રાજ્યમાં અકસ્માતોની વણઝાર! અલગ અલગ જગ્યાઓ પર સર્જાઈ અકસ્માતની ઘટના, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-20 11:49:24

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, કોઈ મોતને ભેટે છે પરંતુ આવી વાતો જાણે આપણા માટે સામાન્ય બની ગઈ છે! કોઈ મરે છે તો આપણી કરૂણા મરી પરવારી હોય તેવું લાગે છે. આપણે ત્યારે દુખી થઈએ છીએ જ્યારે મોતનો આંકડો મોટો ત્યારે. એક બે વ્યક્તિના મોત થવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે આપણા માટે એવી પરિસ્થિતિ સર્જાઈ છે! આપણા માટે ભલે મરનાર એક વ્યક્તિ જ હોય પરંતુ જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હોય છે તેના માટે તે સર્વસ્વ હોય છે.


રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની ટક્કરથી નિપજ્યું મોત!

અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે જેમાં વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એક અકસ્માત જેતપુરમાં સર્જાયો છે તો બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. બંને અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્ચા છે. મળતી માહિતી અનુસાર જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત બાઈકની ટક્કર થતાં થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જેતપુરના જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે બનાવ બન્યો છે.


કાલુપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હોવાની વાત આવી સામે 

બીજો અકસ્માત અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બન્યો છે તેવી માહિતી સામે આવી છે. બે બાઈક વચ્ચે ટક્કર થઈ અને એક બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. બાઈક ચાલકનું મોત ઘટનાસ્થળ પર જ નિપજ્યું છે તેવી માહિતી સામે આવી છે, જ્યારે બીજો બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આપણે જ આપણી સુરક્ષાની જવાબદારી લેવી પડશે! 

મહત્વનું છે કે અનેક વખત કહેવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે, તેનું પાલન કરવું જોઈએ તેવી વાતો પણ કરવામાં આવે છે પરંતુ તે વાતોનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા રસ્તાઓ પર જોવા મળતા હોય છે જે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળે છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે