સરકારના નિર્ણય બાદ OPD સવારે અને સાંજે ખુલ્લી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:38:47

એક તરફ આરોગ્ય કર્મી પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે સારો નિર્ણય લીધો છે. સરકારે સરકારી હોસ્પિટલોમાં OPDના સમયમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત સવારની સાથે હવે સાંજે પણ ઓપીડી ખુલ્લી રહેશે.



ઓપીડીના સમયમાં કરાયો ફેરફાર 

ગુજરાતમાં સ્વાસ્થય સેવાને સારી બનાવા તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, મેડિકલ-ડેન્ટલ કોલેજને સંલગ્ન ચાલતી હોસ્પિટલમાં હવેથી સાંજે પણ ઓપીડી કરવામાં આવશે. ઉપરાંત રવિવારના દિવસે પણ ડોક્ટરો ઓપીડીમાં સેવા આપશે. સોમવારથી રવિવાર સુધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી રહેશે જ્યારે સાંજે 4થી 8 વાગ્યા સુધી સોમવારથી રવિવાર સુધી રાખવામાં આવ્યો છે. હવે રવિવારના દિવસે પણ ઓપીડી કરવામાં  આવશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"