વડોદરાની હિંસા ઘટના પહેલી નથી, તહેવારોમાં થાય જ છે કજિયા


  • Published By :
  • Published Date : 2022-10-25 16:56:31

દિવાળીની રાત્રે વડોદરામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર નથી. ગુજરાતમાં તહેવારોના સમયે સાંપ્રદાયિક હિંસાના બનાવો બનતા જ રહે છે. આમ ગુજરાતને શાંત માનવામાં આવે છે પરંતુ જ્યારે સાંપ્રદાયિક વાત થાય ત્યારે પત્યું સમજો. ગુજરાતમાં દશેરા, રામનવમી અને નવરાત્રિના સમયે સાંપ્રદાયિક બનાવો બનતા રહ્યા છે......



દિવાળી પર બે જૂથ વચ્ચે થઈ હતી હિંસા 


વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં મુસ્લીમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારો થયો હતો અને આગ ચાંપવાનો બનાવો પણ બન્યા હતા. આ દુર્ઘાટનામાં આરોપીઓએ પોલીસની ગાડી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


નવરાત્રિમાં પણ થઈ હતી બબાલ 

News & Views :: નવરાત્રિ ઉત્સવ દરમિયાન ખેડામાં પથ્થરમારો અને સાવલીમાં  ધાર્મિક ધ્વજ પર હોબાળો

આની પહેલા નવરાત્રિમાં પણ ગુજરાતના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા. ખેડામાં નવરાત્રિના આયોજન દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં દસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. બીજી બાજુ સાવલીના વિસ્તારમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


રામનવમી પર પણ થઈ હતી સાંપ્રદાયિક હિંસા 

રામનવમીએ ગુજરાતમાં હિંસા : ખંભાત-હિંમતનગરમાં સરઘસ દરમિયાન પથ્થરમારો,  દુકાનો-વાહનો સળગાવાયાં - BBC News ગુજરાતી

ગુજરાતના બે શહેરોમાં રામનવમીના જુલુસ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના જુલુસ દરમિયાન બે સમુહો વચ્ચે સાંપ્રદાયિક હિંસાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન પણ બંને જૂથોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક ઘાયલ પણ થયા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.