ફિલ્મ 'સેલ્ફી'નું મોશન પોસ્ટર થયું રિલીઝ, આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ


  • Published By :
  • Published Date : 2023-01-15 14:40:48

આવનાર સમયમાં અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થવા જઈ રહી છે. મોટા પડદા પર ધમાલ મચાવા અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે. રવિવારે ફિલ્મના મેકર્સે મુવીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. સાથે સાથે ફિલ્મ રિલીઝ ડેટનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાસમી પણ જોવા મળશે.

 


અક્ષય કુમારની સાથે જોવા મળશે ઈમરાન હાશમી 

રવિવાર 15 જાન્યુઆરીના દિવસે અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ સેલ્ફીનું મોશન પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોતાની આગામી ફિલ્મને લઈ અક્ષયકુમાર ખુબ ઉત્સાહિત છે. મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે સાથે તેમને ફિલ્મની રિલીઝ ડેટ પણ આપી દીધી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર સિવાય બોલિવુડના અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મમાં ઈમરાન હાશમી, નુસરત ભરૂચા સહિતના કલાકારો ફિલ્મમાં ભાગ ભજવી રહ્યા છે. 


24 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ 

ફિલ્મમાં ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે. મોશન પોસ્ટરમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકબીજા સાથે ટકરાતા નજરે પડે છે. પોસ્ટર મોશન રિલીઝ કરતી વખતે અક્ષય કુમારે લખ્યું કે ફેન જ સ્ટાર બનાવે છે અને ફેન જ સ્ટારને તોડે છે. જુઓ શું થાય જ્યારે ફેન પોતાના આઈડલની વિરૂદ્ધ જાય ત્યારે. સાથે સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી છે. 24 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી