દેશમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા


  • Published By :
  • Published Date : 2023-04-06 17:05:26

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારને પાર કેસ નોંધાયા છે. બે દિવસમાં કોરોના કેસમાં અનેક ગણો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક કરવાના છે કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવાના છે.

  

આવતી કાલે મનસુખ માંડવિયા કરશે બેઠક 

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત પેસારો કરી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વાત કરીએ તો 5335 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે પણ કોરોના કેસ 4 હજારને પાર નોંધાયા હતા. 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતી કાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.