દિલ્લીઃ લીવઈનમાં રહ્યા બાદ લગ્ન માટે દબાણ કર્યું તો આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી નાખ્યા


  • Published By :
  • Published Date : 2022-11-14 13:45:16

દિલ્લીમાં યુવકે પાંચ મહિના પહેલા લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરી અને તેના મૃત શરીરને ગાયબ કરનાર આરોપી અમીન પુનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસ આરોપી આફતાબ સામે હત્યાની ફરિયાદ કરીને યુવતીનું મૃત શરીર શોધવા તપાસ કરી રહી છે. 


પ્રેમિકાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિસ્તારોમાં ફેંક્યા

આરોપી આફતાબે પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ આફતાબે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરે 59 વર્ષના વિકાસ મદાન વાકરે પોતાની પુત્રી ગાયબ થવાની દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે 26 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી તેમની પુત્રા ગાયબ થઈ ગઈ છે. ગાયબ થયા બાદ શ્રદ્ધા આફતાબ સાથે લીવઈનમાં રહેવા લાગી હતી. 


શ્રદ્ધાને લગ્નનો દબાવ કરતા મળ્યું મોત

લીવઈનમાં રહ્યા બાદ શ્રદ્ધા આફતાબ પર લગ્નનું પ્રેશર કરતી હતી. આ જ મામલે બંનેના સતત ઝઘડા થતા હતા. 18 મેના રોજ ઝઘડો થયા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસે આફતાબને પકડ્યા બાદ 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કર્યા હતા અને ફેંકી દીધા હતા. શ્રદ્ધાના શરીને સાચવવા માટે આફતાબે મોટું ફ્રીજ લઈ રાખ્યું હતું.  






અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.