કડકડતી ઠંડી વચ્ચે થશે નવા વર્ષનું સ્વાગત, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-31 16:24:41

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે તો અનેક સ્થળો પર તાપમાન ગગડવાને કારણે ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિલ્હીનું તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


આવનાર દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

આજે 2022નો અંતિમ દિવસ છે. આવતી કાલથી 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીવાસીઓ નવા વર્ષનો આરંભ કડકડતી ઠંડી સાથે કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષના આવનાર દિવસો ઠંડીમાં વિતાવવા પડશે. તાપમાનનો પારો ગગડવાને કારણે ઠંડીનો અહેસાસ થવાનો છે. બીજા અનેક રાજ્યોમાં પણ આની અસર જોવા મળી શકે છે. 


દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ 

દિલ્હીમાંતો તાપમાન ગગડી રહ્યું છે પરંતુ તેને કારણે અનેક રાજ્યોમાં પણ શીત લહેરની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ ઠંડીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડી હવાઓ વહેવા લાગી છે. આવનાર દિવસોમાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.    


જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વધતી ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને તકલીફ પડી શકે છે.            



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.