અચાનક જ 3-4 દિવસમાં લવ-જેહાદની 2 ઘટનાથી શું સંકેત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:07



પહેલા ડીસાનો કથિત લવજેહાદનો કિસ્સો અને હવે જામનગરમાં હિંદૂ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન, હિંદુ સમાજનો દાવો કે લવ-જેહાદ ફેલાવાઈ રહ્યો છે અને અધિકારીઓ ધ્યાન નથી આપતા. એક હિંદુ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન જામનગર મેરેજ બ્યૂરો ખાતે થયા હતા. આ વાતની જાણ હિંદુ સેનાને થતાં તેઓ જામનગરના મેરેજ બ્યૂરો ગયા અને જવાબદાર અધિકારીઓને લગ્ન મામલે સવાલો કર્યા. 


શું હતી સમગ્ર ઘટના? 

જામનગર મેરેજ બ્યૂરો ખાતે હિંદુ યુવતી અને મુસ્લીમ યુવાનના લગ્ન થયા હતા. હિંદુ સેના પાસે સમગ્ર મામલે પહોંચતા સમાચારની ખરાઈ કરવા માટે હિંદુ સેના જામનગર મેરેજ બ્યૂરો ઓફિસ પહોંચ્યા હતા અને અધિકારીઓને લગ્ન મામલે સવાલ કર્યા હતા. મેરેજ બ્યૂરો ઓફિસમાં લગ્ન બાબતે પત્રકો મળ્યા પરંતુ તારીખ અને અમુક વિગતો નોટીસ બોર્ડ પર ના લખેલી હોવાથી અધિકારીઓ લવ-જેહાદને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ લગાવાયા હતા,  22 વર્ષના મલેક મહમ્મદ યુસુફ હુસૈનભાઈ નામના યુવકે 19 વર્ષની એક યુવતી સાથે લગ્ન કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં અપાતી ત્રણ મહિનાની નોટીસ આપીને નોંધણી કરાવી હતી, આ નોટિસ રજિસ્ટ્રાર ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવાઈ હતી, જેમાં અમુક વિગતો ભરેલી ના હોવાથી જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે, "આ માત્ર કારકૂનની ભુલ ના કારણે બાકી રહી ગઈ છે, બાકી આવો કોઈ ઈરાદો નહોતો."



ક્યારે લવ-જેહાદ કર્યો કહેવાય?

ભારતના બંધારણની અનુસૂચિ 25થી 28 મુજબ ધર્મ સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વેચ્છાએ કોઈ પણ નાગરિક પોતાનું ધર્મ પરિવર્તન કરાવી શકે છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે લવ જેહાદનો કાયદો અનેક રાજ્યોમાં લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ વર્ષ 2021માં ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કરતું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું જેને લવ જેહાદ કાયદો પણ કહેવાયો. બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પોતાનું નામ છુપાવીને અથવા છોકરીને છેતરી-ફોસલાવીને લગ્ન કરે છે તો જ એને લવ-જેહાદ કહેવાશે, બાકી કરાતા દરેક આંતર ધર્મીય લગ્નો કાયદેસર રજિસ્ટર થઈ શકશે. ડીસાની ઘટનામાં છોકરીએ પોતાના પરિવારને કહીને બીજા ધર્મના વ્યક્તિ એઝાઝ શેખ સાથે લગ્ન કર્યા હોવાથી એના પર લવ-જેહાદનો કાયદો લાગવાની કોઈ સંભાવના નથી. હિંદુ યુવતી જો ધર્મ પરિવર્તન કરવા ના ઈચ્છે અને છતાં પણ યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બળજબરી કરવામાં આવે તો તેમને 10 વર્ષની જેલનો પ્રાવધાન છે.  


કેમ લોકો ચૂંટણી સાથે ઘટનાને જોડી રહ્યા છે?

રાજ્યમાં અચાનક જ ત્રણ-ચાર દિવસમાં આવી બે ઘટનાઓ પ્રકાશમાં આવી અને એના પર ચર્ચાઓ થવા લાગી એ જોતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ડીસાની ઘટનામાં પણ લગ્નને ખાસો સમય થયો હતો તો કેમ છેક સુધી કોઈ આ વિષયે બોલ્યું નહીં, તો જામનગરની ઘટનામાં પણ આંતર-ધર્મીય લગ્ન પર થઈ રહેલી બબાલ આવનાર સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે એવું લાગી રહ્યું છે. જામનગરની હિંદુ સેનાએ સોમવારે મોટા સંખ્યામાં લોકો સાથે મળીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી દીધી છે. 





અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.