ફિલ્મ 'સેલ્ફી'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ


  • Published By :
  • Published Date : 2023-01-15 14:40:48

આવનાર સમયમાં અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થવા જઈ રહી છે. મોટા પડદા પર ધમાલ મચાવા અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે. રવિવારે ફિલ્મના મેકર્સે મુવીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. સાથે સાથે ફિલ્મ રિલીઝ ડેટનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાસમી પણ જોવા મળશે.

 


અક્ષય કુમારની સાથે જોવા મળશે ઈમરાન હાશમી 

રવિવાર 15 જાન્યુઆરીના દિવસે અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ સેલ્ફીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોતાની આગામી ફિલ્મને લઈ અક્ષયકુમાર ખુબ ઉત્સાહિત છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે સાથે તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ આપી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય બોલિવુડના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન હાશમી, નુસરત ભરૂચા સહિતના કલાકારો ફિલ્મમાં ભાગ ભજવી રહ્યા છે. 


24 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મમાં ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકબીજા સાથે ટકરાતા નજરે પડે છે. પોસ્ટર મોશન રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું કે ફેન જ સ્ટાર બનાવે છે અને ફેન જ સ્ટારને તોડે છે. જુઓ શું થાય જ્યારે ફેન પોતાના આઈડલની વિરૂદ્ધ જાય ત્યારે. સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.  




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.