અચાનક જ 3-4 દિવસમાં લવ-જેહાદની 2 ઘટનાથી શું સંકેત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:07



પહેલા ડીસાનો કથિત લવજેહાદનો કિસ્સો અને હવે જામનગરમાં હિંદૂ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન, હિંદુ સમાજનો દાવો કે લવ-જેહાદ ફેલાવાઈ રહ્યો છે અને અધિકારીઓ ધ્યાન નથી આપતા. એક હિંદુ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન જામનગર મેરેજ બ્યૂરો ખાતે થયા હતા. આ વાતની જાણ હિંદુ સેનાને થતાં તેઓ જામનગરના મેરેજ બ્યૂરો ગયા અને જવાબદાર અધિકારીઓને લગ્ન મામલે સવાલો કર્યા. 


શું હતી સમગ્ર ઘટના? 

જામનગર મેરેજ બ્યૂરો ખાતે હિંદુ યુવતી અને મુસ્લીમ યુવાનના લગ્ન થયા હતા. હિંદુ સેના પાસે સમગ્ર મામલે પહોંચતા સમાચારની ખરાઈ કરવા માટે હિંદુ સેના જામનગર મેરેજ બ્યૂરો ઓફિસ પહોંચ્યા હતા અને અધિકારીઓને લગ્ન મામલે સવાલ કર્યા હતા. મેરેજ બ્યૂરો ઓફિસમાં લગ્ન બાબતે પત્રકો મળ્યા પરંતુ તારીખ અને અમુક વિગતો નોટીસ બોર્ડ પર ના લખેલી હોવાથી અધિકારીઓ લવ-જેહાદને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ લગાવાયા હતા,  22 વર્ષના મલેક મહમ્મદ યુસુફ હુસૈનભાઈ નામના યુવકે 19 વર્ષની એક યુવતી સાથે લગ્ન કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં અપાતી ત્રણ મહિનાની નોટીસ આપીને નોંધણી કરાવી હતી, આ નોટિસ રજિસ્ટ્રાર ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવાઈ હતી, જેમાં અમુક વિગતો ભરેલી ના હોવાથી જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે, "આ માત્ર કારકૂનની ભુલ ના કારણે બાકી રહી ગઈ છે, બાકી આવો કોઈ ઈરાદો નહોતો."



ક્યારે લવ-જેહાદ કર્યો કહેવાય?

ભારતના બંધારણની અનુસૂચિ 25થી 28 મુજબ ધર્મ સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વેચ્છાએ કોઈ પણ નાગરિક પોતાનું ધર્મ પરિવર્તન કરાવી શકે છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે લવ જેહાદનો કાયદો અનેક રાજ્યોમાં લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ વર્ષ 2021માં ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કરતું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું જેને લવ જેહાદ કાયદો પણ કહેવાયો. બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પોતાનું નામ છુપાવીને અથવા છોકરીને છેતરી-ફોસલાવીને લગ્ન કરે છે તો જ એને લવ-જેહાદ કહેવાશે, બાકી કરાતા દરેક આંતર ધર્મીય લગ્નો કાયદેસર રજિસ્ટર થઈ શકશે. ડીસાની ઘટનામાં છોકરીએ પોતાના પરિવારને કહીને બીજા ધર્મના વ્યક્તિ એઝાઝ શેખ સાથે લગ્ન કર્યા હોવાથી એના પર લવ-જેહાદનો કાયદો લાગવાની કોઈ સંભાવના નથી. હિંદુ યુવતી જો ધર્મ પરિવર્તન કરવા ના ઈચ્છે અને છતાં પણ યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બળજબરી કરવામાં આવે તો તેમને 10 વર્ષની જેલનો પ્રાવધાન છે.  


કેમ લોકો ચૂંટણી સાથે ઘટનાને જોડી રહ્યા છે?

રાજ્યમાં અચાનક જ ત્રણ-ચાર દિવસમાં આવી બે ઘટનાઓ પ્રકાશમાં આવી અને એના પર ચર્ચાઓ થવા લાગી એ જોતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ડીસાની ઘટનામાં પણ લગ્નને ખાસો સમય થયો હતો તો કેમ છેક સુધી કોઈ આ વિષયે બોલ્યું નહીં, તો જામનગરની ઘટનામાં પણ આંતર-ધર્મીય લગ્ન પર થઈ રહેલી બબાલ આવનાર સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે એવું લાગી રહ્યું છે. જામનગરની હિંદુ સેનાએ સોમવારે મોટા સંખ્યામાં લોકો સાથે મળીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી દીધી છે. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.