દેશમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા


  • Published By :
  • Published Date : 2023-04-06 17:05:26

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારને પાર કેસ નોંધાયા છે. બે દિવસમાં કોરોના કેસમાં અનેક ગણો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક કરવાના છે કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવાના છે.

  

આવતી કાલે મનસુખ માંડવિયા કરશે બેઠક 

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત પેસારો કરી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વાત કરીએ તો 5335 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે પણ કોરોના કેસ 4 હજારને પાર નોંધાયા હતા. 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતી કાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.