રાજ્યમાં અકસ્માતોની વણઝાર! અલગ અલગ જગ્યાઓ પર સર્જાઈ અકસ્માતની ઘટના, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-20 11:49:24

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, કોઈ મોતને ભેટે છે પરંતુ આવી વાતો જાણે આપણા માટે સામાન્ય બની ગઈ છે! કોઈ મરે છે તો આપણી કરૂણા મરી પરવારી હોય તેવું લાગે છે. આપણે ત્યારે દુખી થઈએ છીએ જ્યારે મોતનો આંકડો મોટો ત્યારે. એક બે વ્યક્તિના મોત થવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે આપણા માટે એવી પરિસ્થિતિ સર્જાઈ છે! આપણા માટે ભલે મરનાર એક વ્યક્તિ જ હોય પરંતુ જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હોય છે તેના માટે તે સર્વસ્વ હોય છે.


રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની ટક્કરથી નિપજ્યું મોત!

અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે જેમાં વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એક અકસ્માત જેતપુરમાં સર્જાયો છે તો બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. બંને અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્ચા છે. મળતી માહિતી અનુસાર જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત બાઈકની ટક્કર થતાં થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જેતપુરના જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે બનાવ બન્યો છે.


કાલુપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હોવાની વાત આવી સામે 

બીજો અકસ્માત અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બન્યો છે તેવી માહિતી સામે આવી છે. બે બાઈક વચ્ચે ટક્કર થઈ અને એક બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. બાઈક ચાલકનું મોત ઘટનાસ્થળ પર જ નિપજ્યું છે તેવી માહિતી સામે આવી છે, જ્યારે બીજો બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આપણે જ આપણી સુરક્ષાની જવાબદારી લેવી પડશે! 

મહત્વનું છે કે અનેક વખત કહેવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે, તેનું પાલન કરવું જોઈએ તેવી વાતો પણ કરવામાં આવે છે પરંતુ તે વાતોનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા રસ્તાઓ પર જોવા મળતા હોય છે જે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.