રેસ્ક્યુ માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમ પરત આવી, ઓપરેશન દોસ્ત અંતર્ગત કરાયું હતું ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-02-20 15:12:33

તુર્કી અને સિરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે રાહત બચાવની કામગીરીમાં ભાગ લેવા ભારતની ટીમ ગઈ હતી.ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરવા પહોંચી હતી. થોડા દિવસ પહેલા ત્યાં ગયેલી ટીમોનું ભારતમાં આગમન થયું હતું ત્યારે એનડીઆરએફની છેલ્લી ટીમ પણ ભારત આવી પહોંચી છે. 

jagran

રેસ્ક્યુની છેલ્લી ટીમ ભારત પરત ફરી   

6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપે તુર્કી અને સિરીયામાં તારાજી સર્જી છે. થોડા સમય પહેલા આવેલા ભૂકંપને લઈ અનેક લોકો બેઘર થયા છે તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રેસ્ક્યુની કામગીરી કરવા ભારતમાંથી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. બચાવની કામગીરી કરી ભારતની ટીમ પરત આવી છે. થોડા દિવસો પહેલા રેસ્ક્યુ ટીમ ભારત આવી પહોંચી હતી ત્યારે આજે છેલ્લી ટીમ ભારત આવી છે. 


ઓપરેશન દોસ્ત અંતર્ગત ચલાવાયુ હતું ઓપરેશન 

બંને દેશોમાં રેસ્ક્યુની કામગીરી કરવા ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું. ભારતે તુર્કી અને સિરીયામાં રાહતની સામગ્રી પણ મોકલી હતી. પ્રભાવિત ક્ષેત્રોમાં ભારતના બે હજારથી વધારે જવાનો તૈનાત કર્યા હતા. રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી ત્યારે અનેક ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ ભારતની એનડીઆરએફની ટીમ ભારત પરત આવી હતી અને આજે છેલ્લી ટીમનું પણ ભારતમાં આગમન થઈ ગયું છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.