કડકડતી ઠંડી વચ્ચે થશે નવા વર્ષનું સ્વાગત, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-31 16:24:41

દેશના અનેક રાજ્યોમાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે તો અનેક સ્થળો પર તાપમાન ગગડવાને કારણે ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાન સતત ગગડી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં દિલ્હીનું તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


આવનાર દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

આજે 2022નો અંતિમ દિવસ છે. આવતી કાલથી 2023નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હીવાસીઓ નવા વર્ષનો આરંભ કડકડતી ઠંડી સાથે કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષના આવનાર દિવસો ઠંડીમાં વિતાવવા પડશે. તાપમાનનો પારો ગગડવાને કારણે ઠંડીનો અહેસાસ થવાનો છે. બીજા અનેક રાજ્યોમાં પણ આની અસર જોવા મળી શકે છે. 


દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ 

દિલ્હીમાંતો તાપમાન ગગડી રહ્યું છે પરંતુ તેને કારણે અનેક રાજ્યોમાં પણ શીત લહેરની અનુભૂતિ થઈ રહી છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ ઠંડીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી ગયું છે. ઉત્તરાખંડમાં પણ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડી હવાઓ વહેવા લાગી છે. આવનાર દિવસોમાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.    


જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વધતી ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધતા ધુમ્મસને કારણે વાહનચાલકોને તકલીફ પડી શકે છે.            



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.