કડકડતી ઠંડી વચ્ચે થશે નવા વર્ષનું સ્વાગત, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-31 16:24:41

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે તો અનેક સ્થળો પર તાપમાન ગગડવાને કારણે ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિલ્હીનું તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


આવનાર દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

આજે 2022નો અંતિમ દિવસ છે. આવતી કાલથી 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીવાસીઓ નવા વર્ષનો આરંભ કડકડતી ઠંડી સાથે કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષના આવનાર દિવસો ઠંડીમાં વિતાવવા પડશે. તાપમાનનો પારો ગગડવાને કારણે ઠંડીનો અહેસાસ થવાનો છે. બીજા અનેક રાજ્યોમાં પણ આની અસર જોવા મળી શકે છે. 


દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ 

દિલ્હીમાંતો તાપમાન ગગડી રહ્યું છે પરંતુ તેને કારણે અનેક રાજ્યોમાં પણ શીત લહેરની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ ઠંડીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડી હવાઓ વહેવા લાગી છે. આવનાર દિવસોમાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.    


જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વધતી ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને તકલીફ પડી શકે છે.            



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.