Gujarat Highcourtના જજની કરાઈ બદલી, Modi Surname caseમાં રાહુલ ગાંધીની સજા રાખી હતી યથાવત


  • Published By :
  • Published Date : 2023-08-11 10:56:03

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. બે વર્ષની સજા મળવાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને મળેલી સજાને યથાવત રાખી હતી. જસ્ટિસ પ્રચ્છક અને તેમની બેન્ચે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત આપવામાં આવી હતી. તેમની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે રાહુલ ગાંધીની સજાને યથાવત રાખનાર જજની બદલી માટે ભલામણ કરવામાં આવી છે. 


જજોની બદલી કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ

ગુરૂવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અનેક ફેરફાર કર્યા છે, અનેક જજોની બદલી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટના ચાર જસ્ટિસની બદલીની ભલામણ કરી છે. તેમાં જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કૉલેજિયમે પ્રચ્છકની બદલી પટના હાઈકોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી કૉલેજિયમે આ જજોની બદલી કરી છે. 


ગુજરાતના ચાર જજોની કરાઈ બદલી!

આ અંગે મળતી માહિતી અનુસાર ઇલાહાબાદ હાઇકોર્ટ ન્યાયાલયના જજ વિવેક કુમાર સિંહની બદલી મદ્રાસ ઉચ્ચન્યાયાલ કરવામાં આવી છે. જસ્ટીશ પ્રકાશ પાંડિયાને ઝારખંડ, જસ્ટીશ એસપી કેસરવાનીને કોલકત્તા અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમાર IVને મધ્ય પ્રદેશમાં બદલી કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિશ અલ્પેશ વાય કોગ્ઝેને ઇલાહાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે જસ્ટીશ કુમારી ગીતા ગોપી મદ્રાસ, જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક પટના અને જસ્ટીસ સમીર જે દવે રાજસ્થાન જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.