન વિભાગની આગાહી

થોડા દિવસ આવું વાતાવરણ રહેશે યથાવત!

આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં છેલ્લા અનેક દિવસોથી બપોરે ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે. ગરમી વધવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું : દાયકામાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી | Ahmedabad  scorched at 44 degrees: Aprils hottest in a decade

અનેક શહેરોમાં વધ્યો ગરમીનો પારો  

ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ ગરમીએ માઝા મૂકી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય દિવસો કરતા પણ હાલ ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સોમવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. 

Gujarat Weather Update : ગુજરાતમાં ગરમી વધી, ભુજમાં 40 ડિગ્રી સાથે 71  વર્ષનો રેકોર્ડ તૂટ્યો,  gujarat-weather-update-bhuj-recorded-highest-temperature-after-71-years-with-40-degrees-weather-change-in  ...

ગરમી વધતા લોકો થયા પરેશાન 

અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક ભાગોમાં તાપમાન ડ્રાય રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તાપમાન ડ્રાય રહેશે. 

વધતી જતી ગરમી વચ્ચે રાજકોટમાં રોગચાળો બેકાબુ ! - રાજકોટ મિરર

અમદાવાદમાં વધ્યું રોગચાળાનું પ્રમાણ

અમદાવાદમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ સાંજે વાતાવરણ ગુલાબી હોય છે પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અમદાવાદમાં બે ઋતુનો અનુભવ એક સાથે થતાં રોગચાળાનો ખતરો પણ વધ્યો છે. રોગચાળો વકરી રહ્યો છે. 


અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી 

ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે. તેમની આગાહી અનુસાર પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ વિધ્ન પાડી શકે છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની મોસમ જામશે. નવરાત્રીમાં વરસાદની આગાહી થતા ખેલૈયાઓ નિરાશ થયા છે તે ઉપરાંત મેચ રસિકો પણ નિરાશ થયા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.