મંદિરમાં આવતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે લીધો મહત્વનો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-03 13:04:09

મંદિરમાં જતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. મોબાઈલ ફોર્ન સાથે આવતા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં મળે. ભક્તોએ પોતાના મોબાઈલ મંદિર પરિસર બહાર રાખવા પડશે. મંદિર દ્વારા મોબાઈલ ફોનને રાખવાની વ્યવસ્થા કરવી પડશે. પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

હિજાબ વિવાદ પર કોઈ ન કહી શક્યું તે કહ્યું મદ્રાસ હાઈકોર્ટે, પૂછ્યો દેશની  ચેતનાને ઢંઢોળતો આ ધારદાર સવાલ I Madras High Court expressed concern over  Hijab controversy

હવેથી મંદિરોમાં મોબાઈલ સાથે નહીં કરી શકાય પ્રવેશ 

દેશના અનેક મંદિરોમાં, મોબાઈલ લઈ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ સાથે એન્ટ્રી નહીં કરી શકાય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનાર ભક્તોના ફોન સચવાયેલા રહે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.