વિધાનસભામાં ઉઠ્યો જ્ઞાનસહાયકનો મુદ્દો, પોસ્ટરો લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનેક યોજનાનો વિરોધ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 15:12:59

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક બિલ રજૂ કરવામાં આવતા હોય છે. સત્રમાં કોંગ્રેસ વાળા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અનેક વખત દેખાયા છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સરકારની અનેક યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટેટ-ટાટના ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેનો મુદ્દો કોંગ્રેસના ધારસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાન સહાયક ઉપરાંત  કોમન યુનિવર્સિટી એક્ટને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

 


કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે અલગ અલગ મુદ્દા

ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહી છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે ઉમેદવારો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે. ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જ્ઞાનસહાયકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનેરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી