ફિલ્મ 'સેલ્ફી'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ


  • Published By :
  • Published Date : 2023-01-15 14:40:48

આવનાર સમયમાં અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થવા જઈ રહી છે. મોટા પડદા પર ધમાલ મચાવા અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે. રવિવારે ફિલ્મના મેકર્સે મુવીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. સાથે સાથે ફિલ્મ રિલીઝ ડેટનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાસમી પણ જોવા મળશે.

 


અક્ષય કુમારની સાથે જોવા મળશે ઈમરાન હાશમી 

રવિવાર 15 જાન્યુઆરીના દિવસે અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ સેલ્ફીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોતાની આગામી ફિલ્મને લઈ અક્ષયકુમાર ખુબ ઉત્સાહિત છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે સાથે તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ આપી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય બોલિવુડના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન હાશમી, નુસરત ભરૂચા સહિતના કલાકારો ફિલ્મમાં ભાગ ભજવી રહ્યા છે. 


24 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મમાં ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકબીજા સાથે ટકરાતા નજરે પડે છે. પોસ્ટર મોશન રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું કે ફેન જ સ્ટાર બનાવે છે અને ફેન જ સ્ટારને તોડે છે. જુઓ શું થાય જ્યારે ફેન પોતાના આઈડલની વિરૂદ્ધ જાય ત્યારે. સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.  




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.