દિલ્લીઃ લીવઈનમાં રહ્યા બાદ લગ્ન માટે દબાણ કર્યું તો આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી નાખ્યા


  • Published By :
  • Published Date : 2022-11-14 13:45:16

દિલ્લીમાં યુવકે પાંચ મહિના પહેલા લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરી અને તેના મૃત શરીરને ગાયબ કરનાર આરોપી અમીન પુનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસ આરોપી આફતાબ સામે હત્યાની ફરિયાદ કરીને યુવતીનું મૃત શરીર શોધવા તપાસ કરી રહી છે. 


પ્રેમિકાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિસ્તારોમાં ફેંક્યા

આરોપી આફતાબે પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ આફતાબે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરે 59 વર્ષના વિકાસ મદાન વાકરે પોતાની પુત્રી ગાયબ થવાની દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે 26 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી તેમની પુત્રા ગાયબ થઈ ગઈ છે. ગાયબ થયા બાદ શ્રદ્ધા આફતાબ સાથે લીવઈનમાં રહેવા લાગી હતી. 


શ્રદ્ધાને લગ્નનો દબાવ કરતા મળ્યું મોત

લીવઈનમાં રહ્યા બાદ શ્રદ્ધા આફતાબ પર લગ્નનું પ્રેશર કરતી હતી. આ જ મામલે બંનેના સતત ઝઘડા થતા હતા. 18 મેના રોજ ઝઘડો થયા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસે આફતાબને પકડ્યા બાદ 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કર્યા હતા અને ફેંકી દીધા હતા. શ્રદ્ધાના શરીને સાચવવા માટે આફતાબે મોટું ફ્રીજ લઈ રાખ્યું હતું.  






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.