મંદિરમાં આવતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-03 13:04:09

મંદિરમાં જતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. મોબાઈલ ફોર્ન સાથે આવતા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં મળે. ભક્તોએ પોતાના મોબાઈલ મંદિર પરિસર બહાર રાખવા પડશે. મંદિર દ્વારા મોબાઈલ ફોનને રાખવાની વ્યવસ્થા કરવી પડશે. પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

હિજાબ વિવાદ પર કોઈ ન કહી શક્યું તે કહ્યું મદ્રાસ હાઈકોર્ટે, પૂછ્યો દેશની  ચેતનાને ઢંઢોળતો આ ધારદાર સવાલ I Madras High Court expressed concern over  Hijab controversy

હવેથી મંદિરોમાં મોબાઈલ સાથે નહીં કરી શકાય પ્રવેશ 

દેશના અનેક મંદિરોમાં, મોબાઈલ લઈ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ સાથે એન્ટ્રી નહીં કરી શકાય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનાર ભક્તોના ફોન સચવાયેલા રહે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.