અચાનક જ 3-4 દિવસમાં લવ-જેહાદની 2 ઘટનાથી શું સંકેત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:07



પહેલા ડીસાનો કથિત લવજેહાદનો કિસ્સો અને હવે જામનગરમાં હિંદૂ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન, હિંદુ સમાજનો દાવો કે લવ-જેહાદ ફેલાવાઈ રહ્યો છે અને અધિકારીઓ ધ્યાન નથી આપતા. એક હિંદુ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન જામનગર મેરેજ બ્યૂરો ખાતે થયા હતા. આ વાતની જાણ હિંદુ સેનાને થતાં તેઓ જામનગરના મેરેજ બ્યૂરો ગયા અને જવાબદાર અધિકારીઓને લગ્ન મામલે સવાલો કર્યા. 


શું હતી સમગ્ર ઘટના? 

જામનગર મેરેજ બ્યૂરો ખાતે હિંદુ યુવતી અને મુસ્લીમ યુવાનના લગ્ન થયા હતા. હિંદુ સેના પાસે સમગ્ર મામલે પહોંચતા સમાચારની ખરાઈ કરવા માટે હિંદુ સેના જામનગર મેરેજ બ્યૂરો ઓફિસ પહોંચ્યા હતા અને અધિકારીઓને લગ્ન મામલે સવાલ કર્યા હતા. મેરેજ બ્યૂરો ઓફિસમાં લગ્ન બાબતે પત્રકો મળ્યા પરંતુ તારીખ અને અમુક વિગતો નોટીસ બોર્ડ પર ના લખેલી હોવાથી અધિકારીઓ લવ-જેહાદને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ લગાવાયા હતા,  22 વર્ષના મલેક મહમ્મદ યુસુફ હુસૈનભાઈ નામના યુવકે 19 વર્ષની એક યુવતી સાથે લગ્ન કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં અપાતી ત્રણ મહિનાની નોટીસ આપીને નોંધણી કરાવી હતી, આ નોટિસ રજિસ્ટ્રાર ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવાઈ હતી, જેમાં અમુક વિગતો ભરેલી ના હોવાથી જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે, "આ માત્ર કારકૂનની ભુલ ના કારણે બાકી રહી ગઈ છે, બાકી આવો કોઈ ઈરાદો નહોતો."



ક્યારે લવ-જેહાદ કર્યો કહેવાય?

ભારતના બંધારણની અનુસૂચિ 25થી 28 મુજબ ધર્મ સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વેચ્છાએ કોઈ પણ નાગરિક પોતાનું ધર્મ પરિવર્તન કરાવી શકે છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે લવ જેહાદનો કાયદો અનેક રાજ્યોમાં લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ વર્ષ 2021માં ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કરતું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું જેને લવ જેહાદ કાયદો પણ કહેવાયો. બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પોતાનું નામ છુપાવીને અથવા છોકરીને છેતરી-ફોસલાવીને લગ્ન કરે છે તો જ એને લવ-જેહાદ કહેવાશે, બાકી કરાતા દરેક આંતર ધર્મીય લગ્નો કાયદેસર રજિસ્ટર થઈ શકશે. ડીસાની ઘટનામાં છોકરીએ પોતાના પરિવારને કહીને બીજા ધર્મના વ્યક્તિ એઝાઝ શેખ સાથે લગ્ન કર્યા હોવાથી એના પર લવ-જેહાદનો કાયદો લાગવાની કોઈ સંભાવના નથી. હિંદુ યુવતી જો ધર્મ પરિવર્તન કરવા ના ઈચ્છે અને છતાં પણ યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બળજબરી કરવામાં આવે તો તેમને 10 વર્ષની જેલનો પ્રાવધાન છે.  


કેમ લોકો ચૂંટણી સાથે ઘટનાને જોડી રહ્યા છે?

રાજ્યમાં અચાનક જ ત્રણ-ચાર દિવસમાં આવી બે ઘટનાઓ પ્રકાશમાં આવી અને એના પર ચર્ચાઓ થવા લાગી એ જોતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ડીસાની ઘટનામાં પણ લગ્નને ખાસો સમય થયો હતો તો કેમ છેક સુધી કોઈ આ વિષયે બોલ્યું નહીં, તો જામનગરની ઘટનામાં પણ આંતર-ધર્મીય લગ્ન પર થઈ રહેલી બબાલ આવનાર સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે એવું લાગી રહ્યું છે. જામનગરની હિંદુ સેનાએ સોમવારે મોટા સંખ્યામાં લોકો સાથે મળીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી દીધી છે. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.