Gujarat Highcourtના જજની કરાઈ બદલી, Modi Surname caseમાં રાહુલ ગાંધીની સજા રાખી હતી યથાવત


  • Published By :
  • Published Date : 2023-08-11 10:56:03

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. બે વર્ષની સજા મળવાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને મળેલી સજાને યથાવત રાખી હતી. જસ્ટિસ પ્રચ્છક અને તેમની બેન્ચે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત આપવામાં આવી હતી. તેમની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે રાહુલ ગાંધીની સજાને યથાવત રાખનાર જજની બદલી માટે ભલામણ કરવામાં આવી છે. 


જજોની બદલી કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ

ગુરૂવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અનેક ફેરફાર કર્યા છે, અનેક જજોની બદલી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટના ચાર જસ્ટિસની બદલીની ભલામણ કરી છે. તેમાં જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કૉલેજિયમે પ્રચ્છકની બદલી પટના હાઈકોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી કૉલેજિયમે આ જજોની બદલી કરી છે. 


ગુજરાતના ચાર જજોની કરાઈ બદલી!

આ અંગે મળતી માહિતી અનુસાર ઇલાહાબાદ હાઇકોર્ટ ન્યાયાલયના જજ વિવેક કુમાર સિંહની બદલી મદ્રાસ ઉચ્ચન્યાયાલ કરવામાં આવી છે. જસ્ટીશ પ્રકાશ પાંડિયાને ઝારખંડ, જસ્ટીશ એસપી કેસરવાનીને કોલકત્તા અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમાર IVને મધ્ય પ્રદેશમાં બદલી કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિશ અલ્પેશ વાય કોગ્ઝેને ઇલાહાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે જસ્ટીશ કુમારી ગીતા ગોપી મદ્રાસ, જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક પટના અને જસ્ટીસ સમીર જે દવે રાજસ્થાન જશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.