કડકડતી ઠંડી વચ્ચે થશે નવા વર્ષનું સ્વાગત, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-31 16:24:41

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે તો અનેક સ્થળો પર તાપમાન ગગડવાને કારણે ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિલ્હીનું તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


આવનાર દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

આજે 2022નો અંતિમ દિવસ છે. આવતી કાલથી 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીવાસીઓ નવા વર્ષનો આરંભ કડકડતી ઠંડી સાથે કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષના આવનાર દિવસો ઠંડીમાં વિતાવવા પડશે. તાપમાનનો પારો ગગડવાને કારણે ઠંડીનો અહેસાસ થવાનો છે. બીજા અનેક રાજ્યોમાં પણ આની અસર જોવા મળી શકે છે. 


દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ 

દિલ્હીમાંતો તાપમાન ગગડી રહ્યું છે પરંતુ તેને કારણે અનેક રાજ્યોમાં પણ શીત લહેરની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ ઠંડીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડી હવાઓ વહેવા લાગી છે. આવનાર દિવસોમાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.    


જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વધતી ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને તકલીફ પડી શકે છે.            



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.