રાજ્યમાં અકસ્માતોની વણઝાર! અલગ અલગ જગ્યાઓ પર સર્જાઈ અકસ્માતની ઘટના, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-20 11:49:24

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, કોઈ મોતને ભેટે છે પરંતુ આવી વાતો જાણે આપણા માટે સામાન્ય બની ગઈ છે! કોઈ મરે છે તો આપણી કરૂણા મરી પરવારી હોય તેવું લાગે છે. આપણે ત્યારે દુખી થઈએ છીએ જ્યારે મોતનો આંકડો મોટો ત્યારે. એક બે વ્યક્તિના મોત થવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે આપણા માટે એવી પરિસ્થિતિ સર્જાઈ છે! આપણા માટે ભલે મરનાર એક વ્યક્તિ જ હોય પરંતુ જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હોય છે તેના માટે તે સર્વસ્વ હોય છે.


રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની ટક્કરથી નિપજ્યું મોત!

અકસ્માતની વાત એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે જેમાં વ્યક્તિના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એક અકસ્માત જેતપુરમાં સર્જાયો છે તો બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. બંને અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્ચા છે. મળતી માહિતી અનુસાર જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત બાઈકની ટક્કર થતાં થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જેતપુરના જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે બનાવ બન્યો છે.


કાલુપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હોવાની વાત આવી સામે 

બીજો અકસ્માત અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બન્યો છે તેવી માહિતી સામે આવી છે. બે બાઈક વચ્ચે ટક્કર થઈ અને એક બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. બાઈક ચાલકનું મોત ઘટનાસ્થળ પર જ નિપજ્યું છે તેવી માહિતી સામે આવી છે, જ્યારે બીજો બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


આપણે જ આપણી સુરક્ષાની જવાબદારી લેવી પડશે! 

મહત્વનું છે કે અનેક વખત કહેવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે, તેનું પાલન કરવું જોઈએ તેવી વાતો પણ કરવામાં આવે છે પરંતુ તે વાતોનું પાલન કેટલું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા રસ્તાઓ પર જોવા મળતા હોય છે જે હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.