વિધાનસભામાં ઉઠ્યો જ્ઞાનસહાયકનો મુદ્દો, પોસ્ટરો લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનેક યોજનાનો વિરોધ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 15:12:59

ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક બિલ રજૂ કરવામાં આવતા હોય છે. સત્રમાં કોંગ્રેસ વાળા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અનેક વખત દેખાયા છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સરકારની અનેક યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટેટ-ટાટના ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેનો મુદ્દો કોંગ્રેસના ધારસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાન સહાયક ઉપરાંત  કોમન યુનિવર્સિટી એક્ટને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

 


કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે અલગ અલગ મુદ્દા

ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહી છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે ઉમેદવારો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે. ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જ્ઞાનસહાયકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનેરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.