દિવાળી સમયે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી વધારાઈ એમ્બ્યુલન્સની સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:19:35

દિવાળીના તહેવાર દરમિયાન અનેક અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડા ફોડવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો કરવામાં આવ્યો છે. લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખી 3 દિવસ એટલે કે દિવાળી, બેસતુ વર્ષ તેમજ ભાઈ બીજના દિવસ દરમિયાન 50 એમ્બ્યુલન્સ વધારવામાં આવી છે. 

108 Ambulance : 108 Ambulance News in Gujarati | Latest 108 Ambulance  Samachar - News18 Gujarati

દિવાળીના સમયે ઈમરજન્સી કોલમાં થાય છે વધારો

દિવાળીના સમયે ફટાકડા ફોડાવામાં આવતા હોય છે. જેને કારણે આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે. દિવાળી દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. મળતી માહિતી મુજબ ગયા વર્ષે દિવાળીના દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.