BJPમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર! જવાહર ચાવડાનો નવો વીડિયો સામે આવ્યો, નીતિન પટેલ તેમજ આનંદી બેન પટેલ વિશે કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-24 16:26:21

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તે વાત હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે... ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવી વાતો ચાલી રહી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. નવા વીડિયોમાં તેમણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઉલ્લેખ કર્યો હતો. 

થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો આવ્યો હતો સામે 

નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો આ વાતને સાચા સાબિત કરી રહ્યા છે. ભાજપમાં બધુ ઠીક નથી તેવી વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે.. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આંતરિક વિખવાદ નડ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ઉમેદવારો જાહેર કર્યા બાદ ઉમેદવારને બદલવા પડ્યા.. ભાજપના જૂના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મનસુખ માંડવિયાને લઈ નિવેદન આપ્યું હતું.. વીડિયોમાં તે જાણે ભાજપથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું હતું.

શક્તિસિંહ ગોહિલે જવાહર ચાવડા મામલે આપી પ્રતિક્રિયા 

આ વીડિયોની ચર્ચાઓ થવાની શાંત ના થઈ હતી ત્યાં તો તેમનો એક બીજો વીડિયો સામે આવ્યો જેમાં તેમણે નીતિન પટેલ તેમજ આનંદી બેન પટેલનો ઉલ્લેખ કર્યો. તેમણે કેટલા કામો કર્યા છે તેની વાત કરી હતી મહત્વનું છે કે જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો તે બાદ અનેક તર્ક વિતર્કોની ચર્ચા થઈ.. જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે તેવી વાતોની ચર્ચાઓ શરૂ થઈ..આ બધા વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે  આ તો હજુ ટ્રેલર છે પણ પિક્ચર આખું બાકી છે... 


ગમે ત્યારે રાજનેતાઓ કરી લેતા હોય છે પક્ષપલટો 

મહત્વનું છે કે રાજનેતાઓ આજે કઈ પાર્ટીમાં હોય અને આવતી કાલે કઈ પાર્ટીમાં હોય તેનું નક્કી નથી હોતું. નેતા ક્યારે પક્ષ પલટો કરી લેતા હોય છે તેની ખબર પણ નથી હોતી.. થોડા સમય પહેલા ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ આવી હતી જેમાં ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને એ વિધાનસભા બેઠક પર ફરી એક વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જવાહર ચાવડા ઘરવાપસી કરે છે કે નહીં તે તો સમય બતાવશે.. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.