બિહાર વિધાનસભામાં ઉઠ્યો લઠ્ઠાકાંડનો મુદ્દો, ભાજપે કર્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2022-12-16 14:56:36

બિહારમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા હતા. બિહારમાં દારૂબંધી છે. આ ઘટનાને લઈ સંસદમાં પણ હોબાળો મચી રહ્યો છે. આ મામલો બિહાર વિધાનસભામાં પણ ઉઠી રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે દારૂ પીશે એ મરશે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાસી રહ્યા છીએ। અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે.

 


દારૂ પીને મૃત્યુ પામનારને નહી અપાય વળતર 

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. બિહારમાં પણ દારૂબંધી છે. થોડા સમય પહેલા બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. આ મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે જે દારૂ પીશે તે મળશે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે તેમણે કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈનું મૃત્યુ થશે તો વળતર આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મમાં દારૂ પીવો સારો નથી. રાજ્યમાં ગરીબોના ઉત્થાન માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને કામ કરવા લાખ રૂપિયા આપી રહ્યા છીએ કે તમે કામ કરો પરંતુ લોકો દારૂ પી રહ્યા છે. પ્રતિબંધએ મુદ્દો નથી, પરંતુ તેનો ખોટો ફાયદો લઈ રહ્યા છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે