રાજ્ય સરકાર સાથેની સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશનની બેઠક નિષ્ફળ, હડતાળ યથાવત રહેશે


  • Published By :
  • Published Date : 2023-11-02 22:32:19

રાજ્યમાં દિવાળીના તહેવાર નજીક છે ત્યારે જ સસ્તા અનાજ દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર સાથેની સસ્તા અનાજ દુકાનધારકોના એસોસિએશનની બેઠક નિષ્ફળ ગઈ છે. જેથી સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળ યથાવત રહેશે. સસ્તા અનાજની દુકાન ધારકોના એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાથે બેઠક  કરી હતી. કમિશન વધારવા સહિતની વિવિધ માગોને લઈ વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સસ્તા અનાજના દુકાનદારોને સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને લઇ હડતાલ પર છે.સસ્તા અનાજના દુકાનદારો ની હડતાળ સામે સરકાર હવે સરકારે પણ બાયો ચઢાવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી. સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી હતી. તહેવારની સીઝનમાં જ રાજ્યના 17 હજાર કરતા વધારે રેશનિંગ દુકાનદારો આજથી રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરતા સરકાર પણ ભીંસમાં આવી છે.


દુકાન ધારકોના એસો.નો લેખિતમાં ઓર્ડર કરવાનો આગ્રહ


રાજ્યના નાગરીક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાથે સસ્તા અનાજની દુકાન ધારકોનાએસોસિએશનને અગાઉ પણ બેઠક  કરી હતી. આ બેઠકમાં બંને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. સસ્તા અનાજની દુકાન ધરાવતા તમમ લોકોને રૂ. 20 હજાર મહિને કમિશન મળે તે મુદ્દે એસો. અને અધિકારીઓ સહમત થયા હોવાની વાત સામે આવી હતી. જો કે, એઓ.ના હોદ્દેદારોનો લેખિતમાં ઓર્ડર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, આ મામલે મંત્રી સાથે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય ન આવતા આખરે હડતાળ યથાવત રહેશે.


શા માટે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું?


ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે તહેવાર ટાણે 3 લાખ થી વધુ લોકોને મફત અનાજ નહીં મળે. સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોએ મહિના પહેલાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરી હતી ત્યારે પુરવઠા વિભાગે રૂ.20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટે બાંહેધરી આપી હતી, પરંતુ શરત મુજબ કમિશન ન મળતા અમદાવાદના 800 સહિત રાજ્યના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી 20 હજાર કમિશન નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને નિર્ણય કર્યો છે.


કુંવરજીભાઈ બાવળિયાએ આપી છે ચેતવણી 


અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયું ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈ પણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી