અમદાવાદ શહેરનું નહીં બદલાય નામ! ભાજપના સાંસદે કહ્યું જો નામ કર્ણાવતી થશે તો અમદાવાદ શહેરનો જતો રહેશે આ દરજ્જો! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-08 10:21:38

અમદાવાદનું નામકરણ કરવાનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ભાજપની સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં આવે તેવી માગ વારંવાર ઉઠાવવામાં આવી હતી. નામકરણને લઈ અનેક વાતો કરવામાં આવી હતી પરંતુ હવે તે ચર્ચા, તે મુદ્દાનો અંત આવ્યો હોચ તેવું લાગી રહ્યું છે. આ વાત ભાજપના સાંસદ હસમુખ પટેલના નિવેદન પર પણથી જાણી શકાય છે. હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો તે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે.       


હવે નહીં ઉઠે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો!

ભાજપ સરકાર દ્વારા અનેક શહેરોના નામ બદલવામાં  આવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરનું નામ પણ બદલવામાં આવે તેવી માગ ઘણા વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં  આવતી હતી. પરંતુ આ વાતનો અંત આવી ગયો હોત તેવું લાગી રહ્યું છે. 


ભાજપના સાંસદે કહ્યું અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો....

ભાજપના સાંસદ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મળેલો દરજ્જો ગુમાવી દેવાશે.યુનેસ્કો દ્વારા જે ડોઝિયર મોકલવામાં આવ્યું છે તેમાં અમદાવાદ લખવામાં આવ્યું છે. ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શહેરનું નામ બદલવામાં આવશે તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી દેશે. મહત્વનું છે ઘણા વર્ષો પહેલા અમદાવાદને આ દરજ્જો મળ્યો છે. ત્યારે સાંસદના આ નિવેદન પરથી એવું લાગે છે કે અમદાવાદનું નામ બદલાવો મુદ્દો હવે નહીં ઉઠે.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.