Gujarat Highcourtના જજની કરાઈ બદલી, Modi Surname caseમાં રાહુલ ગાંધીની સજા રાખી હતી યથાવત


  • Published By :
  • Published Date : 2023-08-11 10:56:03

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. બે વર્ષની સજા મળવાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને મળેલી સજાને યથાવત રાખી હતી. જસ્ટિસ પ્રચ્છક અને તેમની બેન્ચે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત આપવામાં આવી હતી. તેમની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે રાહુલ ગાંધીની સજાને યથાવત રાખનાર જજની બદલી માટે ભલામણ કરવામાં આવી છે. 


જજોની બદલી કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ

ગુરૂવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અનેક ફેરફાર કર્યા છે, અનેક જજોની બદલી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટના ચાર જસ્ટિસની બદલીની ભલામણ કરી છે. તેમાં જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કૉલેજિયમે પ્રચ્છકની બદલી પટના હાઈકોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી કૉલેજિયમે આ જજોની બદલી કરી છે. 


ગુજરાતના ચાર જજોની કરાઈ બદલી!

આ અંગે મળતી માહિતી અનુસાર ઇલાહાબાદ હાઇકોર્ટ ન્યાયાલયના જજ વિવેક કુમાર સિંહની બદલી મદ્રાસ ઉચ્ચન્યાયાલ કરવામાં આવી છે. જસ્ટીશ પ્રકાશ પાંડિયાને ઝારખંડ, જસ્ટીશ એસપી કેસરવાનીને કોલકત્તા અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમાર IVને મધ્ય પ્રદેશમાં બદલી કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિશ અલ્પેશ વાય કોગ્ઝેને ઇલાહાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે જસ્ટીશ કુમારી ગીતા ગોપી મદ્રાસ, જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક પટના અને જસ્ટીસ સમીર જે દવે રાજસ્થાન જશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.