દેશમાં સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-25 14:03:18

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો થયો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે, એક-એક વ્યક્તિના મોત કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં નોંધાયા છે.   


પાંચ અઠવાડિયામાં વધ્યા અનેક કોરોનાના કેસ 

146 દિવસોમાં સૌથી વધારે કેસ આ વખતે નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8601 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ટકા જેટલું વધી ગયો છે. જેને કારણે કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે મંત્રાલયે ચાર ટીને ફોલો કરવાની સલાહ આપી છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે.  


XBB1.16નો વધી રહ્યો છે ખતરો 

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કોરોનાથી ફરી એક વખત લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના XBB1.16 સબ-વેરિયન્ટના વધતા કેસોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. 


ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયની સલાહ!

ત્યારે દેશમાં વધતા કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. થોડા સમય પહેલા વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. તે સિવાય રાજ્યોને પણ એક્ટિવ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સંક્રમણના વધતા ખતરાને જોતા મંત્રાલયે ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.