પંજાબના સરહાલી પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી ખાલિસ્તાનની સંગઠને લીધી


  • Published By :
  • Published Date : 2022-12-10 12:28:55

પંજાબમાં આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારની મધરાત્રીએ તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે.

હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠને લીધી છે

પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં મોટુ નુકસાન થયાના સમાચાર નથી આવ્યા. આ હુમલાને કારણે કાચ તૂટી ગયા હતા. આ હુમલાને આરપીજી અટેક માનવામાં આવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારે સીલ કરી દીધો છે.  એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો આ આતંકી હુમલો સીધો નથી થયો. આતંકી હુમલો સીધો નથી થયો જેને કારણે નુકસાન ઓછું થયું છે. આ આતંકી હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન સીખ ફોર જસ્ટિસે લીધી છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.