બિહાર વિધાનસભામાં ઉઠ્યો લઠ્ઠાકાંડનો મુદ્દો, ભાજપે કર્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2022-12-16 14:56:36

બિહારમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા હતા. બિહારમાં દારૂબંધી છે. આ ઘટનાને લઈ સંસદમાં પણ હોબાળો મચી રહ્યો છે. આ મામલો બિહાર વિધાનસભામાં પણ ઉઠી રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે દારૂ પીશે એ મરશે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાસી રહ્યા છીએ। અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે.

 


દારૂ પીને મૃત્યુ પામનારને નહી અપાય વળતર 

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. બિહારમાં પણ દારૂબંધી છે. થોડા સમય પહેલા બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. આ મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે જે દારૂ પીશે તે મળશે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે તેમણે કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈનું મૃત્યુ થશે તો વળતર આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મમાં દારૂ પીવો સારો નથી. રાજ્યમાં ગરીબોના ઉત્થાન માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને કામ કરવા લાખ રૂપિયા આપી રહ્યા છીએ કે તમે કામ કરો પરંતુ લોકો દારૂ પી રહ્યા છે. પ્રતિબંધએ મુદ્દો નથી, પરંતુ તેનો ખોટો ફાયદો લઈ રહ્યા છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.