મંદિરમાં આવતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-03 13:04:09

મંદિરમાં જતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. મોબાઈલ ફોર્ન સાથે આવતા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં મળે. ભક્તોએ પોતાના મોબાઈલ મંદિર પરિસર બહાર રાખવા પડશે. મંદિર દ્વારા મોબાઈલ ફોનને રાખવાની વ્યવસ્થા કરવી પડશે. પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

હિજાબ વિવાદ પર કોઈ ન કહી શક્યું તે કહ્યું મદ્રાસ હાઈકોર્ટે, પૂછ્યો દેશની  ચેતનાને ઢંઢોળતો આ ધારદાર સવાલ I Madras High Court expressed concern over  Hijab controversy

હવેથી મંદિરોમાં મોબાઈલ સાથે નહીં કરી શકાય પ્રવેશ 

દેશના અનેક મંદિરોમાં, મોબાઈલ લઈ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ સાથે એન્ટ્રી નહીં કરી શકાય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનાર ભક્તોના ફોન સચવાયેલા રહે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે