આવી ગઈ ગરમીની મૌસમ! Gujaratના અનેક શહેરોમાં વધ્યો તાપમાનનો પારો, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-10-03 11:09:58

આપણે હમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ કે ભાદરવો ભરપૂર.. એટલે કે ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસ્તો હોય છે. પરંતુ હવે ભાદરવા મહિનામાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે.  હમણાં ભલે ચોમાસાની સિઝન ચાલી રહી હોય પરંતુ અહેસાસ ઉનાળાનો થઈ રહ્યો છે. રાજ્યમાં ભલે સરેરાશ 100 ટકાથી વધુનો વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ ઠંડક નથી થઈ. થોડા દિવસો બાદ વરસાદ વિદાય લઈ લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું છે. 

Will It Rain In Ahmedabad Due To The Impact Of The Storm? Know The Weather  Forecast | Cyclone Biparjoy: વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ? જાણો  હવામાન વિભાગની આગાહી

થોડા દિવસ આવું વાતાવરણ રહેશે યથાવત!

આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં છેલ્લા અનેક દિવસોથી બપોરે ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે. ગરમી વધવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

અમદાવાદ 44 ડિગ્રીમાં શેકાયું : દાયકામાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી | Ahmedabad  scorched at 44 degrees: Aprils hottest in a decade

અનેક શહેરોમાં વધ્યો ગરમીનો પારો  

ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ ગરમીએ માઝા મૂકી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય દિવસો કરતા પણ હાલ ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સોમવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. 

Gujarat Weather Update : ગુજરાતમાં ગરમી વધી, ભુજમાં 40 ડિગ્રી સાથે 71  વર્ષનો રેકોર્ડ તૂટ્યો,  gujarat-weather-update-bhuj-recorded-highest-temperature-after-71-years-with-40-degrees-weather-change-in  ...

ગરમી વધતા લોકો થયા પરેશાન 

અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક ભાગોમાં તાપમાન ડ્રાય રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તાપમાન ડ્રાય રહેશે. 

વધતી જતી ગરમી વચ્ચે રાજકોટમાં રોગચાળો બેકાબુ ! - રાજકોટ મિરર

અમદાવાદમાં વધ્યું રોગચાળાનું પ્રમાણ

અમદાવાદમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ સાંજે વાતાવરણ ગુલાબી હોય છે પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અમદાવાદમાં બે ઋતુનો અનુભવ એક સાથે થતાં રોગચાળાનો ખતરો પણ વધ્યો છે. રોગચાળો વકરી રહ્યો છે. 


અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી 

ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે. તેમની આગાહી અનુસાર પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ વિધ્ન પાડી શકે છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની મોસમ જામશે. નવરાત્રીમાં વરસાદની આગાહી થતા ખેલૈયાઓ નિરાશ થયા છે તે ઉપરાંત મેચ રસિકો પણ નિરાશ થયા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.