આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે! કમોસમી વરસાદની કરાઈ છે આગાહી, આ જગ્યાઓ પર આવશે માવઠું!


  • Published By :
  • Published Date : 2023-04-05 09:45:19

રાજ્યમાં ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરી એક વખત આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. જે મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જ્યારે ગુરૂવારે  ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


આ જગ્યાએ વરસી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. જો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. 


માવઠાએ ખેડૂતોને રડાવ્યા!

કમોસમી વરસાદ થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. એમ પણ ખેડૂતોને પોષણસમા ભાવ તો મળતા નથી એમાં પણ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે જોઈને આપણે દુખી થઈ જઈએ. મહામહેનતે ઉભો કરેલો પાક પાણીમાં પલળી જાય. કોઈ વખત ખેતરમાં પાણી ભરાવવાને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કોઈ વખત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મૂકાયેલા પાક પલળતા જોઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે