મોંઘવારીની અસર દેખાશે ઉત્તરાયણની ઉજવણી પર, પતંગ તેમજ દોરીના ભાવમાં થયો વધારો


  • Published By :
  • Published Date : 2022-12-22 14:05:42

રાજ્યભરમાં ઉત્તરાયણને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. પરંતુ આ વખતની પતંગ ચગાવું મોંઘુ પડી શકે છે. પતંગ તેમજ પતંગના દોરામાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. અંદાજીત પતંગ તેમજ દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. 


પતંગની સાથે ફિરકી પણ થઈ મોંઘી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ભાવ વધતા અનેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે પતંગ તેમજ તેની દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતંગ તેમજ દોરાના ભાવમાં વધારો આવતા પતંગ તેમજ દોરો મોંઘો થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે બોબીનના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. દોરાના ભાવમાં વધારો થતા ફિરકી પણ મોંઘી થઈ છે. ફિરકીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 


કાગળની રીમમાં તેમજ મજૂરીમાં પણ વધારો 

પંતગના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનના ભાવમાં અંદાજીત 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધતા વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ભાવ વધતા ઉત્તરાયણની ઉજવણી મોંઘી થઈ શકે છે. ઉપરાંત પતંગ બનાવાની મજૂરીમાં વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવામાં ઉપયોગી કાગળની રીમમાં પણ ભાવવધારો થયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.