રાજ્યમાં અકસ્માતોની વણઝાર! અલગ અલગ જગ્યાઓ પર સર્જાઈ અકસ્માતની ઘટના, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-20 11:49:24

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, કોઈ મોતને ભેટે છે પરંતુ આવી વાતો જાણે આપણા માટે સામાન્ય બની ગઈ છે! કોઈ મરે છે તો આપણી કરૂણા મરી પરવારી હોય તેવું લાગે છે. આપણે ત્યારે દુખી થઈએ છીએ જ્યારે મોતનો આંકડો મોટો ત્યારે. એક બે વ્યક્તિના મોત થવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે આપણા માટે એવી પરિસ્થિતિ સર્જાઈ છે! આપણા માટે ભલે મરનાર એક વ્યક્તિ જ હોય પરંતુ જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હોય છે તેના માટે તે સર્વસ્વ હોય છે.


રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની ટક્કરથી નિપજ્યું મોત!

અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે જેમાં વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એક અકસ્માત જેતપુરમાં સર્જાયો છે તો બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. બંને અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્ચા છે. મળતી માહિતી અનુસાર જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત બાઈકની ટક્કર થતાં થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જેતપુરના જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે બનાવ બન્યો છે.


કાલુપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હોવાની વાત આવી સામે 

બીજો અકસ્માત અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બન્યો છે તેવી માહિતી સામે આવી છે. બે બાઈક વચ્ચે ટક્કર થઈ અને એક બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. બાઈક ચાલકનું મોત ઘટનાસ્થળ પર જ નિપજ્યું છે તેવી માહિતી સામે આવી છે, જ્યારે બીજો બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આપણે જ આપણી સુરક્ષાની જવાબદારી લેવી પડશે! 

મહત્વનું છે કે અનેક વખત કહેવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે, તેનું પાલન કરવું જોઈએ તેવી વાતો પણ કરવામાં આવે છે પરંતુ તે વાતોનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા રસ્તાઓ પર જોવા મળતા હોય છે જે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.