મુંબઈમાં ફરી બની હત્યાની ઘટના! નજીવી બાબતે રિક્ષામાં જ કરી નાખી લિવઈન પાર્ટનરની હત્યા! તપાસ કરતા પોલીસને આ કારણ જાણવા મળ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-21 18:03:05

આજની જનરેશનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો નાની નાની વાતોને લઈ ઝઘડી પડે છે અને ક્રાઈમ કરી બેસે છે. મુંબઈથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં યુવતી પર તેના પાર્ટનરે હુમલો કર્યો હતો. ઝઘડો થતા આરોપીએ યુવતીનું ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જે મહિલા પર હુમલો થયો છે તેનું નામ પંચશીલા હતું અને આરોપીનું નામ દીપક હતું,


થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના!

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ રહી છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા કરવી જાણે લોકો માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સહનશક્તિ એકદમ ઘટી રહી છે. મુંબઈથી થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા જેમાં મનોજ સાને પોતાની લિવ ઈન પાર્ટનમ સરસ્વતીની હત્યા કરી દીધી હતી. આ મામલો હજી શાંત થયો નથી ને ફરી એક વખત લિવ ઈન રિલેશનશિપમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 


હુમલો કરી આરોપી થઈ ગયો હતો ફરાર! 

મુંબઈથી ફરી એક વખત હત્યાની ઘટના હની છે. આ ઘટનામાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સોમવારના દિવસે એક યુવકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનરનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. 


બંને જણા રહેતા હતા લિવ ઈન રિલેશનશીપ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર બની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. પરંતુ દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો.


પોલીસે આરોપીની કરી ધરપકડ! 

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે દીપકે પંચશીલા પર રીક્ષામાં જીવલેણ હુમલો કરી દીધો. હુમલો થતાં પંચશીલા જમીન પર પડી ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો અને તે ઈજાગ્રસ્ત થઈ અને અંતે તેનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.     



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.