મોંઘવારીની અસર દેખાશે ઉત્તરાયણની ઉજવણી પર, પતંગ તેમજ દોરીના ભાવમાં થયો વધારો


  • Published By :
  • Published Date : 2022-12-22 14:05:42

રાજ્યભરમાં ઉત્તરાયણને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. પરંતુ આ વખતની પતંગ ચગાવું મોંઘુ પડી શકે છે. પતંગ તેમજ પતંગના દોરામાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. અંદાજીત પતંગ તેમજ દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. 


પતંગની સાથે ફિરકી પણ થઈ મોંઘી 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ભાવ વધતા અનેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે પતંગ તેમજ તેની દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતંગ તેમજ દોરાના ભાવમાં વધારો આવતા પતંગ તેમજ દોરો મોંઘો થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે બોબીનના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. દોરાના ભાવમાં વધારો થતા ફિરકી પણ મોંઘી થઈ છે. ફિરકીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 


કાગળની રીમમાં તેમજ મજૂરીમાં પણ વધારો 

પંતગના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનના ભાવમાં અંદાજીત 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધતા વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ભાવ વધતા ઉત્તરાયણની ઉજવણી મોંઘી થઈ શકે છે. ઉપરાંત પતંગ બનાવાની મજૂરીમાં વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવામાં ઉપયોગી કાગળની રીમમાં પણ ભાવવધારો થયો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.