રેસ્ક્યુ માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમ પરત આવી, ઓપરેશન દોસ્ત અંતર્ગત કરાયું હતું ઓપરેશન


  • Published By :
  • Published Date : 2023-02-20 15:12:33

તુર્કી અને સિરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે રાહત બચાવની કામગીરીમાં ભાગ લેવા ભારતની ટીમ ગઈ હતી.ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરવા પહોંચી હતી. થોડા દિવસ પહેલા ત્યાં ગયેલી ટીમોનું ભારતમાં આગમન થયું હતું ત્યારે એનડીઆરએફની છેલ્લી ટીમ પણ ભારત આવી પહોંચી છે. 

jagran

રેસ્ક્યુની છેલ્લી ટીમ ભારત પરત ફરી   

6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપે તુર્કી અને સિરીયામાં તારાજી સર્જી છે. થોડા સમય પહેલા આવેલા ભૂકંપને લઈ અનેક લોકો બેઘર થયા છે તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રેસ્ક્યુની કામગીરી કરવા ભારતમાંથી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. બચાવની કામગીરી કરી ભારતની ટીમ પરત આવી છે. થોડા દિવસો પહેલા રેસ્ક્યુ ટીમ ભારત આવી પહોંચી હતી ત્યારે આજે છેલ્લી ટીમ ભારત આવી છે. 


ઓપરેશન દોસ્ત અંતર્ગત ચલાવાયુ હતું ઓપરેશન 

બંને દેશોમાં રેસ્ક્યુની કામગીરી કરવા ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું. ભારતે તુર્કી અને સિરીયામાં રાહતની સામગ્રી પણ મોકલી હતી. પ્રભાવિત ક્ષેત્રોમાં ભારતના બે હજારથી વધારે જવાનો તૈનાત કર્યા હતા. રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી ત્યારે અનેક ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ ભારતની એનડીઆરએફની ટીમ ભારત પરત આવી હતી અને આજે છેલ્લી ટીમનું પણ ભારતમાં આગમન થઈ ગયું છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.