દેશમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા


  • Published By :
  • Published Date : 2023-04-06 17:05:26

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારને પાર કેસ નોંધાયા છે. બે દિવસમાં કોરોના કેસમાં અનેક ગણો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક કરવાના છે કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવાના છે.

  

આવતી કાલે મનસુખ માંડવિયા કરશે બેઠક 

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત પેસારો કરી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વાત કરીએ તો 5335 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે પણ કોરોના કેસ 4 હજારને પાર નોંધાયા હતા. 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતી કાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.