દેશમાં સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-25 14:03:18

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો થયો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે, એક-એક વ્યક્તિના મોત કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં નોંધાયા છે.   


પાંચ અઠવાડિયામાં વધ્યા અનેક કોરોનાના કેસ 

146 દિવસોમાં સૌથી વધારે કેસ આ વખતે નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8601 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ટકા જેટલું વધી ગયો છે. જેને કારણે કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે મંત્રાલયે ચાર ટીને ફોલો કરવાની સલાહ આપી છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે.  


XBB1.16નો વધી રહ્યો છે ખતરો 

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કોરોનાથી ફરી એક વખત લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના XBB1.16 સબ-વેરિયન્ટના વધતા કેસોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. 


ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયની સલાહ!

ત્યારે દેશમાં વધતા કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. થોડા સમય પહેલા વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. તે સિવાય રાજ્યોને પણ એક્ટિવ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સંક્રમણના વધતા ખતરાને જોતા મંત્રાલયે ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.