દેશમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા


  • Published By :
  • Published Date : 2023-04-06 17:05:26

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારને પાર કેસ નોંધાયા છે. બે દિવસમાં કોરોના કેસમાં અનેક ગણો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક કરવાના છે કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવાના છે.

  

આવતી કાલે મનસુખ માંડવિયા કરશે બેઠક 

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત પેસારો કરી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વાત કરીએ તો 5335 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે પણ કોરોના કેસ 4 હજારને પાર નોંધાયા હતા. 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતી કાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.