બિહાર વિધાનસભામાં ઉઠ્યો લઠ્ઠાકાંડનો મુદ્દો, ભાજપે કર્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2022-12-16 14:56:36

બિહારમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા હતા. બિહારમાં દારૂબંધી છે. આ ઘટનાને લઈ સંસદમાં પણ હોબાળો મચી રહ્યો છે. આ મામલો બિહાર વિધાનસભામાં પણ ઉઠી રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે દારૂ પીશે એ મરશે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાસી રહ્યા છીએ। અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે.

 


દારૂ પીને મૃત્યુ પામનારને નહી અપાય વળતર 

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. બિહારમાં પણ દારૂબંધી છે. થોડા સમય પહેલા બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. આ મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે જે દારૂ પીશે તે મળશે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે તેમણે કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈનું મૃત્યુ થશે તો વળતર આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મમાં દારૂ પીવો સારો નથી. રાજ્યમાં ગરીબોના ઉત્થાન માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને કામ કરવા લાખ રૂપિયા આપી રહ્યા છીએ કે તમે કામ કરો પરંતુ લોકો દારૂ પી રહ્યા છે. પ્રતિબંધએ મુદ્દો નથી, પરંતુ તેનો ખોટો ફાયદો લઈ રહ્યા છે.     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.