મોરબી દુર્ઘટના મામલે આવતીકાલ સુધીમાં જવાબદારોના નામોની લિસ્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 10:44:47

મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે જે અધિકારીઓને સમિતિ બનાવીને ઘટનાસ્થળે નિરીક્ષણની જવાબદારી આપી છે તે અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી બાદ મોરબી દુર્ઘટનાના જવાબદારોની ભૂમિકા નક્કી કરી રિપોર્ટ આપશે. આવતીકાલે જેટલા પણ લોકો જવાબદાર છે તેમની ભૂમિકાની માહિતીની લિસ્ટ સોંપી દેવામાં આવશે, સ્થાનિક સમાચારોની માનીએ તો લિસ્ટમાં 150થી વધુ લોકોના નામ સામે આવી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. 


રાજ્ય સરકારની સમિતિ આવી રીતે કરી રહી છે કામગીરી 

મોરબીનો ઝુલતો પુલ તૂડી પડવા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવી છે તે કમિટીના સભ્ય અને સીઆઈડી ક્રાઈમ આઈજી સુભાષ ત્રિવેદી ગાંધીનગરથી મોરબી પહોંચ્યા છે. આ દુર્ઘટના માટે કુલ પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. ઘટના બાદ ગુજરાતના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંહમા કોમાર બચાવ કામગીરી માટે સંકલન કરી રહ્યા છે અને બચાવકામગીરી માટે નિર્દેશ આપી રહ્યા છે. આ પાંચ સભ્યોની સમિતિમાં આર એન્ડ બીના સેક્રેટરી સંદીપ વસાવા, આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રીવેદી, મુખ્ય એન્જિનિયર કે એમ પટેલ અને ડોક્ટર ગોપાલ ટાંકને જવાબદારી સોંપાઈ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.