મુંબઈમાં ફરી બની હત્યાની ઘટના! નજીવી બાબતે રિક્ષામાં જ કરી નાખી લિવઈન પાર્ટનરની હત્યા! તપાસ કરતા પોલીસને આ કારણ જાણવા મળ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-21 18:03:05

આજની જનરેશનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો નાની નાની વાતોને લઈ ઝઘડી પડે છે અને ક્રાઈમ કરી બેસે છે. મુંબઈથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં યુવતી પર તેના પાર્ટનરે હુમલો કર્યો હતો. ઝઘડો થતા આરોપીએ યુવતીનું ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જે મહિલા પર હુમલો થયો છે તેનું નામ પંચશીલા હતું અને આરોપીનું નામ દીપક હતું,


થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના!

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ રહી છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા કરવી જાણે લોકો માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સહનશક્તિ એકદમ ઘટી રહી છે. મુંબઈથી થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા જેમાં મનોજ સાને પોતાની લિવ ઈન પાર્ટનમ સરસ્વતીની હત્યા કરી દીધી હતી. આ મામલો હજી શાંત થયો નથી ને ફરી એક વખત લિવ ઈન રિલેશનશિપમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 


હુમલો કરી આરોપી થઈ ગયો હતો ફરાર! 

મુંબઈથી ફરી એક વખત હત્યાની ઘટના હની છે. આ ઘટનામાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સોમવારના દિવસે એક યુવકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનરનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. 


બંને જણા રહેતા હતા લિવ ઈન રિલેશનશીપ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર બની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. પરંતુ દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો.


પોલીસે આરોપીની કરી ધરપકડ! 

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે દીપકે પંચશીલા પર રીક્ષામાં જીવલેણ હુમલો કરી દીધો. હુમલો થતાં પંચશીલા જમીન પર પડી ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો અને તે ઈજાગ્રસ્ત થઈ અને અંતે તેનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.     



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.