ક્યાંક સંગીતના તાલે તો ક્યાંક આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું


  • Published By :
  • Published Date : 2023-01-01 11:58:58

આજથી 2023નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનું સ્વાગત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. કોઈ જગ્યા પર સંગીતની ધૂન સાથે તો કોઈ જગ્યા પર આતિશબાજી કરી ન્યુ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું. તો કોઈ સ્થળ પર ફૂગ્ગાઓ ઉડાડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં આતશબાજી કરી કર્યું નવા વર્ષનું સ્વાગત

2023ને લઈ લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ન્યુ યરનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. દિલ્હીના લોકોમાં ન્યુ યરને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના ઈનર સર્કલ પર લોકોએ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. મસૂરીમાં સંગીત અને ડાન્સ સાથે નવા વર્ષનો આવકાર કરવામાં આવ્યો. મસૂરીમાં પણ ક્રિસમસ વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. સંગીત અને ડાન્સ કરી લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.  




ગોવામાં રંગેચંગે કરાયું ન્યુ યરનું સેલિબ્રેશન

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ લોકોએ નવા વર્ષને લઈ જશ્ન મનાવ્યું હતું. ફુગ્ગાઓ આકાશમાં ઉડાવી તેમજ આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મરીન ડ્રાઈવ પર એકત્રિત થયેલા લોકોએ 2022ને વિદાય આપી હતી. ઉપરાંત ગોવામાં નવા વર્ષને લઈ અનેક લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો ક્રિસમસ વેકેશન મનાવા ગોવા પહોંચતા હોય છે. ન્યુ યરને કારણે હોટલો પણ બુક થઈ ગઈ હતી.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.