ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર - 8 ડિસેમ્બરને લઈ કોંગ્રેસે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:46:18

ગુજરાતમાં ચૂંટણીને લઈ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે. કોંગ્રેસની સરકાર બનશે.


કોંગ્રેસે પણ જીતવાનો દાવો વ્યક્ત કર્યો

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થવાની છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરી કોંગ્રેસે પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસે અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે બનશે જનતાની સરકાર, બનશે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપે 8 ડિસેમ્બરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોની સરકાર બનશે તે તો મતદાર જ નક્કી કરશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.