દિલ્લીઃ લીવઈનમાં રહ્યા બાદ લગ્ન માટે દબાણ કર્યું તો આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી નાખ્યા


  • Published By :
  • Published Date : 2022-11-14 13:45:16

દિલ્લીમાં યુવકે પાંચ મહિના પહેલા લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરી અને તેના મૃત શરીરને ગાયબ કરનાર આરોપી અમીન પુનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસ આરોપી આફતાબ સામે હત્યાની ફરિયાદ કરીને યુવતીનું મૃત શરીર શોધવા તપાસ કરી રહી છે. 


પ્રેમિકાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિસ્તારોમાં ફેંક્યા

આરોપી આફતાબે પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ આફતાબે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરે 59 વર્ષના વિકાસ મદાન વાકરે પોતાની પુત્રી ગાયબ થવાની દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે 26 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી તેમની પુત્રા ગાયબ થઈ ગઈ છે. ગાયબ થયા બાદ શ્રદ્ધા આફતાબ સાથે લીવઈનમાં રહેવા લાગી હતી. 


શ્રદ્ધાને લગ્નનો દબાવ કરતા મળ્યું મોત

લીવઈનમાં રહ્યા બાદ શ્રદ્ધા આફતાબ પર લગ્નનું પ્રેશર કરતી હતી. આ જ મામલે બંનેના સતત ઝઘડા થતા હતા. 18 મેના રોજ ઝઘડો થયા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસે આફતાબને પકડ્યા બાદ 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કર્યા હતા અને ફેંકી દીધા હતા. શ્રદ્ધાના શરીને સાચવવા માટે આફતાબે મોટું ફ્રીજ લઈ રાખ્યું હતું.  






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે