પંજાબના સરહાલી પોલીસ સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી ખાલિસ્તાનની સંગઠને લીધી


  • Published By :
  • Published Date : 2022-12-10 12:28:55

પંજાબમાં આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારની મધરાત્રીએ તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે.

હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠને લીધી છે

પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં મોટુ નુકસાન થયાના સમાચાર નથી આવ્યા. આ હુમલાને કારણે કાચ તૂટી ગયા હતા. આ હુમલાને આરપીજી અટેક માનવામાં આવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારે સીલ કરી દીધો છે.  એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો આ આતંકી હુમલો સીધો નથી થયો. આતંકી હુમલો સીધો નથી થયો જેને કારણે નુકસાન ઓછું થયું છે. આ આતંકી હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન સીખ ફોર જસ્ટિસે લીધી છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.