દિલ્લીઃ લીવઈનમાં રહ્યા બાદ લગ્ન માટે દબાણ કર્યું તો આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી નાખ્યા


  • Published By :
  • Published Date : 2022-11-14 13:45:16

દિલ્લીમાં યુવકે પાંચ મહિના પહેલા લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરી અને તેના મૃત શરીરને ગાયબ કરનાર આરોપી અમીન પુનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસ આરોપી આફતાબ સામે હત્યાની ફરિયાદ કરીને યુવતીનું મૃત શરીર શોધવા તપાસ કરી રહી છે. 


પ્રેમિકાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિસ્તારોમાં ફેંક્યા

આરોપી આફતાબે પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ આફતાબે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરે 59 વર્ષના વિકાસ મદાન વાકરે પોતાની પુત્રી ગાયબ થવાની દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે 26 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી તેમની પુત્રા ગાયબ થઈ ગઈ છે. ગાયબ થયા બાદ શ્રદ્ધા આફતાબ સાથે લીવઈનમાં રહેવા લાગી હતી. 


શ્રદ્ધાને લગ્નનો દબાવ કરતા મળ્યું મોત

લીવઈનમાં રહ્યા બાદ શ્રદ્ધા આફતાબ પર લગ્નનું પ્રેશર કરતી હતી. આ જ મામલે બંનેના સતત ઝઘડા થતા હતા. 18 મેના રોજ ઝઘડો થયા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસે આફતાબને પકડ્યા બાદ 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કર્યા હતા અને ફેંકી દીધા હતા. શ્રદ્ધાના શરીને સાચવવા માટે આફતાબે મોટું ફ્રીજ લઈ રાખ્યું હતું.  






અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.