અમદાવાદ શહેરનું નહીં બદલાય નામ! ભાજપના સાંસદે કહ્યું જો નામ કર્ણાવતી થશે તો અમદાવાદ શહેરનો જતો રહેશે આ દરજ્જો! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-08 10:21:38

અમદાવાદનું નામકરણ કરવાનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ભાજપની સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં આવે તેવી માગ વારંવાર ઉઠાવવામાં આવી હતી. નામકરણને લઈ અનેક વાતો કરવામાં આવી હતી પરંતુ હવે તે ચર્ચા, તે મુદ્દાનો અંત આવ્યો હોચ તેવું લાગી રહ્યું છે. આ વાત ભાજપના સાંસદ હસમુખ પટેલના નિવેદન પર પણથી જાણી શકાય છે. હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો તે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે.       


હવે નહીં ઉઠે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો!

ભાજપ સરકાર દ્વારા અનેક શહેરોના નામ બદલવામાં  આવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરનું નામ પણ બદલવામાં આવે તેવી માગ ઘણા વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં  આવતી હતી. પરંતુ આ વાતનો અંત આવી ગયો હોત તેવું લાગી રહ્યું છે. 


ભાજપના સાંસદે કહ્યું અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો....

ભાજપના સાંસદ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મળેલો દરજ્જો ગુમાવી દેવાશે.યુનેસ્કો દ્વારા જે ડોઝિયર મોકલવામાં આવ્યું છે તેમાં અમદાવાદ લખવામાં આવ્યું છે. ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શહેરનું નામ બદલવામાં આવશે તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી દેશે. મહત્વનું છે ઘણા વર્ષો પહેલા અમદાવાદને આ દરજ્જો મળ્યો છે. ત્યારે સાંસદના આ નિવેદન પરથી એવું લાગે છે કે અમદાવાદનું નામ બદલાવો મુદ્દો હવે નહીં ઉઠે.       



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?