મોંઘવારીની અસર દેખાશે ઉત્તરાયણની ઉજવણી પર, પતંગ તેમજ દોરીના ભાવમાં થયો વધારો


  • Published By :
  • Published Date : 2022-12-22 14:05:42

રાજ્યભરમાં ઉત્તરાયણને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. પરંતુ આ વખતની પતંગ ચગાવું મોંઘુ પડી શકે છે. પતંગ તેમજ પતંગના દોરામાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. અંદાજીત પતંગ તેમજ દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. 


પતંગની સાથે ફિરકી પણ થઈ મોંઘી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ભાવ વધતા અનેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે પતંગ તેમજ તેની દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતંગ તેમજ દોરાના ભાવમાં વધારો આવતા પતંગ તેમજ દોરો મોંઘો થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે બોબીનના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. દોરાના ભાવમાં વધારો થતા ફિરકી પણ મોંઘી થઈ છે. ફિરકીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 


કાગળની રીમમાં તેમજ મજૂરીમાં પણ વધારો 

પંતગના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનના ભાવમાં અંદાજીત 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધતા વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ભાવ વધતા ઉત્તરાયણની ઉજવણી મોંઘી થઈ શકે છે. ઉપરાંત પતંગ બનાવાની મજૂરીમાં વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવામાં ઉપયોગી કાગળની રીમમાં પણ ભાવવધારો થયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.