H3N2ના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રાલયે કરી બેઠક, જાન્યુઆરીમાં નોંધાયા આટલા H3N2ના કેસ


  • Published By :
  • Published Date : 2023-03-11 14:47:03

કોરોના બાદ દેશ પર H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે H3N2ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વાયરસના સંક્રમણને કારણે બે જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કેસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધતા H3N2ના કેસને ધ્યાનમાં રાખી એક બેઠક બોલાવી હતી. આ અંગે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


જાન્યુઆરીમાં નોંધાયા હતા 3084 કેસ 

H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થવાને કારણે બે લોકોના મોત થઈ ગયા છે. સતત વધતા કેસોને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે આ વધતો વાયરસ પણ આવનાર દિવસોમાં ચિંતા વધારી શકે છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં H3N2 વાયરસના 3084 કેસ સામે આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી હતી બેઠક 

વધતા સંક્રમણને લઈ શનિવારે નીતિ આયોગે બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યોને આ અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવશે. રાજ્યોને કઈ રીતે સપોર્ટ કરવામાં આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં વધતા H3N2 ઈન્ફ્લુએન્જા વાયરસના વધતા કેસને લઈ બેઠક બોલાવી હતી. વધતા કેસને લઈ રાજ્યોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સ્થિતિ અંગે એડવાઈઝરી જાહેર કરી છે


લોકોને સાવચેત રહેવા કરવામાં આવી છે અપીલ 

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઘર-ઘરમાં શરદી-ઉધરસના તેમજ તાવના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સામાજીક અંતર રાખવું તે બાબતનું ધ્યાન રાખવા કહેવાયું હતું.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.