દેશમાં ઘટતું કોરોનાનું સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોનાથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-24 14:15:47

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7178 કેસ સામે આવ્યા છે. આંશિક ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે કોરોનાના 10 હજાર જેટલા કેસ સામે આવ્યા છે. સરખામણીમાં કોરોના કેસ ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 5 લાખ 31 હજાર 300 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 65,683 પર પહોંચી ગઈ છે. 


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારથી વધુ  કેસ   

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈ વખત 12 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 10 હજારને આસપાસ કેસ નોંધાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 7178 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. શનિવારે કોરોનાના 10 હજાર કેસ નોંધાયા હતા જ્યારે 29 જેટલા લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણને કારણે કેન્દ્ર સરકારની ચિંતા વધી છે. 17 એપ્રિલે કોરોનાના  7633 કેસ નોંધાયા હતા.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.