H3N2ના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રાલયે કરી બેઠક, જાન્યુઆરીમાં નોંધાયા આટલા H3N2ના કેસ


  • Published By :
  • Published Date : 2023-03-11 14:47:03

કોરોના બાદ દેશ પર H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે H3N2ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વાયરસના સંક્રમણને કારણે બે જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કેસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધતા H3N2ના કેસને ધ્યાનમાં રાખી એક બેઠક બોલાવી હતી. આ અંગે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


જાન્યુઆરીમાં નોંધાયા હતા 3084 કેસ 

H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થવાને કારણે બે લોકોના મોત થઈ ગયા છે. સતત વધતા કેસોને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે આ વધતો વાયરસ પણ આવનાર દિવસોમાં ચિંતા વધારી શકે છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં H3N2 વાયરસના 3084 કેસ સામે આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી હતી બેઠક 

વધતા સંક્રમણને લઈ શનિવારે નીતિ આયોગે બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યોને આ અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવશે. રાજ્યોને કઈ રીતે સપોર્ટ કરવામાં આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં વધતા H3N2 ઈન્ફ્લુએન્જા વાયરસના વધતા કેસને લઈ બેઠક બોલાવી હતી. વધતા કેસને લઈ રાજ્યોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સ્થિતિ અંગે એડવાઈઝરી જાહેર કરી છે


લોકોને સાવચેત રહેવા કરવામાં આવી છે અપીલ 

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઘર-ઘરમાં શરદી-ઉધરસના તેમજ તાવના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સામાજીક અંતર રાખવું તે બાબતનું ધ્યાન રાખવા કહેવાયું હતું.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.