દેશમાં ઘટતું કોરોનાનું સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોનાથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-24 14:15:47

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7178 કેસ સામે આવ્યા છે. આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 10 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. સરખામણીમાં કોરોના કેસ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 5 લાખ 31 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 65,683 પર પહોંચી ગઈ છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ  કેસ   

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ વખત 12 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 10 હજારને આસપાસ કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 7178 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. શનિવારે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 29 જેટલા લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. 17 એપ્રિલે કોરોનાના  7633 કેસ નોંધાયા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.