રાજ્યમાં ફરી બની પેપર ફૂટવાની ઘટના, આ વખતે ક્લાક-3 કે યુનિવર્સિટીનું પેપર નથી ફૂંટ્યું પરંતુ આઠમા ધોરણનું પેપર ફૂંટ્યું છે!


  • Published By :
  • Published Date : 2023-04-12 16:26:08

ગુજરાતમાં પેપર ફૂટવું જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. ઘણા સમયથી પેપર ફૂંટ્યાના સમાચારો સામે આવી રહ્યા છે. કોઈ વખત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટે છે તો કોઈ વખત ભાવનગરની યુનિવર્સિટીનું પેપર ફૂટ્યે છે. પરંતુ આપણે ત્યાં પેપર ફૂટવાની ઉત્ક્રાંતિ થઈ રહી છે. ફરી એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. આ વખતે કોઈ ક્લાસ-3 કે યુનિવર્સિટીનું પેપર નથી ફૂંટ્યું પરંતુ ધોરણ 8નું પેપર ફૂંટ્યું છે. આણંદના મોગરી ગામે આવેલી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનું પેપર ફૂંટ્યું છે. 


આઠમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું પેપર થયું લીક!  

થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે બાદ ભાવનગરની યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાની ઘટના સામે આવી હતી.પહેલા ક્લાક-થ્રીનું પેપર ફૂંટતું હતું, તે બાદ યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું ત્યારે હવે ધોરણ આઠનું પેપર ફૂંટ્યું છે. આ મામલો આણંદના મોગરી ગામે આવેલી જ્ઞાનયજ્ઞ  વિદ્યાલયનો છે. આઠમા ધોરણના વાર્ષિક પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. 


પ્રિન્સિપલે પેપર પોતાની ભત્રીજીને આપ્યું હતું!

મળતી માહિતી અનુસાર આ પરીક્ષાના પેપર નડિયાદના પ્રિન્સિપાલે તેની ભત્રીજીને મોકલ્યા હતા. ભત્રીજીને પેપર મોકલ્યા બાદ જે થયું તે ચોકાવનારૂં છે. આ ઘટનામાં લોચો એ થયો કે પ્રિન્સિપલની ભત્રીજીએ પેપર પોતાના સુધી રાખવાની જગ્યાએ ફ્રેન્ડ્સને શેર કરી દીધા. આમ પેપર શરૂ થાય તે પહેલા જ પેપરો વિદ્યાર્થીઓના મોબાઈલમાં પહોંચી ગયા હતા.   


વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યો હોબાળો

વિદ્યાર્થીઓના માધ્યમથી આ વાત વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચી ગઈ. જે બાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વાલીઓએ હોબાળો કરીને માગ કરી કે આ અંગે તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. 


શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીના ભવિષ્યને ઉજ્જવળ કરવાની હોય છે

ચાણક્ય એ કહ્યું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હૌતા... પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ... પણ આ પ્રિન્સિપાલે તો શિક્ષકના પદની ગરીમા લજવી... જે પ્રિન્સિપાલની જવાબદારી છોકરાઓના સારા ભવિષ્યની હોય... વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપવાની હોય તેની જગ્યાએ શિક્ષક પોતાના વ્યક્તિગત સ્વાર્થને પૂરો કરવા પોતાની ભત્રીજીને પેપર આપી દેતો હતો. 


જો આવનાર સમયમાં કેજીનું પેપર ફૂટે તો નવાઈ નહીં...

સવાલ અહીં એ છે કે આપણે આ ટેક્નોલોજીના યુગમાં કેટલા આગળ આવી ગયા છીએ. આપણે જબરદસ્ત રીતે આગળ વધી ગયા છીએ. પહેલા ક્લાસથ્રીના પેપર ફૂટતા હતા હવે આઠમા ધોરણના પેપરો ફૂટી રહ્યા છે... ટૂંક સમયમાં સમાચાર આવે કે કેજીનું પેપર ફૂટ્યું તો નવાઈ ના કહેવાય. બધુ જ શક્ય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.