રેસ્ક્યુ માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમ પરત આવી, ઓપરેશન દોસ્ત અંતર્ગત કરાયું હતું ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-02-20 15:12:33

તુર્કી અને સિરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે રાહત બચાવની કામગીરીમાં ભાગ લેવા ભારતની ટીમ ગઈ હતી.ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરવા પહોંચી હતી. થોડા દિવસ પહેલા ત્યાં ગયેલી ટીમોનું ભારતમાં આગમન થયું હતું ત્યારે એનડીઆરએફની છેલ્લી ટીમ પણ ભારત આવી પહોંચી છે. 

jagran

રેસ્ક્યુની છેલ્લી ટીમ ભારત પરત ફરી   

6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપે તુર્કી અને સિરીયામાં તારાજી સર્જી છે. થોડા સમય પહેલા આવેલા ભૂકંપને લઈ અનેક લોકો બેઘર થયા છે તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રેસ્ક્યુની કામગીરી કરવા ભારતમાંથી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. બચાવની કામગીરી કરી ભારતની ટીમ પરત આવી છે. થોડા દિવસો પહેલા રેસ્ક્યુ ટીમ ભારત આવી પહોંચી હતી ત્યારે આજે છેલ્લી ટીમ ભારત આવી છે. 


ઓપરેશન દોસ્ત અંતર્ગત ચલાવાયુ હતું ઓપરેશન 

બંને દેશોમાં રેસ્ક્યુની કામગીરી કરવા ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું. ભારતે તુર્કી અને સિરીયામાં રાહતની સામગ્રી પણ મોકલી હતી. પ્રભાવિત ક્ષેત્રોમાં ભારતના બે હજારથી વધારે જવાનો તૈનાત કર્યા હતા. રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી ત્યારે અનેક ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ ભારતની એનડીઆરએફની ટીમ ભારત પરત આવી હતી અને આજે છેલ્લી ટીમનું પણ ભારતમાં આગમન થઈ ગયું છે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.