આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે! કમોસમી વરસાદની કરાઈ છે આગાહી, આ જગ્યાઓ પર આવશે માવઠું!


  • Published By :
  • Published Date : 2023-04-05 09:45:19

રાજ્યમાં ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ફરી એક વખત આવનાર 48 કલાક ખેડૂતો માટે ભારે સાબિત થઈ શકે છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. જે મુજબ બુધવારના રોજ બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે જ્યારે ગુરૂવારે  ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


આ જગ્યાએ વરસી શકે છે વરસાદ 

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે. જો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. 


માવઠાએ ખેડૂતોને રડાવ્યા!

કમોસમી વરસાદ થવાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. એમ પણ ખેડૂતોને પોષણસમા ભાવ તો મળતા નથી એમાં પણ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા જે જોઈને આપણે દુખી થઈ જઈએ. મહામહેનતે ઉભો કરેલો પાક પાણીમાં પલળી જાય. કોઈ વખત ખેતરમાં પાણી ભરાવવાને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કોઈ વખત માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા મૂકાયેલા પાક પલળતા જોઈ ખેડૂતોને રડવાનો વારો આવે છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.