મુંબઈમાં ફરી બની હત્યાની ઘટના! નજીવી બાબતે રિક્ષામાં જ કરી નાખી લિવઈન પાર્ટનરની હત્યા! તપાસ કરતા પોલીસને આ કારણ જાણવા મળ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-21 18:03:05

આજની જનરેશનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો નાની નાની વાતોને લઈ ઝઘડી પડે છે અને ક્રાઈમ કરી બેસે છે. મુંબઈથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં યુવતી પર તેના પાર્ટનરે હુમલો કર્યો હતો. ઝઘડો થતા આરોપીએ યુવતીનું ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જે મહિલા પર હુમલો થયો છે તેનું નામ પંચશીલા હતું અને આરોપીનું નામ દીપક હતું,


થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના!

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ રહી છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા કરવી જાણે લોકો માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સહનશક્તિ એકદમ ઘટી રહી છે. મુંબઈથી થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા જેમાં મનોજ સાને પોતાની લિવ ઈન પાર્ટનમ સરસ્વતીની હત્યા કરી દીધી હતી. આ મામલો હજી શાંત થયો નથી ને ફરી એક વખત લિવ ઈન રિલેશનશિપમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 


હુમલો કરી આરોપી થઈ ગયો હતો ફરાર! 

મુંબઈથી ફરી એક વખત હત્યાની ઘટના હની છે. આ ઘટનામાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સોમવારના દિવસે એક યુવકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનરનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. 


બંને જણા રહેતા હતા લિવ ઈન રિલેશનશીપ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર બની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. પરંતુ દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો.


પોલીસે આરોપીની કરી ધરપકડ! 

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે દીપકે પંચશીલા પર રીક્ષામાં જીવલેણ હુમલો કરી દીધો. હુમલો થતાં પંચશીલા જમીન પર પડી ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો અને તે ઈજાગ્રસ્ત થઈ અને અંતે તેનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.