ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:23:52

ચુંટણીમાં ફરી હિન્દુ મુસ્લિમના મુદ્દાની એન્ટ્રી થઈ ચૂકી છે કચ્છમાં ભાજપના નેતા ચૂંટણી પ્રચારમાં ભાન ભુલ્યા હતા અન તેમણે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસને હિન્દુ મુલ્સિમ ફ્લેવર આપીને ગુજરાતમાં પરીસી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યાં શિક્ષણ, સુવિધા, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓ પર લોકોના પ્રશ્નો હલ થયા છે કે કેમ તેના પર પ્રચાર કરતા કરતા અચાનક ભાજપના આ નેતાએ મુદ્દો કાંઈક બીજો જ બનાવી દીધો હતો. આવો જાણીએ આસામના મુખ્યમંત્રી એવા હિમંત બિસ્વાએ ગુજરાતમાં શું બફાટ કર્યો છે. તેમણે કહ્યું કે જો મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.


હેમંત બિસ્વાનું નિવેદન 

હિમંત બિસ્વા આસામના મુખ્યમંત્રી હોવા ઉપરાંત હાલ ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે પ્રચાર પ્રસાર માટે આવ્યા છે. તેઓ ગુજરાતના કચ્છમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધી રહ્યા હતા. દરમિયાન તેમણે એક તબક્કે વાત કરી અને કહ્યું કે, આફતાબે શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. પછી તે ટુકડા ક્યાં રાખ્યા ફ્રીજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રીજમાં હતા ત્યારે તે પાછો બીજી યુવતીને ઘરે લાવતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. જો દેશ શક્તિશાળી નેતા પાસે ન હોય, જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરોમાં પેદા થશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. એટલે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.