મોંઘવારીની અસર દેખાશે ઉત્તરાયણની ઉજવણી પર, પતંગ તેમજ દોરીના ભાવમાં થયો વધારો


  • Published By :
  • Published Date : 2022-12-22 14:05:42

રાજ્યભરમાં ઉત્તરાયણને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. પરંતુ આ વખતની પતંગ ચગાવું મોંઘુ પડી શકે છે. પતંગ તેમજ પતંગના દોરામાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. અંદાજીત પતંગ તેમજ દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. 


પતંગની સાથે ફિરકી પણ થઈ મોંઘી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ભાવ વધતા અનેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે પતંગ તેમજ તેની દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતંગ તેમજ દોરાના ભાવમાં વધારો આવતા પતંગ તેમજ દોરો મોંઘો થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે બોબીનના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. દોરાના ભાવમાં વધારો થતા ફિરકી પણ મોંઘી થઈ છે. ફિરકીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 


કાગળની રીમમાં તેમજ મજૂરીમાં પણ વધારો 

પંતગના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનના ભાવમાં અંદાજીત 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધતા વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ભાવ વધતા ઉત્તરાયણની ઉજવણી મોંઘી થઈ શકે છે. ઉપરાંત પતંગ બનાવાની મજૂરીમાં વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવામાં ઉપયોગી કાગળની રીમમાં પણ ભાવવધારો થયો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.