ક્યાંક સંગીતના તાલે તો ક્યાંક આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું


  • Published By :
  • Published Date : 2023-01-01 11:58:58

આજથી 2023નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનું સ્વાગત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. કોઈ જગ્યા પર સંગીતની ધૂન સાથે તો કોઈ જગ્યા પર આતિશબાજી કરી ન્યુ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું. તો કોઈ સ્થળ પર ફૂગ્ગાઓ ઉડાડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં આતશબાજી કરી કર્યું નવા વર્ષનું સ્વાગત

2023ને લઈ લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ન્યુ યરનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. દિલ્હીના લોકોમાં ન્યુ યરને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના ઈનર સર્કલ પર લોકોએ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. મસૂરીમાં સંગીત અને ડાન્સ સાથે નવા વર્ષનો આવકાર કરવામાં આવ્યો. મસૂરીમાં પણ ક્રિસમસ વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. સંગીત અને ડાન્સ કરી લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.  




ગોવામાં રંગેચંગે કરાયું ન્યુ યરનું સેલિબ્રેશન

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ લોકોએ નવા વર્ષને લઈ જશ્ન મનાવ્યું હતું. ફુગ્ગાઓ આકાશમાં ઉડાવી તેમજ આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મરીન ડ્રાઈવ પર એકત્રિત થયેલા લોકોએ 2022ને વિદાય આપી હતી. ઉપરાંત ગોવામાં નવા વર્ષને લઈ અનેક લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો ક્રિસમસ વેકેશન મનાવા ગોવા પહોંચતા હોય છે. ન્યુ યરને કારણે હોટલો પણ બુક થઈ ગઈ હતી.    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.