રેસ્ક્યુ માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમ પરત આવી, ઓપરેશન દોસ્ત અંતર્ગત કરાયું હતું ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-02-20 15:12:33

તુર્કી અને સિરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે રાહત બચાવની કામગીરીમાં ભાગ લેવા ભારતની ટીમ ગઈ હતી.ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરવા પહોંચી હતી. થોડા દિવસ પહેલા ત્યાં ગયેલી ટીમોનું ભારતમાં આગમન થયું હતું ત્યારે એનડીઆરએફની છેલ્લી ટીમ પણ ભારત આવી પહોંચી છે. 

jagran

રેસ્ક્યુની છેલ્લી ટીમ ભારત પરત ફરી   

6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપે તુર્કી અને સિરીયામાં તારાજી સર્જી છે. થોડા સમય પહેલા આવેલા ભૂકંપને લઈ અનેક લોકો બેઘર થયા છે તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રેસ્ક્યુની કામગીરી કરવા ભારતમાંથી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. બચાવની કામગીરી કરી ભારતની ટીમ પરત આવી છે. થોડા દિવસો પહેલા રેસ્ક્યુ ટીમ ભારત આવી પહોંચી હતી ત્યારે આજે છેલ્લી ટીમ ભારત આવી છે. 


ઓપરેશન દોસ્ત અંતર્ગત ચલાવાયુ હતું ઓપરેશન 

બંને દેશોમાં રેસ્ક્યુની કામગીરી કરવા ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું. ભારતે તુર્કી અને સિરીયામાં રાહતની સામગ્રી પણ મોકલી હતી. પ્રભાવિત ક્ષેત્રોમાં ભારતના બે હજારથી વધારે જવાનો તૈનાત કર્યા હતા. રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી ત્યારે અનેક ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ ભારતની એનડીઆરએફની ટીમ ભારત પરત આવી હતી અને આજે છેલ્લી ટીમનું પણ ભારતમાં આગમન થઈ ગયું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.