ફિલ્મ 'સેલ્ફી'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ


  • Published By :
  • Published Date : 2023-01-15 14:40:48

આવનાર સમયમાં અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થવા જઈ રહી છે. મોટા પડદા પર ધમાલ મચાવા અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે. રવિવારે ફિલ્મના મેકર્સે મુવીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. સાથે સાથે ફિલ્મ રિલીઝ ડેટનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાસમી પણ જોવા મળશે.

 


અક્ષય કુમારની સાથે જોવા મળશે ઈમરાન હાશમી 

રવિવાર 15 જાન્યુઆરીના દિવસે અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ સેલ્ફીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોતાની આગામી ફિલ્મને લઈ અક્ષયકુમાર ખુબ ઉત્સાહિત છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે સાથે તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ આપી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય બોલિવુડના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન હાશમી, નુસરત ભરૂચા સહિતના કલાકારો ફિલ્મમાં ભાગ ભજવી રહ્યા છે. 


24 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મમાં ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકબીજા સાથે ટકરાતા નજરે પડે છે. પોસ્ટર મોશન રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું કે ફેન જ સ્ટાર બનાવે છે અને ફેન જ સ્ટારને તોડે છે. જુઓ શું થાય જ્યારે ફેન પોતાના આઈડલની વિરૂદ્ધ જાય ત્યારે. સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.