સરકારના નિર્ણય બાદ OPD સવારે અને સાંજે ખુલ્લી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:38:47

એક તરફ આરોગ્ય કર્મી પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સામાન્ય લોકોને સ્વાસ્થ સંબંધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે સારો નિર્ણય લીધો છે. સરકારે સરકારી હોસ્પિટલોમાં OPDના સમયમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત સવારની સાથે હવે સાંજે પણ ઓપીડી ખુલ્લી રહેશે.



ઓપીડીના સમયમાં કરાયો ફેરફાર 

ગુજરાતમાં સ્વાસ્થય સેવાને સારી બનાવા તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, મેડિકલ-ડેન્ટલ કોલેજને સંલગ્ન ચાલતી હોસ્પિટલમાં હવેથી સાંજે પણ ઓપીડી કરવામાં આવશે. ઉપરાંત રવિવારના દિવસે પણ ડોક્ટરો ઓપીડીમાં સેવા આપશે. સોમવારથી રવિવાર સુધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી રહેશે જ્યારે સાંજે 4થી 8 વાગ્યા સુધી સોમવારથી રવિવાર સુધી રાખવામાં આવ્યો છે. હવે રવિવારના દિવસે પણ ઓપીડી કરવામાં  આવશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .