ક્યાંક સંગીતના તાલે તો ક્યાંક આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું


  • Published By :
  • Published Date : 2023-01-01 11:58:58

આજથી 2023નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનું સ્વાગત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. કોઈ જગ્યા પર સંગીતની ધૂન સાથે તો કોઈ જગ્યા પર આતિશબાજી કરી ન્યુ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું. તો કોઈ સ્થળ પર ફૂગ્ગાઓ ઉડાડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં આતશબાજી કરી કર્યું નવા વર્ષનું સ્વાગત

2023ને લઈ લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ન્યુ યરનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. દિલ્હીના લોકોમાં ન્યુ યરને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના ઈનર સર્કલ પર લોકોએ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. મસૂરીમાં સંગીત અને ડાન્સ સાથે નવા વર્ષનો આવકાર કરવામાં આવ્યો. મસૂરીમાં પણ ક્રિસમસ વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. સંગીત અને ડાન્સ કરી લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.  




ગોવામાં રંગેચંગે કરાયું ન્યુ યરનું સેલિબ્રેશન

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ લોકોએ નવા વર્ષને લઈ જશ્ન મનાવ્યું હતું. ફુગ્ગાઓ આકાશમાં ઉડાવી તેમજ આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મરીન ડ્રાઈવ પર એકત્રિત થયેલા લોકોએ 2022ને વિદાય આપી હતી. ઉપરાંત ગોવામાં નવા વર્ષને લઈ અનેક લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો ક્રિસમસ વેકેશન મનાવા ગોવા પહોંચતા હોય છે. ન્યુ યરને કારણે હોટલો પણ બુક થઈ ગઈ હતી.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.