BJPમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમા પર! જવાહર ચાવડાનો નવો વીડિયો સામે આવ્યો, નીતિન પટેલ તેમજ આનંદી બેન પટેલ વિશે કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-24 16:26:21

ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તે વાત હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે... ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવી વાતો ચાલી રહી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. નવા વીડિયોમાં તેમણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઉલ્લેખ કર્યો હતો. 

થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો આવ્યો હતો સામે 

નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો આ વાતને સાચા સાબિત કરી રહ્યા છે. ભાજપમાં બધુ ઠીક નથી તેવી વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે.. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આંતરિક વિખવાદ નડ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ઉમેદવારો જાહેર કર્યા બાદ ઉમેદવારને બદલવા પડ્યા.. ભાજપના જૂના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મનસુખ માંડવિયાને લઈ નિવેદન આપ્યું હતું.. વીડિયોમાં તે જાણે ભાજપથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું હતું.

શક્તિસિંહ ગોહિલે જવાહર ચાવડા મામલે આપી પ્રતિક્રિયા 

આ વીડિયોની ચર્ચાઓ થવાની શાંત ના થઈ હતી ત્યાં તો તેમનો એક બીજો વીડિયો સામે આવ્યો જેમાં તેમણે નીતિન પટેલ તેમજ આનંદી બેન પટેલનો ઉલ્લેખ કર્યો. તેમણે કેટલા કામો કર્યા છે તેની વાત કરી હતી મહત્વનું છે કે જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો તે બાદ અનેક તર્ક વિતર્કોની ચર્ચા થઈ.. જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે તેવી વાતોની ચર્ચાઓ શરૂ થઈ..આ બધા વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે  આ તો હજુ ટ્રેલર છે પણ પિક્ચર આખું બાકી છે... 


ગમે ત્યારે રાજનેતાઓ કરી લેતા હોય છે પક્ષપલટો 

મહત્વનું છે કે રાજનેતાઓ આજે કઈ પાર્ટીમાં હોય અને આવતી કાલે કઈ પાર્ટીમાં હોય તેનું નક્કી નથી હોતું. નેતા ક્યારે પક્ષ પલટો કરી લેતા હોય છે તેની ખબર પણ નથી હોતી.. થોડા સમય પહેલા ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ આવી હતી જેમાં ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને એ વિધાનસભા બેઠક પર ફરી એક વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જવાહર ચાવડા ઘરવાપસી કરે છે કે નહીં તે તો સમય બતાવશે.. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .