ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:23:52

ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે કચ્છમાં ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં ભાન ભુલ્યા હતા અન તેમણે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસને હિન્દુ મુલ્સિમ ફ્લેવર આપીને ગુજરાતમાં પરીસી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યાં શિક્ષણ, સુવિધા, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો હલ થયા છે કે કેમ તેના પર પ્રચાર કરતા કરતા અચાનક ભાજપના આ નેતાએ મુદ્દો કાંઈક બીજો જ બનાવી દીધો હતો. આવો જાણીએ આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વાએ ગુજરાતમાં શું બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જો મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.


હેમંત બિસ્વાનું નિવેદન 

હિમંત બિસ્વા આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર પ્રસાર માટે આવ્યા છે. તેઓ ગુજરાતના કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે એક તબક્કે વાત કરી અને કહ્યું કે, આફતાબે શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. પછી તે ટુકડા ક્યાં રાખ્યા ફ્રીજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રીજમાં હતા ત્યારે તે પાછો બીજી યુવતીને ઘરે લાવતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. જો દેશ શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરોમાં પેદા થશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. એટલે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.