વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં વરસી શકે છે વરસાદ ?


  • Published By :
  • Published Date : 2023-07-03 12:20:06

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસાનું જોર ઘટશે પરંતુ વરસાદી વાતાવરણ તો યથવાત જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે ત્રીજી તારીખે ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાદરા નગર હવેલી, મહીસાગર, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

તે ઉપરાંત ચાર જુલાઈના રોદ આણંદ, પંચમહાલ, મહિસાગર, દીવ, ખેડા, અરવલ્લી,દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાંચ જુલાઈના રોજ મહીસાગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઝ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  6 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે ભાવનગર, દ્વારકા, બોટાદ, જુનાગઢ, ખેડા, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો માટે કરવામાં આવી છે. તો સાતમી તારીખના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમજ રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે.    


અંબાલાલ પટેલે કરી વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 જુલાઈની વચ્ચે વરસાદનું જોર વધી શકે છે. જેને લઈ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. તે ઉપરાંત આગામી દિવસો દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમના દ્વારા કરવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે જેને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.  મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં પાણીની આવક થઈ છે. ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીરની આવક થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.