12 ડિસેમ્બરના રોજ યોજાશે શપથ સમારોહ


  • Published By :
  • Published Date : 2022-12-09 09:04:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ વખતે પણ ગુજરાતમાં ભગવો લહેરાયો છે. ભાજપને આ વખતે પ્રચંડ બહુમતી મળી છે. અનેક સ્થળો પર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરના રોજ યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ શપથ સમારોહ ગાંધીનગર હેલિપેડ ખાતે યોજાશે. 


અનેક દિગ્ગજ નેતાઓએ કર્યો હતો પ્રચાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટેનું આયોજન પહેલી ડિસેમ્બરના રોજ યોજાયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ વખતે ભાજપે 2017નો પોતાનો રેકોર્ડ તોડી રહી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સારુ નથી રહ્યું. આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું છે. 

મોટા પાયે ભાજપ કરશે વિજયનું જશ્ન 

વિધાનસભા બેઠકને જીતવા દરેક પાર્ટીએ તનતોડ મહેનત કરી હતી. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આપ માટેનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતમાં આવી પ્રચાર કર્યો હતો. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી છે. ત્યારે ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે. ત્યારે મોટા પાયે જીતનો ઉત્સવ મનાવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સરકારની શપથ વિધી યોજાવાની છે જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લઈ શકે છે. ઉપરાંત દિલ્હી ખાતે આજે ભાજપની જીતનું જશ્ન થવાનું છે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.