H3N2ના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રાલયે કરી બેઠક, જાન્યુઆરીમાં નોંધાયા આટલા H3N2ના કેસ


  • Published By :
  • Published Date : 2023-03-11 14:47:03

કોરોના બાદ દેશ પર H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે H3N2ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વાયરસના સંક્રમણને કારણે બે જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કેસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધતા H3N2ના કેસને ધ્યાનમાં રાખી એક બેઠક બોલાવી હતી. આ અંગે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


જાન્યુઆરીમાં નોંધાયા હતા 3084 કેસ 

H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થવાને કારણે બે લોકોના મોત થઈ ગયા છે. સતત વધતા કેસોને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે આ વધતો વાયરસ પણ આવનાર દિવસોમાં ચિંતા વધારી શકે છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં H3N2 વાયરસના 3084 કેસ સામે આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી હતી બેઠક 

વધતા સંક્રમણને લઈ શનિવારે નીતિ આયોગે બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યોને આ અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવશે. રાજ્યોને કઈ રીતે સપોર્ટ કરવામાં આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં વધતા H3N2 ઈન્ફ્લુએન્જા વાયરસના વધતા કેસને લઈ બેઠક બોલાવી હતી. વધતા કેસને લઈ રાજ્યોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સ્થિતિ અંગે એડવાઈઝરી જાહેર કરી છે


લોકોને સાવચેત રહેવા કરવામાં આવી છે અપીલ 

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઘર-ઘરમાં શરદી-ઉધરસના તેમજ તાવના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સામાજીક અંતર રાખવું તે બાબતનું ધ્યાન રાખવા કહેવાયું હતું.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.