12 ડિસેમ્બરના રોજ યોજાશે શપથ સમારોહ


  • Published By :
  • Published Date : 2022-12-09 09:04:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. આ વખતે પણ ગુજરાતમાં ભગવો લહેરાયો છે. ભાજપને આ વખતે પ્રચંડ બહુમતી મળી છે. અનેક સ્થળો પર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરના રોજ યોજાશે. એવું માનવામાં આવી રહ્યું છે આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપી શકે છે. આ શપથ સમારોહ ગાંધીનગર હેલિપેડ ખાતે યોજાશે. 


અનેક દિગ્ગજ નેતાઓએ કર્યો હતો પ્રચાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટેનું આયોજન પહેલી ડિસેમ્બરના રોજ યોજાયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ વખતે ભાજપે 2017નો પોતાનો રેકોર્ડ તોડી રહી છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન સારુ નથી રહ્યું. આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું છે. 

મોટા પાયે ભાજપ કરશે વિજયનું જશ્ન 

વિધાનસભા બેઠકને જીતવા દરેક પાર્ટીએ તનતોડ મહેનત કરી હતી. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આપ માટેનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતમાં આવી પ્રચાર કર્યો હતો. ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવી છે. ત્યારે ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે. ત્યારે મોટા પાયે જીતનો ઉત્સવ મનાવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સરકારની શપથ વિધી યોજાવાની છે જેમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લઈ શકે છે. ઉપરાંત દિલ્હી ખાતે આજે ભાજપની જીતનું જશ્ન થવાનું છે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.