ક્યાંક સંગીતના તાલે તો ક્યાંક આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું


  • Published By :
  • Published Date : 2023-01-01 11:58:58

આજથી 2023નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનું સ્વાગત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. કોઈ જગ્યા પર સંગીતની ધૂન સાથે તો કોઈ જગ્યા પર આતિશબાજી કરી ન્યુ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું. તો કોઈ સ્થળ પર ફૂગ્ગાઓ ઉડાડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં આતશબાજી કરી કર્યું નવા વર્ષનું સ્વાગત

2023ને લઈ લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ન્યુ યરનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. દિલ્હીના લોકોમાં ન્યુ યરને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના ઈનર સર્કલ પર લોકોએ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. મસૂરીમાં સંગીત અને ડાન્સ સાથે નવા વર્ષનો આવકાર કરવામાં આવ્યો. મસૂરીમાં પણ ક્રિસમસ વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. સંગીત અને ડાન્સ કરી લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.  




ગોવામાં રંગેચંગે કરાયું ન્યુ યરનું સેલિબ્રેશન

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ લોકોએ નવા વર્ષને લઈ જશ્ન મનાવ્યું હતું. ફુગ્ગાઓ આકાશમાં ઉડાવી તેમજ આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મરીન ડ્રાઈવ પર એકત્રિત થયેલા લોકોએ 2022ને વિદાય આપી હતી. ઉપરાંત ગોવામાં નવા વર્ષને લઈ અનેક લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો ક્રિસમસ વેકેશન મનાવા ગોવા પહોંચતા હોય છે. ન્યુ યરને કારણે હોટલો પણ બુક થઈ ગઈ હતી.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.