અમદાવાદ શહેરનું નહીં બદલાય નામ! ભાજપના સાંસદે કહ્યું જો નામ કર્ણાવતી થશે તો અમદાવાદ શહેરનો જતો રહેશે આ દરજ્જો! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-08 10:21:38

અમદાવાદનું નામકરણ કરવાનો મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ભાજપની સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવામાં આવે તેવી માગ વારંવાર ઉઠાવવામાં આવી હતી. નામકરણને લઈ અનેક વાતો કરવામાં આવી હતી પરંતુ હવે તે ચર્ચા, તે મુદ્દાનો અંત આવ્યો હોચ તેવું લાગી રહ્યું છે. આ વાત ભાજપના સાંસદ હસમુખ પટેલના નિવેદન પર પણથી જાણી શકાય છે. હસમુખ પટેલે જણાવ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો તે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ગુમાવી દેશે.       


હવે નહીં ઉઠે અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો!

ભાજપ સરકાર દ્વારા અનેક શહેરોના નામ બદલવામાં  આવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરનું નામ પણ બદલવામાં આવે તેવી માગ ઘણા વર્ષોથી સત્તા પર રહેલી ભાજપ સરકાર દ્વારા ઉઠાવવામાં  આવતી હતી. પરંતુ આ વાતનો અંત આવી ગયો હોત તેવું લાગી રહ્યું છે. 


ભાજપના સાંસદે કહ્યું અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો....

ભાજપના સાંસદ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થાય તેમ નથી. જો અમદાવાદનું નામ બદલવામાં આવશે તો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મળેલો દરજ્જો ગુમાવી દેવાશે.યુનેસ્કો દ્વારા જે ડોઝિયર મોકલવામાં આવ્યું છે તેમાં અમદાવાદ લખવામાં આવ્યું છે. ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો શહેરનું નામ બદલવામાં આવશે તો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી દેશે. મહત્વનું છે ઘણા વર્ષો પહેલા અમદાવાદને આ દરજ્જો મળ્યો છે. ત્યારે સાંસદના આ નિવેદન પરથી એવું લાગે છે કે અમદાવાદનું નામ બદલાવો મુદ્દો હવે નહીં ઉઠે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.