વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં વરસી શકે છે વરસાદ ?


  • Published By :
  • Published Date : 2023-07-03 12:20:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસાનું જોર ઘટશે પરંતુ વરસાદી વાતાવરણ તો યથવાત જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે ત્રીજી તારીખે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાદરા નગર હવેલી, મહીસાગર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત ચાર જુલાઈના રોદ આણંદ, પંચમહાલ, મહિસાગર, દીવ, ખેડા, અરવલ્લી,દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ મહીસાગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઝ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  6 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભાવનગર, દ્વારકા, બોટાદ, જુનાગઢ, ખેડા, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે કરવામાં આવી છે. તો સાતમી તારીખના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.    


અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 જુલાઈની વચ્ચે વરસાદનું જોર વધી શકે છે. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમના દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.  મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીરની આવક થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.