વડોદરાની હિંસા ઘટના પહેલી નથી, તહેવારોમાં થાય જ છે કજિયા


  • Published By :
  • Published Date : 2022-10-25 16:56:31

દિવાળીની રાત્રે વડોદરામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર નથી. ગુજરાતમાં તહેવારોના સમયે સાંપ્રદાયિક હિંસાના બનાવો બનતા જ રહે છે. આમ ગુજરાતને શાંત માનવામાં આવે છે પરંતુ જ્યારે સાંપ્રદાયિક વાત થાય ત્યારે પત્યું સમજો. ગુજરાતમાં દશેરા, રામનવમી અને નવરાત્રિના સમયે સાંપ્રદાયિક બનાવો બનતા રહ્યા છે......



દિવાળી પર બે જૂથ વચ્ચે થઈ હતી હિંસા 


વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં મુસ્લીમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારો થયો હતો અને આગ ચાંપવાનો બનાવો પણ બન્યા હતા. આ દુર્ઘાટનામાં આરોપીઓએ પોલીસની ગાડી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


નવરાત્રિમાં પણ થઈ હતી બબાલ 

News & Views :: નવરાત્રિ ઉત્સવ દરમિયાન ખેડામાં પથ્થરમારો અને સાવલીમાં  ધાર્મિક ધ્વજ પર હોબાળો

આની પહેલા નવરાત્રિમાં પણ ગુજરાતના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા. ખેડામાં નવરાત્રિના આયોજન દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં દસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. બીજી બાજુ સાવલીના વિસ્તારમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


રામનવમી પર પણ થઈ હતી સાંપ્રદાયિક હિંસા 

રામનવમીએ ગુજરાતમાં હિંસા : ખંભાત-હિંમતનગરમાં સરઘસ દરમિયાન પથ્થરમારો,  દુકાનો-વાહનો સળગાવાયાં - BBC News ગુજરાતી

ગુજરાતના બે શહેરોમાં રામનવમીના જુલુસ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના જુલુસ દરમિયાન બે સમુહો વચ્ચે સાંપ્રદાયિક હિંસાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન પણ બંને જૂથોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક ઘાયલ પણ થયા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.