મુંબઈમાં ફરી બની હત્યાની ઘટના! નજીવી બાબતે રિક્ષામાં જ કરી નાખી લિવઈન પાર્ટનરની હત્યા! તપાસ કરતા પોલીસને આ કારણ જાણવા મળ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-21 18:03:05

આજની જનરેશનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો નાની નાની વાતોને લઈ ઝઘડી પડે છે અને ક્રાઈમ કરી બેસે છે. મુંબઈથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં યુવતી પર તેના પાર્ટનરે હુમલો કર્યો હતો. ઝઘડો થતા આરોપીએ યુવતીનું ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જે મહિલા પર હુમલો થયો છે તેનું નામ પંચશીલા હતું અને આરોપીનું નામ દીપક હતું,


થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના!

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ રહી છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા કરવી જાણે લોકો માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સહનશક્તિ એકદમ ઘટી રહી છે. મુંબઈથી થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા જેમાં મનોજ સાને પોતાની લિવ ઈન પાર્ટનમ સરસ્વતીની હત્યા કરી દીધી હતી. આ મામલો હજી શાંત થયો નથી ને ફરી એક વખત લિવ ઈન રિલેશનશિપમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 


હુમલો કરી આરોપી થઈ ગયો હતો ફરાર! 

મુંબઈથી ફરી એક વખત હત્યાની ઘટના હની છે. આ ઘટનામાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સોમવારના દિવસે એક યુવકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનરનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. 


બંને જણા રહેતા હતા લિવ ઈન રિલેશનશીપ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર બની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. પરંતુ દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો.


પોલીસે આરોપીની કરી ધરપકડ! 

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે દીપકે પંચશીલા પર રીક્ષામાં જીવલેણ હુમલો કરી દીધો. હુમલો થતાં પંચશીલા જમીન પર પડી ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો અને તે ઈજાગ્રસ્ત થઈ અને અંતે તેનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.     



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.