વડોદરાની હિંસા ઘટના પહેલી નથી, તહેવારોમાં થાય જ છે કજિયા


  • Published By :
  • Published Date : 2022-10-25 16:56:31

દિવાળીની રાત્રે વડોદરામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર નથી. ગુજરાતમાં તહેવારોના સમયે સાંપ્રદાયિક હિંસાના બનાવો બનતા જ રહે છે. આમ ગુજરાતને શાંત માનવામાં આવે છે પરંતુ જ્યારે સાંપ્રદાયિક વાત થાય ત્યારે પત્યું સમજો. ગુજરાતમાં દશેરા, રામનવમી અને નવરાત્રિના સમયે સાંપ્રદાયિક બનાવો બનતા રહ્યા છે......



દિવાળી પર બે જૂથ વચ્ચે થઈ હતી હિંસા 


વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં મુસ્લીમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારો થયો હતો અને આગ ચાંપવાનો બનાવો પણ બન્યા હતા. આ દુર્ઘાટનામાં આરોપીઓએ પોલીસની ગાડી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


નવરાત્રિમાં પણ થઈ હતી બબાલ 

News & Views :: નવરાત્રિ ઉત્સવ દરમિયાન ખેડામાં પથ્થરમારો અને સાવલીમાં  ધાર્મિક ધ્વજ પર હોબાળો

આની પહેલા નવરાત્રિમાં પણ ગુજરાતના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા. ખેડામાં નવરાત્રિના આયોજન દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં દસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. બીજી બાજુ સાવલીના વિસ્તારમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


રામનવમી પર પણ થઈ હતી સાંપ્રદાયિક હિંસા 

રામનવમીએ ગુજરાતમાં હિંસા : ખંભાત-હિંમતનગરમાં સરઘસ દરમિયાન પથ્થરમારો,  દુકાનો-વાહનો સળગાવાયાં - BBC News ગુજરાતી

ગુજરાતના બે શહેરોમાં રામનવમીના જુલુસ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના જુલુસ દરમિયાન બે સમુહો વચ્ચે સાંપ્રદાયિક હિંસાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન પણ બંને જૂથોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક ઘાયલ પણ થયા હતા.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"