ગણતંત્ર દિવસે લોન્ચ કરવામાં આવી નોઝલ વેક્સિન,iNCOVACC થઈ લોન્ચ


  • Published By :
  • Published Date : 2023-01-26 17:54:00

દુનિયાભરમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે પહેલા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નાકથી આપવામાં આવતી દેશની પ્રથમ કોરોના વેક્સિનને લોન્ચ કરવામાં આવી છે. આ વેક્સિનને INCOVACC નામ આપવામાં આવ્યું  છે.


કોરોના કેસ વધતા વેક્સિન લેવા પહોંચ્યા લોકો 

કોરોના સંક્રમણને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકોના મોત પણ  થયા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળો નથી નોંધાયો. કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોરોના કેસ ન વધે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. 


નાકથી લેવાતી વેક્સિન કરાઈ લોન્ચ 

હજી સુધી વેક્સિન ઈંજેક્શનના માધ્યમથી આપવામાં આવતી હતી. કોરોના વેક્સિનના બે દોઝ તો આપવામાં આવતા પરંતુ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે. કોરોના સંક્રમણ વધતા લોકો કોરોના વેક્સિન લેવા પહોંચી ગયા છે. ત્યારે ભારત સરકારે નાકથી લેવામાં આવતી વેક્સિનને લોન્ચ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વેક્સિનને લોન્ચ કરી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.