ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર - 8 ડિસેમ્બરને લઈ કોંગ્રેસે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:46:18

ગુજરાતમાં ચૂંટણીને લઈ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે. કોંગ્રેસની સરકાર બનશે.


કોંગ્રેસે પણ જીતવાનો દાવો વ્યક્ત કર્યો

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થવાની છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરી કોંગ્રેસે પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસે અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે બનશે જનતાની સરકાર, બનશે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપે 8 ડિસેમ્બરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોની સરકાર બનશે તે તો મતદાર જ નક્કી કરશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.