આણંદ કલેક્ટરને ટ્રેપમાં ફસાવવામાં હતી આ અધિકારીઓની સંડોવણી! જાણો કયા અધિકારીઓએ કર્યો હતો આ પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-08-19 18:47:11

આણંદના કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા બાદ રાજ્ય સરકારે નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારથી આ મામલો ગરમાયો હતો. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા હતા. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું. આ મામલે એટીએસે કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ કરી હતી અને તે બાદ તેમને એસપી ઓફિસ મોકલવામાં આવ્યા હતા.    


કેતકી વ્યાસે ઘડ્યું હતું ષડયંત્ર 

સોશિયલ મીડિયા પર આણંદ જિલ્લા કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસએ આ મામલે કેતકી વ્યાસ, હરેશ ચાવડા તેમજ જે.ડી.પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.  પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી હતી જેણે હડકંપ મચાવી દીધો છે. કલેક્ટર ડી.એમ. ગઢવીને ફસાવવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. મહિલા ADM કેતકી વ્યાસે ષડ્યંત્ર રચ્યું હતું.


પૂછપરછ દરમિયાન ત્રણેચ લોકોએ કબૂલ્યો પોતાનો ગુન્હો 

કલેક્ટરની ગેરહાજરી દરમિયાન તેમના કેબિનમાં કેમેરો લગાવવામાં આવ્યા.કલેક્ટરને ફસાવવા માટે અનેકવાર પ્રયાસ કર્યા હતા ત્યારે આ પ્રયાસ સફળ થયો અને કલેકટરનો વીડિયો વાઇરલ થયો. આ ઘટનામાં કેમેરો ખરીદવાથી લઈ યુવતીઓની વ્યવસ્થા કરવાનું કામ બધુ પ્લાન હતું અંતે કલેક્ટર અશ્લિલ હરકતમાં કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ પૈસાની બબાતે કલેકટરને કોઈ ઓફર આપવામાં આવી હતી કલેકટરે એ નકારી દીધી હતી. પછી કલેકટરના કેબિનમાં સ્પાય કેમેરા ગોઠવી કલેકટરને 2 વાર ફસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પછી ત્રીજી વારમાં તે સફળ થયા હતા. 


વીડિયો વાયરલ થયા બાદ સરકાર આવી ગઈ હતી એક્શન મોડમાં 

સમગ્ર ઘટના શું હતી તેના પર નજર કરીએ તો આણંદ કલેક્ટરનો એક મહિલા સાથે અશ્લીલ વિડિયો વાયરલ થયો હતો. વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટનો આ વીડિયો છે. વીડિયોમાં કલેક્ટરની કેબિનમાં એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે અડપલાં કરે છે. આ વાંધા જનક વીડિયો વાયરલ થયા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવી, તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.