ગણતંત્ર દિવસે લોન્ચ કરવામાં આવી નોઝલ વેક્સિન,iNCOVACC થઈ લોન્ચ


  • Published By :
  • Published Date : 2023-01-26 17:54:00

દુનિયાભરમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે પહેલા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નાકથી આપવામાં આવતી દેશની પ્રથમ કોરોના વેક્સિનને લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિનને INCOVACC નામ આપવામાં આવ્યું  છે.


કોરોના કેસ વધતા વેક્સિન લેવા પહોંચ્યા લોકો 

કોરોના સંક્રમણને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકોના મોત પણ  થયા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો નથી નોંધાયો. કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોરોના કેસ ન વધે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. 


નાકથી લેવાતી વેક્સિન કરાઈ લોન્ચ 

હજી સુધી વેક્સિન ઈંજેક્શનના માધ્યમથી આપવામાં આવતી હતી. કોરોના વેક્સિનના બે દોઝ તો આપવામાં આવતા પરંતુ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. કોરોના સંક્રમણ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી ગયા છે. ત્યારે ભારત સરકારે નાકથી લેવામાં આવતી વેક્સિનને લોન્ચ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વેક્સિનને લોન્ચ કરી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.