ગુજરાતની જનતા પરિવર્તન માટે છે તૈયાર, બનશે કોંગ્રેસની સરકાર - 8 ડિસેમ્બરને લઈ કોંગ્રેસે કર્યું ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-03 22:46:18

ગુજરાતમાં ચૂંટણીને લઈ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર છે. કોંગ્રેસની સરકાર બનશે.


કોંગ્રેસે પણ જીતવાનો દાવો વ્યક્ત કર્યો

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થવાની છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરી કોંગ્રેસે પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચારમાં કોંગ્રેસે અનેક વખત ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે બનશે જનતાની સરકાર, બનશે કોંગ્રેસની સરકાર. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ભાજપે 8 ડિસેમ્બરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. ત્યારે હવે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોની સરકાર બનશે તે તો મતદાર જ નક્કી કરશે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"