દેશમાં ઘટતું કોરોનાનું સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોનાથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-24 14:15:47

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7178 કેસ સામે આવ્યા છે. આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 10 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. સરખામણીમાં કોરોના કેસ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 5 લાખ 31 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 65,683 પર પહોંચી ગઈ છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ  કેસ   

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ વખત 12 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 10 હજારને આસપાસ કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 7178 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. શનિવારે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 29 જેટલા લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. 17 એપ્રિલે કોરોનાના  7633 કેસ નોંધાયા હતા.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.