દેશમાં સતત વધી રહ્યો છે કોરોના સંક્રમિતોનો આંકડો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-25 14:03:18

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દૈનિક કેસોમાં સતત વધારો થયો છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. 3 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે, એક-એક વ્યક્તિના મોત કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં નોંધાયા છે.   


પાંચ અઠવાડિયામાં વધ્યા અનેક કોરોનાના કેસ 

146 દિવસોમાં સૌથી વધારે કેસ આ વખતે નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8601 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોના સંક્રમણ 9 ટકા જેટલું વધી ગયો છે. જેને કારણે કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. ત્યારે મંત્રાલયે ચાર ટીને ફોલો કરવાની સલાહ આપી છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે.  


XBB1.16નો વધી રહ્યો છે ખતરો 

દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે કોરોનાથી ફરી એક વખત લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના XBB1.16 સબ-વેરિયન્ટના વધતા કેસોને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. 


ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયની સલાહ!

ત્યારે દેશમાં વધતા કોરોના કેસને લઈ સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. થોડા સમય પહેલા વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. તે સિવાય રાજ્યોને પણ એક્ટિવ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સંક્રમણના વધતા ખતરાને જોતા મંત્રાલયે ચાર ટી પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું છે જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણનો સમાવેશ થાય છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.